શું ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ સંન્યાસ લેશે રોહિત શર્મા? વાઇસ કેપ્ટન શુભમન ગિલે કહી આ વાત કહી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રવિવારે (9 માર્ચ) ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.  આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.  આ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગીલે રોહિત શર્માના સંન્યાસ પર મોટું નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં, ગિલે મેચના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પછી સંન્યાસ લેશે, શું આ અંગે ડ્રેસિંગ રૂમમાં અથવા ટીમના સભ્યો વચ્ચે કોઈ ચર્ચા થઈ છે?  ગિલે આ અંગે સ્પષ્ટતા કરી છે.

Shubman-Gill-Rohit-Sharma
cricket.one

ગિલે જવાબમાં કહ્યું, 'અત્યારે તો અમારા જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  ટીમમાં આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.  આ અંગે રોહિત ભાઈ જ નિર્ણય કરશે.  અત્યારે તે માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  હાલમાં, આ અંગે કોઈ ચર્ચા નથી.

મોટી મેચનું દબાણ ચોક્કસપણે રહે છે.

 શું ભારતીય ટીમ પર ફાઈનલ માટે દબાણ છે?  આના જવાબમાં ગિલે કહ્યું, 'મોટી મેચનું દબાણ જરૂર રહે છે.  પરંતુ ફાઈનલના દિવસે જે ટીમ સામાન્ય મેચની જેમ રમે છે તેના પર દબાણ નથી આવતું.  એ જ ટીમ જીતે પણ છે.  પરંતુ, આ કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું જ મુશ્કેલ છે.

Shubman-Gill-Rohit-Sharma2
sudarshannews.in

ગિલે કોહલીનું નામ લેતા કહ્યું, 'અનુભવની ભૂમિકા  (મોટી મેચોમાં) હોય છે.  છેલ્લી મેચમાં વિરાટ તેનું ઉદાહરણ છે.  તેણે ઘણી ફાઈનલ રમી છે અને દબાણને સારી રીતે સંભાળ્યું છે.  તમે પેટર્ન જાણો છો અને તેથી જ તે મહત્વપૂર્ણ છે.'

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લૈથમ, ડેરીલ મિચેલ, વિલિયમ ઓરોર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમ્સન, વિલ યંગ, જૈકબ અને કાઈલ જૈમીસન. 

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.