‘ઘણી ભૂલો કરી છે...’, પ્લેઓફમાંથી બહાર થયા બાદ રિયાન પરાગે જણાવ્યું ક્યાં-ક્યાં થઈ ચૂક

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગે ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 100 રનથી મળેલી નિરાશાજનક હાર બાદ જીતનો શ્રેય મહેમાન ટીમને આપ્યો. તેમણે કહ્યું કે જો તેઓ વિરોધી ટીમને 190 થી 200 રન વચ્ચે રોકી દેતા તો સારું રહેતું. 218 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ્સની ટીમ કરણ શર્મા (3/23), જસપ્રીત બૂમરાહ (2/15) અને ટ્રેન્ટ બોલ્ટ (3/28)ની શાનદાર બોલિંગને સામે 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રોયલ્સ તરફથી, માત્ર જોફ્રા આર્ચર (30) 20 રનનો આંકડો પાર કરી શક્યો.

BLDC fans
goldmedalindia.com

 

રેયાન રિકેલ્ટને 38 બૉલમાં 3 સિક્સ અને 7 ફોરની મદદથી 61 રન બનાવ્યા અને રોહિત શર્મા (36 બૉલમાં 53 રન, 9 ફોર) સાથે પહેલી વિકેટ માટે 116 રન જોડીને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. કેપ્ટન હાર્દિક પંડ્યા (નોટ આઉટ 48, 23 બૉલ, 6 ફોર ગ્ગા, એક સિક્સ) અને સૂર્યકુમાર યાદવ (નોટઆઉટ 48, 23 બૉલ, 4 ફોર, 3 સિક્સ) એ અંતિમ ઓવરોમાં 44 બૉલમાં 94 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમને 2 વિકેટ ગુમાવીને 217 રન સુધી પહોંચાડી હતી.

રિયાન પરાગે મેચ બાદ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે બેટિંગ કરી, તેના માટે તેમને શ્રેય આપવો પડશે. તેમણે વિકેટ બચાવી. હા, 190-200 વચ્ચેનો સ્કોર આદર્શ હોત. અમને સારી શરૂઆત મળી રહી છે, પરંતુ મિડલ ઓર્ડરમાં, મારે અને ધ્રુવે (જુરેલ) ઇનિંગ આગળ વધારવાની છે. અમે ઘણી વસ્તુ સારી અને ખોટી કરી છે. ઘણી ભૂલો કરી છે. અમે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ અને સારી વસ્તુઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.

parag
BCCI

 

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મેચ માટે બેટ અને બૉલથી તેમના માટે શાનદાર રહી. અમે જે રીતે બેટિંગ કરી અને અમે બૉલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, આ એકદમ પરફેક્ટ મેચ હતી. અમે હજી 15 રન બનાવી શકતા હતા. સૂર્યકુમાર અને મેં કહ્યું કે શૉટનું મહત્ત્વ છે. રોહિત અને રેયાને પણ એ જ રીતે બેટિંગ કરી. મને લાગે છે કે તે એકદમ શાનદાર હતું.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.