એક ખીસકોલીના કારણે 2 સ્કૂલ સહિત 10 હજાર ઘરોની બત્તી ગુલ

તમે વિચાર્યું પણ નહીં હશે કે, એક નાની ખિસકોલીના આખા શહેરને હેરાન કરી શકે છે. અમેરિકાના વર્જીનિયા શહેરમાં એક આવો જ કિસ્સો બન્યો છે. અહીં એક ખિસકોલીના કારણે 10 હજાર ઘરો અને 2 સ્કૂલોની વિજળી ચાલી ગઇ છે. વિસ્તારમાં વિજળી આપૂર્તિ કરનારી કંપનીના સબ સ્ટેશનની વિજળી સપ્લાઇમાં ફોલ્ટ આવી ગયો અ તે વિસ્તારમાં લગભગ 1 કલાક સુધી લોકો વગર વિજળીએ હેરાન થયા. વિજળી વિભાગે ઘણી કોશિશ બાદ સમસ્યાને દૂર કરી અને વિજળી સપ્લાઇ ચાલુ કરી.

આ ઘટના અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં 7મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે લગભગ 8.45 કલાકે થઇ. ડોમિનિયન એનર્જીની પ્રવક્તા બોનિતા બિલિંગ્સલી હેરિસે એક ટ્વીટ કરતા કહ્યું કે, 7મી સપ્ટેમ્બરના રોજ સવારે એક સમયે એક ખિસકોલી એક સબ સ્ટેશનના એક સર્કિટ બ્રેકર અને ટ્રાન્સફોર્મર વચ્ચે ઘુસી ગઇ હતી. તેનાથી સ્પાર્ક થયો અને ટ્રાન્સફોર્મર ખરાબ થઇ ગયું. તેનાથી ખીસકોલીનું પણ મોત થયું. બોનિટાએ કહ્યું કે, આ ફોલ્ટને શોધવામાં એક કલાકથી વધારેનો સમય લાગ્યો.

તેમણે કહ્યું કે, સબ સ્ટેશનમાં જીવ જંતુઓને ઘુસવાથી રોકવા માટે જાળીઓ લગાવવામાં આવી છે, પણ આ વખતે ખબર નથી કે, ખીસકોલી અંદર કઇ રીતે ગઇ અને થોડી જ પળોમાં આ પ્રકારનું મોટું નુકસાન થયું. તેમણે કહ્યું કે, વિજળી કપાતા પહેલા કેમ્પ્સવિલ હાઇ સ્કૂલ અને ફેરફીલ્ડ એલીમેન્ટ્રી સ્કૂલ પણ પ્રભાવિત થઇ. આ જગ્યા પર લગભગ 1 કલાક બાદ જ્યારે ફોલ્ટ ઠીક કરવામાં આવ્યો ત્યારે વિજળી ફરીથી ચાલુ થઇ ગઇ.

ખિસકોલી દ્વારા વિજળી સપ્લાઇ ઠપ થઇ જવાની ખબર ખૂબ ફેલાઇ ગઇ. આ વાત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ. લોકો આ ખબરને અલગ અલગ પ્લેટફોર્મ પર ઉઠાવીને પોત પોતાની રીતે શેર કરવા લાગ્યા હતા. અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ આ ખબર પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા હતા અને બીજી બાજુ અન્ય લોકો તેને વિજળી વિભાગની બેદરકારી ગણાવી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.