રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સામેલ કરવા સૂચન કર્યું

IPL 2025 સીઝન સમાપ્ત થયા પછી તરત જ ભારત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ત્યાં ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાનો છે અને આ ટેસ્ટ શ્રેણી દ્વારા ભારત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરશે. ભારતે છેલ્લા 18 વર્ષમાં ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી અને ભારત આમ કરવા માટે કટિબદ્ધ લાગે છે.

Ravi Shastri
livehindustan.com

આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઇટન્સ (GT)ના ઓપનર સાઈ સુદર્શનને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સમાવવાની હિમાયત કરી છે, જેણે વર્તમાન IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડાબોડી બેટ્સમેન સતત ઓરેન્જ કેપની રેસમાં રહ્યો છે અને તેણે અત્યાર સુધી રમેલી 9 મેચમાં 456 રન બનાવ્યા છે. સાઈ સુદર્શને અત્યાર સુધી 9 મેચમાં 5 અડધી સદી પણ ફટકારી છે.

Sai Sudharsan
sportsyaari.com

ICC રિવ્યૂમાં બોલતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હું તેમને ભારત માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં જોઉં છું. તે એક ઉત્તમ ખેલાડી છે અને હું ચોક્કસપણે તેના પર નજર રાખીશ. તેણે વધુમાં કહ્યું કે ઇંગ્લેન્ડમાં ડાબોડી બેટ્સમેન હોવાને કારણે અને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ અને તેની ટેકનિક, તે જે રીતે રમે છે તે જાણતા હોવાથી, મને લાગે છે કે તે ટેસ્ટ ટીમમાં જોડાવા માંગતા તમામ ખેલાડીઓની યાદીમાં ટોચ પર હશે. ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું કે, ભારતે ટેસ્ટ સેટ-અપ માટે તેમના ડાબા હાથના સીમ વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.

Team India
amarujala.com

રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમ મેનેજમેન્ટને અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ પર નજર રાખવા વિનંતી કરી. શાસ્ત્રીએ કહ્યું કે, તમારે ડાબા હાથના ઝડપી બોલરની જરૂર છે અને તેને શોધો. તે જે પણ હોય અને ગમે તે હોય, જે સૌથી શ્રેષ્ઠ હોય તેને પસંદ કરો. ખલીલ અહેમદ પણ છે જેની બોલિંગ સારી છે અને તે સારી બોલિંગ કરી રહ્યો છે. તે અર્શદીપ સિંહ પણ હોઈ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

Related Posts

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.