‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

Balochistan Liberation Army claims control of Surab city, sets police stations govt buildings ablaze

બલૂચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બલૂચિસ્તાનના કલાત ડિવિઝનમાં સ્થિત સુરાબ શહેર પર કબજો કરી લીધો છે. ધ બલૂચિસ્તાન પોસ્ટના સમાચાર અનુસાર, BLAના વિદ્રોહીઓએ સુરાબ શહેરમાં બેન્ક, પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી પ્રતિષ્ઠાનોને પોતાના કબજામાં લઈ લીધા છે. BLAએ એમ પણ કહ્યું છે કે, આ સંબંધમાં મીડિયાને જલદી જ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

BLA
x.com/BalochistanPost

 

બલૂચિસ્તાન લાંબા સમયથી આઝાદીની માગ કરી રહ્યું છે. બલૂચ અમેરિકન કોંગ્રેસના મહાસચિવ રઝાક બલૂચે પણ ભારત અને અમેરિકાને બલૂચ સ્વતંત્રતા આંદોલનનું સમર્થન કરવાની અપીલ પણ કરી હતી. હવે BLAના આ દાવાએ શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની ઊંઘ હરામ કરી દીધી છે. ધ બલૂચિસ્તાન પોસ્ટે જાણકારોના સંદર્ભે દાવો કર્યો કે, BLAના સેકડો હથિયારધારી લડવૈયાઓએ સુરાબ શહેર પર હુમલો કરીને સુરક્ષાકર્મીઓને ઘૂંટણો ટેકવવા પર મજબૂર કરી દીધા.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઘણા સરકારી વાહનોને આગ લગાવી દેવામાં આવી. BLAએ ઘણા હાઇવે પર પોતાની ચોકીઓ સ્થાપિત કરી લીધી છે અને પાકિસ્તાની સુરક્ષાબળોને ત્યાંથી ભાગવા મજૂબર કરી દીધા છે. જોકે, પાકિસ્તાની સરકાર કે સેના તરફથી અત્યાર સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. બલૂચ અમેરિકન કોંગ્રેસે કહ્યું હતું કે, જો ભારત બલૂચિસ્તાનની આઝાદીનું સમર્થન કરે, તો બલુચિસ્તાનના દરવાજા ભારત માટે ખૂલી જશે.

BLAએ આ મહિનાની શરૂઆતમાં ક્વેટા-કરાચી હાઇવે બંધ કરી દીધો હતો અને વાહનો રોકીને તપાસ કરી હતી. BLAના સભ્યોએ કલાતના મોંગોચર બજારમાં ઘૂસીને ઘણી સરકારી ઇમારતોમાં તોડફોડ કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. તેમાં નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી, ન્યાયિક પરિસર અને નેશનલ બેન્ક ઓફ પાકિસ્તાન જેવી ઇમારતો સામેલ હતી.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.