રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સામેલ કરવા સૂચન કર્યું

IPL 2025 સીઝન સમાપ્ત થયા પછી તરત જ ભારત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ત્યાં ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાનો છે અને આ ટેસ્ટ શ્રેણી દ્વારા ભારત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરશે. ભારતે છેલ્લા 18 વર્ષમાં ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી અને ભારત આમ કરવા માટે કટિબદ્ધ લાગે છે.

Ravi Shastri
livehindustan.com

આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સ (GT)ના ઓપનર સાઈ સુદર્શનને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સમાવવાની હિમાયત કરી છે, જેણે વર્તમાન IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડાબોડી બેટ્સમેન સતત ઓરેન્જ કેપની રેસમાં રહ્યો છે અને તેણે અત્યાર સુધી રમેલી 9 મેચમાં 456 રન બનાવ્યા છે. સાઈ સુદર્શને અત્યાર સુધી 9 મેચમાં 5 અડધી સદી પણ ફટકારી છે.

Sai Sudharsan
sportsyaari.com

ICC રિવ્યૂમાં બોલતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હું તેમને ભારત માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં જોઉં છું. તે એક ઉત્તમ ખેલાડી છે અને હું ચોક્કસપણે તેના પર નજર રાખીશ. તેણે વધુમાં કહ્યું કે ઇંગ્લેન્ડમાં ડાબોડી બેટ્સમેન હોવાને કારણે અને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ અને તેની ટેકનિક, તે જે રીતે રમે છે તે જાણતા હોવાથી, મને લાગે છે કે તે ટેસ્ટ ટીમમાં જોડાવા માંગતા તમામ ખેલાડીઓની યાદીમાં ટોચ પર હશે. ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું કે, ભારતે ટેસ્ટ સેટ-અપ માટે તેમના ડાબા હાથના સીમ વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.

Team India
amarujala.com

રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમ મેનેજમેન્ટને અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ પર નજર રાખવા વિનંતી કરી. શાસ્ત્રીએ કહ્યું કે, તમારે ડાબા હાથના ઝડપી બોલરની જરૂર છે અને તેને શોધો. તે જે પણ હોય અને ગમે તે હોય, જે સૌથી શ્રેષ્ઠ હોય તેને પસંદ કરો. ખલીલ અહેમદ પણ છે જેની બોલિંગ સારી છે અને તે સારી બોલિંગ કરી રહ્યો છે. તે અર્શદીપ સિંહ પણ હોઈ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.