યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે અને રાજદ્વારી તણાવ ચરમસીમાએ છે. આ ઘટનાક્રમની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

1. ઇરાનમાં જાનહાનિનો આંકડો 2000ની નજીક

ઇરાનના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર અલી જાફરિયાને 'અલ જઝીરા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમેરિકા અને ઇઝરાયેલ સામેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇરાનમાં ઓછામાં ઓછા 1,937 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે, જે યુદ્ધની ભયાનકતા દર્શાવે છે.

01

2. ગલ્ફ દેશોનો આકરો વિરોધ: તમામ મર્યાદાઓ ઓળંગી

ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (GCC) ના સેક્રેટરી જનરલ જાસેમ મોહમ્મદ અલ્બુદૈવીએ ઇરાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કેઇરાને ગલ્ફ દેશો પર હુમલા કરીને અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) બંધ કરીને તમામ 'રેડ લાઇન' ઓળંગી દીધી છે. તેમણે આ હુમલાઓ રોકવા માટે તાત્કાલિક રાજદ્વારી ઉકેલ (Diplomatic Solution) લાવવાની હાકલ કરી છે.

3. જોર્ડન પર મિસાઇલ હુમલા

જોર્ડનની સેનાએ દાવો કર્યો છે કે ઇરાને છેલ્લા 24 કલાકમાં જોર્ડન તરફ ત્રણ મિસાઇલો છોડી હતી. જોકે, જોર્ડનની ડિફેન્સ સિસ્ટમે આ ત્રણેય મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.

Donald Trump
prabhatkhabar.com

4. ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઇરાની અધિકારીઓને આકરી ચેતવણી આપી છે. તેમણે લખ્યું બહુ મોડું થઈ જાય તે પહેલાં ઇરાની અધિકારીઓએ વાટાઘાટોમાં ગંભીરતા બતાવવી જોઈએ. એકવાર સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ પછી પાછા વળવાનો કોઈ રસ્તો નહીં હોય (NO TURNING BACK), અને તે દ્રશ્ય બહુ ભયાનક હશે!

5. પાકિસ્તાનની મધ્યસ્થી અને મલેશિયાને રાહત

વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડારે જણાવ્યું કે ઇસ્લામાબાદ આ યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે અને બંને દેશોના સંદેશા એકબીજા સુધી પહોંચાડી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જાહેરાત કરી છે કે ઇરાન, ઇજિપ્ત અને તુર્કીના નેતાઓ સાથેની વાતચીત બાદ હવે મલેશિયાના જહાજોને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

03

ભારત માટે એક રાહતની ખબર એ આવી છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજને પસાર થવા માટે મંજૂરી આપવામાં આવી છે.

 એક તરફ જાનહાનિ વધી રહી છે અને બીજી તરફ ટ્રમ્પની ચેતવણીએ વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. જો આગામી દિવસોમાં મધ્યસ્થી નિષ્ફળ જશે, તો વૈશ્વિક સ્તરે ઊર્જા અને આર્થિક સંકટ વધુ ઘેરું બનશે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.