એક મહિલા કર્મચારીએ કંપનીના 80 કરોડ રૂપિયા જુગારમાં ઉડાવ્યા

એક મહિલાએ 80 કરોડ રૂપિયાથી વધારેની રકમ પાર્ટી કરવામાં અને જુગાર રમવામાં ઉડાવી દીધી છે. આ કર્મચારી મહિલાનું પ્રોફેશન વકીલનું છે. દગાખોરીનો કેસ સામે આવ્યા પછી કંપનીએ ખુબ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. કંપનીએ મહિલા વિરૂદ્ધ કેસ કર્યો છે. મહિલાને પોતાની સફાઇ આપવા માટે કંપનીએ 20 દિવસનો સમય આપ્યો છે.

આ મહિલા વકીલ સારા જેકલિન કિંગ કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં રહે છે. તે બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં હાજર LDR ઇન્ટરનેશનલ લિમિટેડમાં કાર્યરત હતી. સારા પર આરોપ લાગ્યો છે કે, તેણે કંપનીના પૈસા પોતાના અંગત સ્વાર્થ માટે ઉડાવ્યા. સારા વિરૂદ્ધ 11મી ફેબ્રુઆરીના રોજ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન, દગાખોરી, ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

LDR ઇન્ટરનેશનલ લિમિટેડે દાવો કર્યો છે કે, સારા લાસ વેગાસ ગઇ હતી. ત્યાં એક આલીશાન ક્લબ રિસોર્ટમાં થોભી હતી. આ દરમિયાન તેમણે સતત જુગાર રમ્યો છે. તે સ્ટ્રિપ ક્લબમાં પણ ગઇ હતી. સારા જેકલિન કિંગ પર શંકાની શરૂઆત જાન્યુઆરીમાં થઇ. જ્યારે ખબર પડી કે, તેણે લોનને લઇને મોટી ગડબડ કરી છે. LDR ઇન્ટરનેશનલ લિમિટેડે કાઇન્ડ લેન્ડિગને 80 કરોડ રૂપિયાથી વધારેની રકમની કુલ 97 લોન આપી હતી. પણ, તપાસમાં સામે આવ્યું છે કે, જે લોન આપવામાં આવી છે, તેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે, દરેક ગોટાળા પાછળ સારા જ છે. સારાએ ભારે રકમ ખર્ચ કરી નાખી છે.

એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, સારા જેકલિન કિંગનો પૂર્વ પતિ મોરોક્કો ચાલ્યો ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કેસમાં તે પણ કથિત રૂપે શામેલ છે. જોકે, આ કેસમાં તેનું નામ શામેલ કરવામાં નથી આવ્યું. સારા જેકલિન કિંગને 20 દિવસની અંદર અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ જ તેના વિરૂદ્ધ કોર્ટમાં સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે. સુનાવણી બાદ જો ગુના સાબિત થશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સજા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.