25 વર્ષના દીકરાની મા શ્રમિક પરિવારના બાળકને ઉઠાવીને ભાગવાની હતી, પછી...

સુરતના લાલગેટ વિસ્તારમાંથી શ્રમિકના બાળકના અપહરણની ઘટના સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તાતીથૈયા ગામની ઘટનાની જેમ જ લાલગેટની ઘટનામાં પણ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક એક્શન લઈને મહિલા અપહરણકર્તાને શોધી કાઢી હતી અને બાળકને તેની પકડમાંથી છોડાવ્યું હતું અને બાળકના અસલી માતા-પિતાને સોંપ્યું હતું. અજાણ્યા શહેરમાં ગુમાવેલા પોતાનું વ્હાલસોયું બાળક ફરી એકવાર હાથમાં લેતા પોલીસ સ્ટેશનમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક શ્રમિક દંપતી પોતાના 2 બાળકો સાથે ફૂટપાથ પર રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બાળકની માતા સાહિસ્તા શેખ જ્યારે રવિવારી બજારમાં કપડાં ખરીદવા ગઈ હતી, ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈ સુરેખાએ બાળકનું અપહરણ કર્યું અને સુરત રેલ્વે સ્ટેશનથી ટ્રેન દ્વારા વલસાડ પોતાના ગામ ભાગી ગઈ. જ્યારે તે બાળકની માતા પાછી ફરી ત્યારે બાળક નહોતું. ત્યારબાદ આસપાસ તપાસ કરી છટ પોતાનું બાળક ન મળતા આ દંપતી આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી.

woman2
divyabhaskar.co.in

ઘટનાની જાણ થતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. 60-70 લોકોએ આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં એક મહિલા બાળકને લઈ જતી કેદ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ મહિલાને ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધાર્યા. તપાસ દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી લઈ નવસારી, વલસાડ સુધીના સ્ટેશનો પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડના લીલાપુર વિસ્તારમાંથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી.

woman
gujaratijagran.com

બાળકનું અપહરણ કરનાર મહિલાની ઓળખ સુરેખા નાયક તરીકે થઈ છે. સુરેખા નાયકના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને 25 વર્ષનો એક દીકરો પણ છે, જોકે તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે અત્યારે બીજા શખ્સ સાથે રહેતી હતી. આ નવા સંબંધમાંથી સંતાન ન થતા બાળકોની ખોટ પૂરી પાડવા માટે તેણે આ બાળકનું અપહરણ કર્યું હતું.

woman1
divyabhaskar.co.in

પોલીસે આપેલી માહિતી અનુસાર, તપાસમાં એમ પણ ખુલ્યું કે સુરેખા સુરેખા નાયકે સુરતમાં 3-4 વખત રેકી કરી હતી. આ અગાઉ તેણે હાલોલ, પાવાગઢ અને વડોદરા જેવા વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં પોતાના ઇરાદામાં સફળ ન થતા તેણે સુરતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અપહરણ કર્યા બાદ તે બાળકને લઈને આસામ ભાગવાની તૈયારીમાં હતી. તેના માટે તેણે સામાન પણ તૈયાર કરી રાખ્યો હતો. જોકે પોલીસની સતર્કતાને કારણે આ મહિલા પકડાઈ ગઈ છે.

થોડા દિવસ અગાઉ તાતીથૈયા ગામમાંથી માત્ર દોઢ વર્ષના બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પોલીસે તત્પરતા દાખવી 12 કલાકની અંદર જ હેમખેમ છોડાવી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સુપ્રત કર્યો હતો. અપહરણના આ ગુનામાં સંડોવાયેલા નિ:સંતાન દંપતીને બારડોલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI ...
Gujarat 
અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.