25 વર્ષના દીકરાની મા શ્રમિક પરિવારના બાળકને ઉઠાવીને ભાગવાની હતી, પછી...

સુરતના લાલગેટ વિસ્તારમાંથી શ્રમિકના બાળકના અપહરણની ઘટના સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તાતીથૈયા ગામની ઘટનાની જેમ જ લાલગેટની ઘટનામાં પણ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક એક્શન લઈને મહિલા અપહરણકર્તાને શોધી કાઢી હતી અને બાળકને તેની પકડમાંથી છોડાવ્યું હતું અને બાળકના અસલી માતા-પિતાને સોંપ્યું હતું. અજાણ્યા શહેરમાં ગુમાવેલા પોતાનું વ્હાલસોયું બાળક ફરી એકવાર હાથમાં લેતા પોલીસ સ્ટેશનમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક શ્રમિક દંપતી પોતાના 2 બાળકો સાથે ફૂટપાથ પર રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બાળકની માતા સાહિસ્તા શેખ જ્યારે રવિવારી બજારમાં કપડાં ખરીદવા ગઈ હતી, ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈ સુરેખાએ બાળકનું અપહરણ કર્યું અને સુરત રેલ્વે સ્ટેશનથી ટ્રેન દ્વારા વલસાડ પોતાના ગામ ભાગી ગઈ. જ્યારે તે બાળકની માતા પાછી ફરી ત્યારે બાળક નહોતું. ત્યારબાદ આસપાસ તપાસ કરી છટ પોતાનું બાળક ન મળતા આ દંપતી આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી.

woman2
divyabhaskar.co.in

ઘટનાની જાણ થતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. 60-70 લોકોએ આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં એક મહિલા બાળકને લઈ જતી કેદ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ મહિલાને ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધાર્યા. તપાસ દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી લઈ નવસારી, વલસાડ સુધીના સ્ટેશનો પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડના લીલાપુર વિસ્તારમાંથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી.

woman
gujaratijagran.com

બાળકનું અપહરણ કરનાર મહિલાની ઓળખ સુરેખા નાયક તરીકે થઈ છે. સુરેખા નાયકના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને 25 વર્ષનો એક દીકરો પણ છે, જોકે તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે અત્યારે બીજા શખ્સ સાથે રહેતી હતી. આ નવા સંબંધમાંથી સંતાન ન થતા બાળકોની ખોટ પૂરી પાડવા માટે તેણે આ બાળકનું અપહરણ કર્યું હતું.

woman1
divyabhaskar.co.in

પોલીસે આપેલી માહિતી અનુસાર, તપાસમાં એમ પણ ખુલ્યું કે સુરેખા સુરેખા નાયકે સુરતમાં 3-4 વખત રેકી કરી હતી. આ અગાઉ તેણે હાલોલ, પાવાગઢ અને વડોદરા જેવા વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં પોતાના ઇરાદામાં સફળ ન થતા તેણે સુરતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અપહરણ કર્યા બાદ તે બાળકને લઈને આસામ ભાગવાની તૈયારીમાં હતી. તેના માટે તેણે સામાન પણ તૈયાર કરી રાખ્યો હતો. જોકે પોલીસની સતર્કતાને કારણે આ મહિલા પકડાઈ ગઈ છે.

થોડા દિવસ અગાઉ તાતીથૈયા ગામમાંથી માત્ર દોઢ વર્ષના બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પોલીસે તત્પરતા દાખવી 12 કલાકની અંદર જ હેમખેમ છોડાવી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સુપ્રત કર્યો હતો. અપહરણના આ ગુનામાં સંડોવાયેલા નિ:સંતાન દંપતીને બારડોલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

Kia પહેલાથી જ EV6, EV9 અને Siros જેવા મોડેલો સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. હવે, કંપની...
Tech and Auto 
કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.