રહસ્યમય બોલનો માસ્ટર વરુણ ચક્રવર્તી... હરભજને જણાવ્યું શું છે તેની બોલિંગમાં ખાસ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2O25માં ન્યુઝીલેન્ડ સામે રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વરુણની ઉત્તમ બોલિંગને કારણે ભારતીય ટીમ 44 રનથી જીતી ગઈ. સતત ત્રણ જીતને કારણે ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોચ પર રહી. હવે સેમિફાઇનલમાં, તેનો મુકાબલો 4 માર્ચ (મંગળવાર)ના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે.

વરુણ ચક્રવર્તી પહેલી બે મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર હતો, પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ સામેની પ્લેઇંગ-11માં આશ્ચર્યજનક એન્ટ્રી કરી. મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો આ નિર્ણય 'માસ્ટર સ્ટ્રોક' સાબિત થયો. આમ પણ, વરુણને મુખ્ય કોચ ગંભીરનો 'પસંદગી'નો સ્પિનર ​​માનવામાં આવે છે. આનું એક મોટું કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથેનું જોડાણ છે. ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા કે તરત જ વરુણ પણ લગભગ 3 વર્ષ પછી ઓક્ટોબર 2024માં ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો. આ પછી તેણે પાછળ ફરીને જોયું જ નથી અને તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

Varun Chakravarthy
bhaskarhindi.com

વરુણ ચક્રવર્તીની IPLમાં એન્ટ્રી રહસ્યમય બોલિંગને કારણે થઈ હતી. વરુણે પોતે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે, તે 7 પ્રકારે બોલિંગ કરી શકે છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, ટો યોર્કરનો સમાવેશ થાય છે. તેમનો આ દાવો પણ સાચો સાબિત થઈ રહ્યો છે અને બેટ્સમેન તેમના બોલને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.

હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે વરુણ ચક્રવર્તીની રહસ્યમય બોલિંગને ડીકોડ કરી છે. ભજ્જી માને છે કે, વરુણ દ્વારા ફેંકવામાં આવેલા બોલની લંબાઈને ઓળખવાનો પ્રયાસ કરતી વખતે બેટ્સમેન ભૂલો કરી રહ્યા છે. હરભજને કહ્યું કે, 'વરુણ એક આત્મવિશ્વાસુ બોલર છે. હરભજને આશા વ્યક્ત કરી કે, વરુણ ચેમ્પિયન્સ ટ્રોફીના નોકઆઉટ મેચોમાં પણ સારું પ્રદર્શન કરશે.'

Varun Chakravarthy
hindi.news18.com

હરભજન સિંહે મીડિયા સૂત્રને કહ્યું, 'જાદુઈ વાત એ છે કે, તેણે વધારે ક્રિકેટ રમ્યું નથી. આ સૌથી મહત્વની વાત છે. બીજી વાત એ છે કે, બેટ્સમેનોને તેના વિશે વધુ ખબર નથી હોતી કે તે કેવા પ્રકારનો બોલ ફેંકશે. તેના હાથની ગતિ ખૂબ જ ઝડપી છે અને બેટ્સમેન બોલ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે જોવા માટે તેના હાથ તરફ જોતો નથી. બેટ્સમેન બોલ પીચ પર પડ્યા પછી તેને ઓળખવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તમારે બોલરનો હાથ જોવો પડશે, સ્પિનર ​​કેવી રીતે બોલિંગ કરી રહ્યો છે અને બોલ તમારી તરફ કેવી રીતે આવી રહ્યો છે. સિવાય કે, તમે બોલની લંબાઈને ઓળખવામાં ભૂલ કરો છો.'

હરભજન સિંહે આગળ કહ્યું, 'ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ભૂલ કરી અને તેમણે વરુણના હાથ તરફ જોયું નહીં. તે એવા બોલરોમાંથી એક છે, જે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેણે ઈંગ્લેન્ડ સામે ઘણી વિકેટો લીધી છે. તેને આ મેચ જીતતા અને ભારતની સફળતામાં યોગદાન આપતા જોઈને સારું લાગ્યું. મને આશા છે કે તે સેમિફાઇનલ અને ફાઇનલમાં પણ પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે.'

Varun Chakravarthy
hindi.thesportstak.com

૩૩ વર્ષીય વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધીમાં 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 33 વિકેટ લીધી છે. જ્યારે તેના નામે બે વનડે મેચમાં 6 વિકેટ છે. વરુણે પોતાની કારકિર્દીમાં ફક્ત એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે એક વિકેટ લીધી છે. વરુણને સફેદ બોલ ક્રિકેટનો માસ્ટર માનવામાં આવે છે, જે તેના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. તેણે 25 લિસ્ટ A મેચોમાં 65 વિકેટ લીધી છે. તેણે 106 T-20 મેચોમાં 138 વિકેટ ઝડપી છે. વરુણે 71 IPL મેચોમાં 83 વિકેટ લીધી છે.

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં વરુણ ચક્રવર્તીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPL 2024માં, વરુણે 15 મેચોમાં 21 વિકેટ લીધી. વરુણનો જન્મ કર્ણાટકના બિદરમાં થયો હતો. તે ઘરેલુ ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમે છે. IPL 2019 પહેલા થયેલી હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) દ્વારા વરુણને 8.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો.

Varun Chakravarthy
bbc.com

સ્થાનિક તમિલનાડુ T20 ટુર્નામેન્ટમાં વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનાથી તત્કાલીન પંજાબ ફ્રેન્ચાઇઝ કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પ્રભાવિત થયા હતા. વરુણમાં ઘણી વિવિધતાઓ છે. 2020માં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા તેમના સ્પિન બોલિંગ વિભાગને મજબૂત બનાવવા માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. તેણે નિરાશ ન કર્યો અને 2020ની IPL સીઝનમાં 20.94ની સરેરાશથી 17 વિકેટ લીધી. ત્યારથી, તે સમાચારમાં છવાયેલો છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.