‘હંમેશાં પાકિસ્તાન સાથે સારા સંબંધ ઈચ્છતા હતા પણ..’, ભારતની પાકિસ્તાન પર ટિપ્પણી

ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના શાંતિ વાળા નિવેદન પર ગુરુવારે એટલે કે, 19મી જાન્યુઆરીના રોજ જવાબ આપ્યો છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે જ્યાર સુધી આતંકવાદ ખતમ ન થાય ત્યાર સુધી વાતચીત ન થશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે લોકો પણ હંમેશા પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધ ઈચ્છતા હતા, પણ તેના માટે આતંકવાદ ન હોય, હંમેશાથી હિંદુસ્તાનનું એ જ માનવું રહ્યું છે.

આ જવાબ હિંદુસ્તાને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના નિવેદન પર આપ્યો છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને એક પાઠ ભણી લીધો છે અને તે ભારતની સાથે શાંતિથી રહેવા માગે છે. શરીફે એ વાત પર ભાર મૂક્યો કે બન્ને પાડોશીઓએ બોમ્બ અને હથિયારો પર પોતાના સંસાધનોને બરબાદ ન કરવા જોઇએ.

શહબાઝ શરીફે સોમવારે એટલે કે, 16મી જાન્યુઆરીના રોજ દુબઇ સ્થિત અલ અરબિયા સમાચાર ચેનલની સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ કાશ્મીર મુદ્દે તથા પાકિસ્તાનથી ઉત્પન્ન થનારા સરહદ પાર આતંકવાદને લઇને તણાવપૂર્ણ રહ્યા છે. શરીફે કહ્યું કે, ભારતની સાથે અમારા ત્રણ યુદ્ધ થયા છે તેમાં અમારા લોકો માટે વધારે દુખ, ગરીબી અને બેરોજગારી જ પૈદા થઇ છે. તેમણે કહ્યું કે, ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે, આવો અને આપણે ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા જ્વલંત મુદ્દાને હલ કરવા માટે ગંભીર અને ઇમાનદાર વાતચીત કરીએ.

શહબાઝ શરીફે કહ્યું કે, અમે પોતાનો સબક શીખી લીધો છે અને અમે શાંતિથી રહેવા ચાહીએ છીએ એ શરત પર કે અમે અમારી વાસ્તવિક સમસ્યાઓને હલ કરવામાં સક્ષમ થઇએ. અમે ગરીબીને ઓછી કરવા માગીએ છીએ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માગીએ છીએ અને પોતાના લોકોને શિક્ષા તથા સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર પ્રદાન કરવા માગીએ છીએ. બોમ્બ અને હથિયારો પર પોતાના સંસાધનોને બરબાદ નથી કરવા માગતા. હું આ જ સંદેશ વડાપ્રધાન મોદીને આપવા માગુ છું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના ઇન્ટર્વ્યુમાં આપવામાં આવેલી ટિપ્ણીઓ જોઇ છે. પણ ત્યાર બાદ પણ પાકિસ્તાન PMO તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. પહેલા પણ નિવેદન આવ્યા જે અલગ અલગ પ્રકારના છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.