રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી સ્થિતિમાં, તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (અગાઉ NCA તરીકે ઓળખાતું) દ્વારા બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી તે IPLમાં વિકેટકીપિંગ કરી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે.

Sanju Samson
hindi.crickettimes.com

એક સમાચાર એજન્સીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટર ઓફ એક્સેલન્સના ફિઝિયો સેમસનની કોઈપણ સંઘર્ષ વિના બેટિંગ કરવાની ક્ષમતાથી સંતુષ્ટ છે, પરંતુ તે વિકેટકીપિંગ કરતી વખતે તેના કમ્ફર્ટ લેવલને પણ નજીકથી જોવા માંગશે. જો સેમસનને વિકેટકીપિંગની પરવાનગી નહીં મળે તો ધ્રુવ જુરેલને ટીમનો વિકેટકીપર બનાવી શકાય છે. જુરેલને ફ્રેન્ચાઇઝીએ 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમમાં બીજો કોઈ વિકેટકીપર-બેટ્સમેન નથી.

Sanju Samson
bharatexpress.com

આ દરમિયાન, સંજુ સેમસન ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે, જેમણે રાજસ્થાનનું નેતૃત્વ પણ કર્યું છે. સેમસને દ્રવિડ હેઠળના પોતાના ડેબ્યૂને યાદ કર્યો અને કેવી રીતે આ દિગ્ગજ બેટ્સમેને એક દાયકા કરતાં વધુ સમય પહેલા તેને જોયો હતો.

Sanju Samson
hindi.crictoday.com

સેમસને એક મીડિયા ચેનલને કહ્યું, રાહુલ સરે જ મને ટ્રાયલ્સમાં જોયો હતો, તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે તમે મારી ટીમ માટે રમી શકો છો, ત્યારથી લઈને અત્યાર સુધી, હવે હું ફ્રેન્ચાઇઝનો કેપ્ટન છું અને તેઓ પાછા આવી રહ્યા છે, હું રાહુલ સરના પાછા આવવા બદલ ખૂબ જ આભારી છું, કારણ કે અમે બધા એક ફ્રેન્ચાઇઝમાં છીએ, હું તેમના નેતૃત્વમાં (RRમાં) એક ખેલાડી તરીકે રમ્યો છું, જ્યારે તેઓ કેપ્ટન હતા ત્યારે હું તેમના નેતૃત્વમાં ભારતીય ટીમમાં રમ્યો છું, જ્યારે તેઓ કોચ હતા ત્યારે પણ. પરંતુ કેપ્ટન અને કોચ વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે અને હું તેમની પાસેથી ઘણું શીખવા માટે ઉત્સાહિત છું.

Sanju Samson
hindustantimes-com.translate.goog

સંજુ અહીં જ ન અટક્યો અને આગળ કહ્યું, તેઓ (દ્રવિડ) એક મહાન વ્યાવસાયિક ખેલાડી છે, તેઓ ખાતરી કરે છે કે બધું યોગ્ય રીતે થાય, હું ગયા મહિને નાગપુરમાં રાજસ્થાન રોયલ્સ સ્પોર્ટ્સ એકેડેમીમાં તેમની સાથે હતો, સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી, તેઓ આવી ગરમીમાં બેટ્સમેનોને બેટિંગ કરતા અને બોલરોને બોલિંગ કરતા જોઈ રહ્યા હતા, તેમની સાથે વાતચીત કરતા રહેતા હોય છે, કોચ સાથે ચર્ચા કરતા રહે છે. તે દરેક બાબતમાં સંપૂર્ણપણે સામેલ થયેલા હોય છે. મને લાગે છે કે તૈયારી તેમના પાત્રમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે અને મને લાગે છે કે આ એ બધું છે કે જે મારે આ બાબતમાં થોડું વધુ શીખવાની જરૂર છે.

Sanju Samson
jagran.com

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેમના અભિયાનની પહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે.

રાજસ્થાન રોયલ્સ ટીમ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ, યુદ્ધવીર સિંહ, જોફ્રા આર્ચર, વાનિંદુ હસરંગા, મહિષ તીક્ષ્ણા, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકેય, ફઝલહક ફારૂકી, આકાશ મધવાલ, ધ્રુવ જુરેલ.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.