ઇશાન કિશનની આ હરકત પર નારાજ થયેલા ગાવસ્કર એમ શા માટે બોલ્યા કે-આ ક્રિકેટ નથી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચ 18 જાન્યુઆરી એટલે કે બુધવારે રમાઇ ગઇ. આ મેચમાં ઓપનર શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી. શુભમન ગિલે 149 બૉલમાં 208 રનોની ઇનિંગ રમી, જેમાં 19 ફોર અને 9 સિક્સ સામેલ હતા. શુભમન ગિલ તો મેચ દરમિયાન લાઇમલાઇટમાં રહ્યો જ, ઇશાન કિશને પણ ક્રિકેટર્સ અને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. ઇશાન કિશને એક સમયે મજાકીયા અંદાજમાં સ્ટમ્પ્સ ઉપર બેલ્સ ઉડાવી દીધી, જ્યારે બેટ્સમેન એ સમયે પીચ પર જ ઉપસ્થિત હતો.

આ ઘટના કુલદીપ યાદવ દ્વારા નાખવામાં આવેલી 16મી ઓવર દરમિયાન ઘટી હતી. એ ઓવરના ચોથા બૉલ પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે બૉલને ડિફેન્સ કર્યો. આ દરમિયાન ઇશાન કિશને બેલ્સ પાડીને અપીલ કરી દીધી. ત્યારબાદ ફિલ્ડ અમ્પાયર્સે થર્ડ અમ્પાયર પાસે જવાનું ઉચિત સમજ્યું. રિપ્લેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું હતું કે, ટોમ લેથમનું શરીર સ્ટમ્પ્સ સાથે કોઇ સંપર્ક થયો નહોતો અને તે પીચ પર જ હતો. મેદાન પર લાગેલા મોટા સ્ક્રીન પર રિપ્લે દેખાડવામાં આવતા ઇશાન કિશનના ચહેરા પર હાસ્ય નજરે પડ્યું.

ઇશાન કિશનની આ હરકત ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને મુરલી કાર્તિકને પસંદ ન આવી. કમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ઇશાને જે કર્યું તે ક્રિકેટ નથી. મુરલી કાર્તિકનું પણ માનવું હતું કે ઇશાન કિશને મનોરંજન માટે અપીલ કરવી જોઇતી નહોતી. ઇશાન કિશનને લઇને ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ કુલદીપ યાદવે પોતાની તે ઓવર પૂરી કરી. રસપ્રદ વાત એ છે કે ટોમ લેથમે પણ ભારતની ઇનિંગ દરમિયાન લગભગ એમ જ કર્યું હતું અને હાર્દિક પંડ્યાને એ સમયે ત્રીજા અમ્પાયરે આઉટ પણ આપી દીધો

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 149 બૉલમાં 208 રનોની યાદગાર ઇનિંગ રમી શુભમન ગિલે લોકી ફોર્ગ્યૂંશનના બૉલ પર સતત 3 સિક્સ લગાવતા પોતાની સદી પૂરી કરી. શુભમન ગિલ સિવાય રોહિત શર્માએ 34 અને સૂર્યકુમા યાદવે 31 રનની ઇનિંગ રમી. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી શિપલે અને ડેરીલ મિચેલે 2-2 વિકેટ લીધી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 337 રન પર ઓલઆઉટ થઇ ગઇ અને ભારતીય ટીમે 12 રનથી મેચ જીતવામાં સફળ રહી.   

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.