‘ઘણી ભૂલો કરી છે...’, પ્લેઓફમાંથી બહાર થયા બાદ રિયાન પરાગે જણાવ્યું ક્યાં-ક્યાં થઈ ચૂક

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગે ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 100 રનથી મળેલી નિરાશાજનક હાર બાદ જીતનો શ્રેય મહેમાન ટીમને આપ્યો. તેમણે કહ્યું કે જો તેઓ વિરોધી ટીમને 190 થી 200 રન વચ્ચે રોકી દેતા તો સારું રહેતું. 218 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ્સની ટીમ કરણ શર્મા (3/23), જસપ્રીત બૂમરાહ (2/15) અને ટ્રેન્ટ બોલ્ટ (3/28)ની શાનદાર બોલિંગને સામે 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રોયલ્સ તરફથી, માત્ર જોફ્રા આર્ચર (30) 20 રનનો આંકડો પાર કરી શક્યો.

BLDC fans
goldmedalindia.com

 

રેયાન રિકેલ્ટને 38 બૉલમાં 3 સિક્સ અને 7 ફોરની મદદથી 61 રન બનાવ્યા અને રોહિત શર્મા (36 બૉલમાં 53 રન, 9 ફોર) સાથે પહેલી વિકેટ માટે 116 રન જોડીને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. કેપ્ટન હાર્દિક પંડ્યા (નોટ આઉટ 48, 23 બૉલ, 6 ફોર ગ્ગા, એક સિક્સ) અને સૂર્યકુમાર યાદવ (નોટઆઉટ 48, 23 બૉલ, 4 ફોર, 3 સિક્સ) એ અંતિમ ઓવરોમાં 44 બૉલમાં 94 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમને 2 વિકેટ ગુમાવીને 217 રન સુધી પહોંચાડી હતી.

રિયાન પરાગે મેચ બાદ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે બેટિંગ કરી, તેના માટે તેમને શ્રેય આપવો પડશે. તેમણે વિકેટ બચાવી. હા, 190-200 વચ્ચેનો સ્કોર આદર્શ હોત. અમને સારી શરૂઆત મળી રહી છે, પરંતુ મિડલ ઓર્ડરમાં, મારે અને ધ્રુવે (જુરેલ) ઇનિંગ આગળ વધારવાની છે. અમે ઘણી વસ્તુ સારી અને ખોટી કરી છે. ઘણી ભૂલો કરી છે. અમે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ અને સારી વસ્તુઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.

parag
BCCI

 

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મેચ માટે બેટ અને બૉલથી તેમના માટે શાનદાર રહી. અમે જે રીતે બેટિંગ કરી અને અમે બૉલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, આ એકદમ પરફેક્ટ મેચ હતી. અમે હજી 15 રન બનાવી શકતા હતા. સૂર્યકુમાર અને મેં કહ્યું કે શૉટનું મહત્ત્વ છે. રોહિત અને રેયાને પણ એ જ રીતે બેટિંગ કરી. મને લાગે છે કે તે એકદમ શાનદાર હતું.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.