રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સામેલ કરવા સૂચન કર્યું

IPL 2025 સીઝન સમાપ્ત થયા પછી તરત જ ભારત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ત્યાં ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાનો છે અને આ ટેસ્ટ શ્રેણી દ્વારા ભારત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરશે. ભારતે છેલ્લા 18 વર્ષમાં ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી અને ભારત આમ કરવા માટે કટિબદ્ધ લાગે છે.

Ravi Shastri
livehindustan.com

આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સ (GT)ના ઓપનર સાઈ સુદર્શનને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સમાવવાની હિમાયત કરી છે, જેણે વર્તમાન IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડાબોડી બેટ્સમેન સતત ઓરેન્જ કેપની રેસમાં રહ્યો છે અને તેણે અત્યાર સુધી રમેલી 9 મેચમાં 456 રન બનાવ્યા છે. સાઈ સુદર્શને અત્યાર સુધી 9 મેચમાં 5 અડધી સદી પણ ફટકારી છે.

Sai Sudharsan
sportsyaari.com

ICC રિવ્યૂમાં બોલતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હું તેમને ભારત માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં જોઉં છું. તે એક ઉત્તમ ખેલાડી છે અને હું ચોક્કસપણે તેના પર નજર રાખીશ. તેણે વધુમાં કહ્યું કે ઇંગ્લેન્ડમાં ડાબોડી બેટ્સમેન હોવાને કારણે અને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ અને તેની ટેકનિક, તે જે રીતે રમે છે તે જાણતા હોવાથી, મને લાગે છે કે તે ટેસ્ટ ટીમમાં જોડાવા માંગતા તમામ ખેલાડીઓની યાદીમાં ટોચ પર હશે. ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું કે, ભારતે ટેસ્ટ સેટ-અપ માટે તેમના ડાબા હાથના સીમ વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.

Team India
amarujala.com

રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમ મેનેજમેન્ટને અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ પર નજર રાખવા વિનંતી કરી. શાસ્ત્રીએ કહ્યું કે, તમારે ડાબા હાથના ઝડપી બોલરની જરૂર છે અને તેને શોધો. તે જે પણ હોય અને ગમે તે હોય, જે સૌથી શ્રેષ્ઠ હોય તેને પસંદ કરો. ખલીલ અહેમદ પણ છે જેની બોલિંગ સારી છે અને તે સારી બોલિંગ કરી રહ્યો છે. તે અર્શદીપ સિંહ પણ હોઈ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

About The Author

Related Posts

Top News

'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં ખાવાની થાળી પર પણ જોવા મળી રહી છે. તેલ અને ગેસના વધતા...
National 
'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે

મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયા વચ્ચે...
Entertainment 
અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે

લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના મુંબઈ યુનિટે નાસિકમાં એક મોટી કાર્યવાહી કરીને 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાના આરોપમાં...
National 
લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જે મહિલાને ડૉક્ટરો દ્વારા...
National 
ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.