વર્લ્ડ કપને લઇ સેહવાગની મોટી ભવિષ્યવાણી, આ ખેલાડી બનાવશે સૌથી વધુ રન

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં 50 દિવસથી પણ ઓછો સમય બાકી છે. ભારતની મેજબાનીમાં થનારી આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરના રોજ ફાઇનલ રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ તોફાની ઓપનર વિરેન્દર સેહવાગે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના હિટમેન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહેશે. રોહિત શર્મા 2019માં પણ સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન હતો. તેણે 9 મેચમાં 648 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં 8 ઓક્ટોબરના રોજ રમાશે. સેહવાગે કહ્યું કે ભારતમાં બેટિંગને અનૂકૂળ પરિસ્થિતિને કારણે ઓપનર બેટ્સમેનોની પાસે આવનારા વનડે વર્લ્ડ કપ દરમિયાન ચમકવાની તક રહેશે. એક ઈવેન્ટમાં સેહવાગને સવાલ કરવામાં આવ્યો હતો કે 2023 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કોણ બનાવશે?

વિરેન્દર સેહવાગે આ ખેલાડીને સિલેક્ટ કર્યો

વિરેન્દર સેહવાગે રોહિત શર્માને પસંદ કર્યો અને કહ્યું, ભારત પાસે સારી વિકેટ છે. માટે મને લાગે છે કે ઓપનરોની પાસે સારી તક છે. જો કોઇ એકને પસંદ કરવાનો હોય તો રોહિત શર્માનું નામ લઇશ. અમુક અન્ય નામો છે પણ હું ભારતીય છું અને મારે એક ભારતીયને જ સિલેક્ટ કરવો જોઇએ. માટે રોહિત શર્મા.

સેહવાગે ભારતીય ઓપનર અને કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી અને કહ્યું કે વર્લ્ડ કપમાં મોટેભાગે તેનું સારું પ્રદર્શન રહ્યું છે. જ્યારે વર્લ્ડ કપ આવે છે તો તેની ઉર્જા અને પ્રદર્શન ટોચ પર રહે છે. માટે મને વિશ્વાસ છે કે તે સારુ રમશે. આ વખતે તે કેપ્ટન પણ છે. મને વિશ્વાસ છે કે તે બદલાવ લાવશે અને ખૂબ રન બનાવશે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

2019નો વનડે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાયો હતો અને તેમાં રોહિતે સૌથી વધારે રન બનાવ્યા હતા. 9 મેચોમાં તેણે 81ની સરેરાશથી 648 રન બનાવ્યા હતા. જેમાં પાંચ સદી સામેલ છે. કુલ મળીને 244 વનડે મેચોમાં 36 વર્ષીય ખેલાડીએ 48.69ની સરેરાશથી 9837 રન બનાવ્યા છે. જેમાં 30 સદી અને 48 હાફ સેન્ચ્યુરી સામેલ છે. આ વર્ષે રોહિતે દરેક ફોર્મેટમાં સારુ પ્રદર્શન કર્યું છે. રોહિતે આ વર્ષે ક્રિકેટના દરેક ફોર્મેટમાં 16 મેચોમાં 48.57ની સરેરાશથી 923 રન બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.