આખરે રોહિત શર્માએ 3 વર્ષ પછી વન-ડેમાં ફટકારી સેન્ચ્યૂરી, માર્યા 6 સિક્સર

ઇંદોર ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છવાઇ ગયો હતો. રોહિતે આ મેચમાં 6 સિક્સર સાથે સદી ફટકારીને હીટમેને પોતાની ક્ષમતા ફરી સાબિત કરી દીધી છે. આગામી મહિનાઓમાં વર્લ્ડકપ રમાવવાનો છે ત્યારે રોહિતનું ફોર્મ દેખાતા ચાહકોએ રાહતની લાગણી અનુભવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ઇંદોર ખાતે રમાયેલી વનડેમાં આખરે 3 વર્ષ પછી સદી ફટકારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં કેપ્ટનનું બેટ ચાલ્યું અને તેણે 2020 પછી સદી ફટકારી છે. વનડેમાં 3 બેવડી સદી ફટકારનાર રોહિત આ વખતે બીજી મોટી ઇનિંગ્સ ચૂકી ગયો અને માત્ર 101 રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી હતી.

ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં સારું ફોર્મ દેખાડનાર કેપ્ટન રોહિત શર્માએ આખરે પોતાની સદી પૂરી કરી છે. ઈંદોરમાં ટોસ હાર્યા બાદ કેપ્ટન અને યુવા ખેલાડી શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે સદીની ભાગીદારી રમી હતી. આ દરમિયાન તેણે 41 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી પણ રોહિતનું ફોર્મ યથાવત રહ્યું હતું અને આક્રામક રમત બતાવીને પોતાની સદી પૂરી કરી. કેપ્ટને 83 બોલમાં 9 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. 85 બોલ રમ્યા બાદ તેની ઈનિંગ 101 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. 101 રન પર રોહિત આઉટ થઇ ગયો હતો.

રોહિત શર્માએ 19 જાન્યુઆરી, 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારી હતી. હવે 3 વર્ષ બાદ તેણે જાન્યુઆરીમાં ફરી સદી ફટકારી છે. રોહિતે ઓગસ્ટ 2022માં ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે નવેમ્બર 2018માં T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. આ વર્ષે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ પહેલા કેપ્ટન રોહિત ટોપ ફોર્મમાં હોવાથી રાહતના સમાચાર છે.

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડેમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે યુવા ઓપનર શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 212 રન જોડ્યા હતા. કેપ્ટનની પાછળ ગીલે પણ 72 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને સદી પૂરી કરી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.