કોણ છે મિસ્ટ્રી સ્પિનર સુયશ શર્મા? KKRના નવા બ્રહ્માસ્ત્રએ RCBને પાડી ઘૂંટણીએ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને મિસ્ટ્રી સ્પિનર પસંદ આવે છે, આ જ કારણ છે કે તેની પાસે ક્યારેય પણ આ પ્રકારના બોલરોની અછત વર્તાતી નથી. વેસ્ટ ઈન્ડીઝનો ધાકડ સ્પિનર સુનિલ નરીન છેલ્લા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ ભૂમિકા ભજવતો નજરે પડી રહ્યો છે, તો છેલ્લા 1-2 વર્ષથી વરુણ ચક્રવર્તીએ તેનો સાથ આપ્યો છે. હવે કોલકાતા નાઈટ રાઇડર્સે સુયશ શર્માના રૂપમાં નવું બ્રહ્માસ્ત્ર પોતાની ટીમમાં જોડ્યુ છે, જેણે પોતાની ડેબ્યૂ મેચમાં પર સામેવાળી ટીમને ઘૂંટણીયે પાડી દીધી.

સુયશ શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કર્યું અને આ દરમિયાન તેણે 3 વિકેટ લીધી. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કોણ છે સુયશ શર્મા અને કેવી રીતે કોલકાતા નાઈટ રાઇડર્સે આ મિસ્ટ્રી સ્પિનરને શોધ્યો. કોલકાતા નાઈટ રાઇડર્સના CEO વેંકી મૈસૂરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના ઓક્શનમાં સુયશ શર્માને ખરીદ્યા બાદ કહ્યું હતું કે, તેમણે આ સ્પિનર માટે વધુ બજેટ નક્કી કર્યું હતું, પરંતુ તેમને તે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં જ મળી ગયો.

વેંકી મૈસૂરે જણાવ્યું હતું કે, સુયશ શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સના સ્કાઉટનો વિચાર છે, જેણે તેને અંડર-25 મેચ દરમિયાન ઓળખ્યો હતો. દિલ્હીના સુયશ શર્માની આ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પહેલી T20 મેચ હતી. આ અગાઉ ન તો તેણે કોઈ T20 મેચ રમી હતી અને ન તો કોઈ લિસ્ટ-A કે ફર્સ્ટ ક્લાસ મેચ. તે દિલ્હીની અંડર-19 ટીમ માટે રમે છે, જ્યાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ તેને શોધીને લાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કોલકાતા નાઈટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન સીટમાં સુયશ શર્માનું નામ નહોતું. તેને ઇમ્પેક્ટ ખેલાડીના રૂપમાં કેપ્ટન નીતિશ રાણાએ બીજી ઇનિંગમાં ઉપયોગ કર્યો. નીતિશ રાણાનો આ પેતરો સાચો પડ્યો અને આ સ્પિનરે પોતાની પહેલી જ મેચમાં 3 વિકેટ લઈને કમાલ કરી દીધી. સુયશ શર્માને દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કરણ શર્મામાં રૂપમાં 3 સફળતાઓ મળી. મેચની વાત કરીએ તો ટોસ હારીને કોલકાતા નાઈટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. 205 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રન પર સમેટાઇ ગઈ હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.