શું અશ્વિનનીએ પોસ્ટમાં કોહલી માટે ઉલ્લેખ હતો? એડિલેડ વનડે માં પણ...

23 ઓક્ટોબર (ગુરુવાર)ના રોજ એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. કોહલી ફક્ત ચાર બોલ જ રમી શક્યો અને ખાતું ખોલાવ્યા વગર આઉટ થઇ ગયો. તેને ઝડપી બોલર ઝેવિયર બાર્ટલેટે ઇન-સ્વિંગ બોલ પર LBW આઉટ કર્યો. કોહલી અગાઉ પર્થ વનડેમાં પણ શૂન્ય રને આઉટ થયો હતો, ત્યારે મિશેલ સ્ટાર્કે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. સ્ટાર્કે ઇન-સ્વિંગ બોલથી કોહલીને ફસાવી દીધો હતો.

Ashwin--Virat
hindi.cricket.one

બીજી વનડેમાં, જ્યારે વિરાટ કોહલી આઉટ થયા પછી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે પોતાના મોજા ઉંચા કર્યા અને ભીડ તરફ ઈશારો કર્યો. આ કદાચ કોહલીનો ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે, અને તેથી તે છેલ્લી વખત એડિલેડ ઓવલમાં રમ્યો હશે. જોકે, કોહલીના આ હાવભાવથી ચાહકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

Ashwin--Virat3
abplive.com

એડિલેડ વનડેમાં ભારતની હાર પછી, અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાના X એકાઉન્ટ પર એક રહસ્યમય ફોટો પોસ્ટ કર્યો, જેને ચાહકો વિરાટ કોહલી સાથે જોડીને જોઈ રહ્યા છે.

રવિચંદ્રન અશ્વિને જે ફોટો શેર કર્યો હતો તે સ્પોર્ટ્સવેર બ્રાન્ડ નાઇકીના લોગો જેવો હતો, પરંતુ તેના પર 'જસ્ટ ડુ ઇટ'ને બદલે તેના પર 'જસ્ટ લીવ ઇટ' શબ્દો લખેલા હતા. તેમણે નાઇકીના લોગોને ભારતીય ધ્વજના ત્રણ રંગો (નારંગી, સફેદ અને લીલો)થી પણ બદલ્યો હતો.

Ashwin--Virat1
x.com/ashwinravi99

ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે, રવિચંદ્રન અશ્વિને આ પોસ્ટ વિરાટ કોહલી માટે બનાવી હશે. જો કે, અશ્વિને હજુ સુધી એ સ્પષ્ટતા કરી નથી કે, તેની પોસ્ટ કોહલી વિશે હતી કે નહીં. જો કે, ત્રણ વર્ષ પહેલાં, 23 ઓક્ટોબર, 2022ના રોજ, અશ્વિને પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપ મેચની છેલ્લી ઓવરમાં ચાલાકીપૂર્વક બોલ છોડી દીધો હતો. કદાચ આ પોસ્ટ તેના વિશે પણ હોઈ શકે છે.

Ashwin--Virat4
hindi.news18.com

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે, દરેક મેચના આધારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને સરખાવવો મૂર્ખામીભર્યું હશે. અગરકરે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં રન બનાવવામાં નિષ્ફળ જવાનો અર્થ એ નથી કે તેમને ટીમમાંથી નિકાળી દેવામાં આવે.

આ દરમિયાન, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. ગાવસ્કરે એક મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, જો કોહલી બે કે ત્રણ મેચમાં નિષ્ફળ જાય છે, તો તેને છૂટ આપવી જોઈએ. ગાવસ્કરે કહ્યું કે આ બે વનડે મેચમાં બહુ ફેરફાર નહીં થાય અને કોહલીમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે.

કેટલાક ચાહકોએ એડિલેડ વનડેમાં વિરાટ કોહલીના ગ્લોવ્ઝ ઉંચા કરવાના હાવભાવને વિદાયનો હાવભાવ ગણાવ્યો હતો, પરંતુ સુનીલ ગાવસ્કરે આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે ફક્ત ભીડનું સ્વાગત કરી રહ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, ચાહકોએ વર્ષોથી કોહલી પર ખૂબ પ્રેમ અને આદર વરસાવ્યો છે, અને તેને વિદાયના હાવભાવ તરીકે ખોટી રીતે અર્થઘટન કરવું ખોટું છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.