અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ, પૂર્વ મંત્રીએ કૌભાંડનો લગાવ્યો આરોપ

બિહાર સરકારે 2,400 મેગાવોટના ભાગલપુર (પીરપૈંટી) થર્મલ પાવર પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયા પછી અદાણી પાવર લિમિટેડને આપી દીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ ત્રણ અન્ય દાવેદારોની સરખામણીમાં સૌથી ઓછો પાવર ટેરિફની બોલી લગાવી હતી. ટેન્ડર પ્રક્રિયાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, અદાણી પાવરે પ્રોજેક્ટ માટે પ્રતિ યુનિટ રૂ. 6.075ની બોલી લગાવી હતી, જે ટોરેન્ટ પાવર, JSW એનર્જી અને લલિતપુર પાવર જનરેશનની બોલીઓની સરખામણીમાં સૌથી ઓછી છે.

આ દરમાં પ્રતિ યુનિટ રૂ. 4.165નો ફિક્સ્ડ ચાર્જ અને પ્રતિ યુનિટ રૂ.1.91નો ફ્યુઅલ ચાર્જ શામેલ છે. બિહાર સરકારે આ દરને ખૂબ જ સ્પર્ધાત્મક દર તરીકે વર્ણવ્યો હતો, અને કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તાજેતરમાં આ જ પ્રકારના પ્રોજેક્ટ માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 4.222થી રૂ. 4.298 પ્રતિ યુનિટ સુધીનો હતો. રાજ્ય સરકારે રાજ્યની વધતી જતી વીજળી માંગને પહોંચી વળવા માટે આ ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું. એવો અંદાજ છે કે, 2034-35 સુધીમાં રાજ્યની વીજળીની માંગ બમણી થઈને 17,000 મેગાવોટથી વધુ થઈ જશે.

Pirpainti-Thermal-Power-Plant.jpg-2

ટોરેન્ટ પાવરે પ્રતિ યુનિટ 6.145 રૂપિયા, લલિતપુર પાવરે પ્રતિ યુનિટ 6.165 રૂપિયા અને JSW એનર્જીએ પ્રતિ યુનિટ 6.205 રૂપિયાની બોલી લગાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આખી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તમામ દરખાસ્તોનું મૂલ્યાંકન E-બિડિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત થવાની અપેક્ષા છે, જેનાથી રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ અને રોજગારમાં નોંધપાત્ર વધારો થશે.

જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અદાણી ગ્રુપ કંપનીને આ પાવર પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો તે રાજકીય વિવાદ બની ગયો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય ઊર્જા પ્રધાન R.K. સિંહે બિહારમાં વીજળી ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ K C વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'બિહારમાં અદાણી ગ્રુપને ખાસ છૂટછાટો આપવામાં આવી રહી છે. પ્રતિ યુનિટ છ રૂપિયાના દરે વીજળી ખરીદવાનો પ્રસ્તાવ ગરીબ અને મધ્યમ વર્ગના પૈસા PM નરેન્દ્ર મોદીના નજીકના ઉદ્યોગપતિઓને આપવા સમાન છે.'

Pirpainti-Thermal-Power-Plant.jpg-3

જોકે, સૂત્રોએ પ્રોજેક્ટ ફાળવણી અંગે લગાવાયેલા આ આરોપોને નકારી કાઢ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, ઉત્પાદન ખર્ચમાં તાજેતરના વધારા છતાં પ્રતિ યુનિટ 6.075 રૂપિયાનો દર સ્પર્ધાત્મક છે અને તેમાં અદાણી પાવરને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. પ્રોજેક્ટ માટે નિર્ધારિત જમીન રાજ્ય સરકારની માલિકીની છે અને બિહાર ઔદ્યોગિક રોકાણ પ્રમોશન નીતિ, 2025 હેઠળ નજીવા ભાડા પર ભાડે આપવામાં આવી છે. પ્રોજેક્ટની મુદત પૂરી થયા પછી જમીન રાજ્ય સરકારને પરત કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, અદાણી પાવરને કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી અને કંપની પાવર પ્લાન્ટ વિકસાવવા અને ચલાવવા માટે જવાબદાર રહેશે. ભાગલપુર પ્રોજેક્ટ સૌપ્રથમ 2012માં બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, પરંતુ પૂરતા રોકાણકારો ન મળવાને કારણે 2024માં તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.