ગાવસ્કરના મતે આ ખેલાડી છે IPL ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન

પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે IPL ની સિઝનના સૌથી શ્રેષ્ઠ કેપ્ટનની જાહેરાત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન જાહેર કરતા ગાવસ્કરે કહ્યું કે, તેના જેવો કેપ્ટન ના ક્યારેય થયો છે અને ના ભવિષ્યમાં થશે. ધોનીએ 12 એપ્રિલે ચેન્નઈમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ઉતરીને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટનના રૂપમાં 200 મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો. આ 41 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન આ ઉપલબ્ધિ હાંસલ કરનારો IPLના ઇતિહાસમાં પહેલો ખેલાડી છે. તેની ટીમ આ મેચ ત્રણ રનથી હારી ગઈ હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે કહ્યું, ચેન્નઈ સુપર કિંગ્સ જાણે છે કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કઈ રીતે બહાર નીકળવાનું હોય છે. આ માત્ર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપથી જ સંભવ બની શક્યું છે. 200 મેચોમાં કેપ્ટનશિપ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આટલી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવી બોજ છે અને તેના કારણે તેનું પ્રદર્શન પણ પ્રભાવિત થઈ શકે છે.

IPL પ્રસારકોની જાહેરાત અનુસાર ગાવસ્કરે કહ્યું, પરંતુ માહી અલગ પ્રકારનો છે. તે અલગ પ્રકારનો કેપ્ટન છે. તેના જેવો કેપ્ટન ના ક્યારેય થયો છે અને ના ભવિષ્યમાં થશે. ધોની IPLની શરૂઆતથી ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. દરમિયાન આ IPL ટીમને તેના અધિકારીઓના ગેરકાયદેસર કામોમાં લિપ્ત મળી આવ્યા બાદ બે વર્ષ (2016-17) માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને ત્યારે 2016માં તેણે 14 મેચોમાં પુણે સુપર જાયન્ટ્સની આગેવાની કરી હતી. આ પ્રકારે તે IPL માં અત્યારસુધી 214 મેચોમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે.

ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વાર IPLનો ખિતાબ જીત્યો છે. ચેન્નઈના કેપ્ટનના રૂપમાં અત્યારસુધી તેનો રેકોર્ડ 120 જીત અને 79 હાર છે જ્યારે, એક મેચનું પરિણામ ના નીકળ્યું. ગાવસ્કરે આ સાથે જ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ વખાણ કર્યા જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને આ સત્રમાં સારી શરૂઆત આપી છે. તેમણે કહ્યું, વિરાટ કોહલીએ RCB ને આ સત્રમાં સારી શરૂઆત અપાવી છે. તેમણે કહ્યું, વિરાટ કોહલી RCBને ઇનિંગની શરૂઆતમાં આક્રામક શરૂઆત આપી રહ્યો છે. RCB ની શાનદાર શરૂઆત માટે ઘણો બધો શ્રેય તેને જાય છે જેને કારણે ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે. આ RCB માટે સારો સંકેત છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.