રિષભ પંતને એરલિફ્ટ કરી મુંબઈ લઈ જવાયો, આ હોસ્પિટલમાં થશે ઓપરેશન

કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત ક્રિકેટર રિષભ પંતને આજે દેહરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો. અહીં કોકિલાબેન હોસ્પિટલમાં તેની આગળની સારવાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ ડૉક્ટર દિનશૉ પારદીવાલાની દેખરેખમાં પંતની ટ્રીટમેન્ટ થશે. ડૉ. પારદીવાલા આ પહેલા સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી ચુક્યા છે.

BCCIએ એ પણ જણાવ્યું છે કે, પંતના ઘૂંટણની લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. પંતની રિકવરી અને ત્યારબાદ રિહેબિલિટેશન પ્રક્રિયા પર બોર્ડની ટીમ નજર રાખશે. 30 ડિસેમ્બરે કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંતને પહેલા રુડકીની સક્ષમ હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્યારબાદથી તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

એક્સિડન્ટમાં પંતને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણના લિગામેન્ટ તૂટવાની વાત સામે આવી હતી. એવામાં હવે BCCIની મેડિકલ ટીમે વધુ સારવાર માટે તેને દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરાવ્યો છે. ભારતીય બોર્ડે જણાવ્યું કે, પંતની સારવારનો ખર્ચ તેના મેડિકલ ઈન્શ્યોરન્સથી કવર થશે. તેમજ, દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવાનો ખર્ચ બોર્ડ ઉઠાવશે. BCCIએ આ મામલામાં અત્યારસુધી પંતની સારવાર કરનારી ઉત્તરાખંડની બે હોસ્પિટલોના વખાણ કર્યા છે પરંતુ, પંત આગળની સારવાર પોતાના એક્સપર્ટ્સની દેખરેખમાં કરાવવા માંગતો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે સવારે થયેલા રોડ એક્સિડન્ટમાં માંડ-માંડ બચ્યો હતો. તેની મર્સિડિઝ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેમા આગ લાગી ગઈ અને પલ્ટી ગઈ. એક્સિડન્ટ બાદ પંત સળગતી કારની બારીનો કાચ તોડીને બહાર નીકળ્યો હતો. લોકો બચાવવા માટે પહોંચ્યા તો બોલ્યો- હું રિષભ પંત છું. તેને માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોકું આવવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.

આ દુર્ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, પંતની મર્સિડિઝ આશરે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી હતી. તેણે એક ગાડીને ઓવરટેક કરી. પછી સામે એક ખાડો આવી ગયો. તેને કારણે કાર પાંચ ફૂટ હવામાં ઉછળીને બસ સાથે અથડાઈ પછી ડિવાઈડર સાથે અથડાઈ અને તેમા આગ લાગી ગઈ. કારમાંથી નીકળીને પંત રોડ ડિવાઈડર પર જ બેઠો હતો. દુર્ઘટનામાં પંતને પાંચ જગ્યાએ ઈજાઓ પહોંચી. તેમા માથુ, જમણા હાથનું કાંડુ, ડાબા પગનો ઘૂંટણ અને અંગૂઠો સામેલ છે. ઘૂંટણ, ઘૂંટી અને કાંડાની ઈજા મહત્ત્વની છે, કારણ કે તેનો ઉપયોગ વિકેટ કીપિંગ માટે જરૂરી છે.

પૂર્વ ઈન્ટરનેશનલ વિકેટકીપર નમન ઓઝા કહે છે કે, જો ઘૂંટણના લિગામેન્ટ ફાટી જાય તો રિકવરીમાં સમય લાગે છે. ઘૂંટણની સામાન્ય ઈજામાંથી રિકવરી કરવામાં પણ ઓછામાં ઓછાં 6 અને વધુમાં વધુ 8 અઠવાડિયા લાગે છે. વિકેટકીપિંગમાં દરેક પોઈન્ટ મેટર કરે છે. ઈજા ક્યાંય પણ હોય, પ્રભાવિત કરે છે. પછી ભલે તે આંગળીની જ ઈજા કેમ ના હોય. પંતને તો કાંડુ, ઘૂંટણ અને ઘૂંટીમાં ઈજા થઈ છે. રિકવરી કરવામાં સમય લાગશે. જોકે, તે યુવાન છે... જલ્દી રિકવરી પણ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.