સિલેકર્સે નસીબ ખોલી નાંખ્યુ,આ 6 ખેલાડીઓ પહેલીવાર T-20 વર્લ્ડકપમાં રમશે

T20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ, T20 વર્લ્ડ કપ, IPL 2024 પછી તરત જ રમાવાની છે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ અને મોહમ્મદ સિરાજ. જ્યારે રિર્ઝવમાં રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાની જાહેરાત પરથી ખબર પડે છે કે પસંદગીકારોએ ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓના નસીબના દરવાજા ખોલી નાંખ્યા છે. આ 6 ખેલાડીઓ પહેલી વખત T-20 વર્લ્ડકપમાં રમવાના છે.

યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. તે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. જયસ્વાલ એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.

સંજુ સેમસને IPL 2024માં જોરદાર પ્રદર્શન કર્યું છે અને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે વર્તમાન સિઝનમાં 378 રન બનાવ્યા છે અને તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. સંજુએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે 25 T 20 મેચોમાં 374 રન બનાવ્યા છે, જેમાં 77 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે.

શિવમ દુબેએ IPL 2024માં સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધીમાં 350 રન બનાવ્યા છે. તે મિડલ ઓવરોમાં આક્રમક બેટિંગ કરે છે. તે કોઈપણ બોલિંગ આક્રમણની ધજ્જિયાં ઉડાવવાની ક્ષમતા ધરાવે છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે.

યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ તે એક પણ મેચ રમી શક્યો ન હતો. પરંતુ આ વખતે તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 13 વિકેટ પોતાના નામે કરી છે. તે T20 વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો મોટો દાવેદાર છે.

મોહમ્મદ સિરાજે વર્ષ 2017માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે T20 વર્લ્ડ કપ 2021 અને 2022માં રમી શક્યો નહોતો. પરંતુ આ વખતે પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમમાં તક મળી છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે.

કુલદીપ યાદવે ભારતીય ટીમ માટે 35 T20 મેચોમાં 59 વિકેટ લીધી છે અને તેની સ્પિનના જાદુથી બચવું સરળ નથી. તેની બોલિંગ ખાસ્સી કિફાયતી હોયછે. તેની પાસે દરેક તીર છે જેનાથી તે વિરોધી બેટ્સમેનોની વિકેટ લઇ શકે છે.T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન મળ્યું છે અને તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે.

About The Author

Related Posts

Top News

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.