‘ઘણી ભૂલો કરી છે...’, પ્લેઓફમાંથી બહાર થયા બાદ રિયાન પરાગે જણાવ્યું ક્યાં-ક્યાં થઈ ચૂક

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગે ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 100 રનથી મળેલી નિરાશાજનક હાર બાદ જીતનો શ્રેય મહેમાન ટીમને આપ્યો. તેમણે કહ્યું કે જો તેઓ વિરોધી ટીમને 190 થી 200 રન વચ્ચે રોકી દેતા તો સારું રહેતું. 218 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ્સની ટીમ કરણ શર્મા (3/23), જસપ્રીત બૂમરાહ (2/15) અને ટ્રેન્ટ બોલ્ટ (3/28)ની શાનદાર બોલિંગને સામે 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રોયલ્સ તરફથી, માત્ર જોફ્રા આર્ચર (30) 20 રનનો આંકડો પાર કરી શક્યો.

BLDC fans
goldmedalindia.com

 

રેયાન રિકેલ્ટને 38 બૉલમાં 3 સિક્સ અને 7 ફોરની મદદથી 61 રન બનાવ્યા અને રોહિત શર્મા (36 બૉલમાં 53 રન, 9 ફોર) સાથે પહેલી વિકેટ માટે 116 રન જોડીને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. કેપ્ટન હાર્દિક પંડ્યા (નોટ આઉટ 48, 23 બૉલ, 6 ફોર ગ્ગા, એક સિક્સ) અને સૂર્યકુમાર યાદવ (નોટઆઉટ 48, 23 બૉલ, 4 ફોર, 3 સિક્સ) એ અંતિમ ઓવરોમાં 44 બૉલમાં 94 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમને 2 વિકેટ ગુમાવીને 217 રન સુધી પહોંચાડી હતી.

રિયાન પરાગે મેચ બાદ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે બેટિંગ કરી, તેના માટે તેમને શ્રેય આપવો પડશે. તેમણે વિકેટ બચાવી. હા, 190-200 વચ્ચેનો સ્કોર આદર્શ હોત. અમને સારી શરૂઆત મળી રહી છે, પરંતુ મિડલ ઓર્ડરમાં, મારે અને ધ્રુવે (જુરેલ) ઇનિંગ આગળ વધારવાની છે. અમે ઘણી વસ્તુ સારી અને ખોટી કરી છે. ઘણી ભૂલો કરી છે. અમે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ અને સારી વસ્તુઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.

parag
BCCI

 

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મેચ માટે બેટ અને બૉલથી તેમના માટે શાનદાર રહી. અમે જે રીતે બેટિંગ કરી અને અમે બૉલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, આ એકદમ પરફેક્ટ મેચ હતી. અમે હજી 15 રન બનાવી શકતા હતા. સૂર્યકુમાર અને મેં કહ્યું કે શૉટનું મહત્ત્વ છે. રોહિત અને રેયાને પણ એ જ રીતે બેટિંગ કરી. મને લાગે છે કે તે એકદમ શાનદાર હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલી દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ત્યારે કચ્છમાંથી નકલી વિદેશી દારૂ...
Gujarat 
ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યની 'આધી આબાદી' એટલે કે મહિલા મતદારોને રીઝવવા...
Politics 
BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.