શું ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ સંન્યાસ લેશે રોહિત શર્મા? વાઇસ કેપ્ટન શુભમન ગિલે કહી આ વાત કહી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રવિવારે (9 માર્ચ) ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.  આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.  આ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગીલે રોહિત શર્માના સંન્યાસ પર મોટું નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં, ગિલે મેચના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પછી સંન્યાસ લેશે, શું આ અંગે ડ્રેસિંગ રૂમમાં અથવા ટીમના સભ્યો વચ્ચે કોઈ ચર્ચા થઈ છે?  ગિલે આ અંગે સ્પષ્ટતા કરી છે.

Shubman-Gill-Rohit-Sharma
cricket.one

ગિલે જવાબમાં કહ્યું, 'અત્યારે તો અમારા જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  ટીમમાં આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.  આ અંગે રોહિત ભાઈ જ નિર્ણય કરશે.  અત્યારે તે માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  હાલમાં, આ અંગે કોઈ ચર્ચા નથી.

મોટી મેચનું દબાણ ચોક્કસપણે રહે છે.

 શું ભારતીય ટીમ પર ફાઈનલ માટે દબાણ છે?  આના જવાબમાં ગિલે કહ્યું, 'મોટી મેચનું દબાણ જરૂર રહે છે.  પરંતુ ફાઈનલના દિવસે જે ટીમ સામાન્ય મેચની જેમ રમે છે તેના પર દબાણ નથી આવતું.  એ જ ટીમ જીતે પણ છે.  પરંતુ, આ કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું જ મુશ્કેલ છે.

Shubman-Gill-Rohit-Sharma2
sudarshannews.in

ગિલે કોહલીનું નામ લેતા કહ્યું, 'અનુભવની ભૂમિકા  (મોટી મેચોમાં) હોય છે.  છેલ્લી મેચમાં વિરાટ તેનું ઉદાહરણ છે.  તેણે ઘણી ફાઈનલ રમી છે અને દબાણને સારી રીતે સંભાળ્યું છે.  તમે પેટર્ન જાણો છો અને તેથી જ તે મહત્વપૂર્ણ છે.'

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લૈથમ, ડેરીલ મિચેલ, વિલિયમ ઓરોર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમ્સન, વિલ યંગ, જૈકબ અને કાઈલ જૈમીસન. 

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.