UNના વડાની ચેતવણી- ગરીબોનું જીવવાનું મુશ્કેલ કરી દેશે મંદી

વેપાર યુદ્ધને કારણે મંદીના જોખમો અંગે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે, મંદીના ગંભીર પરિણામો આવી શકે છે. આનાથી વિશ્વના સૌથી ગરીબ લોકો માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગરીબ લોકોને મંદીના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. UN સેક્રેટરી જનરલ કહે છે કે, તેમને આશા છે કે આવું નહીં થાય.

Antonio-Guterres3
ddnews.gov.in

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે મંગળવાર, 8 એપ્રિલ, 2025ના રોજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાના થોડા કલાકો પહેલાં જણાવ્યું હતું કે, 'મને ખરેખર આશા છે કે આપણે ત્યાં મંદી નહીં આવે, કારણ કે મંદીના ગંભીર પરિણામો આવશે, ખાસ કરીને વિશ્વના સૌથી ગરીબ લોકો માટે.' તેમણે કહ્યું, 'વેપાર યુદ્ધો અત્યંત નુકસાનકારક છે. આમાં કોઈ જીતતું નથી, બધા હારે છે.' મહાસચિવે વધુમાં કહ્યું, 'હું ખાસ કરીને સૌથી સંવેદનશીલ વિકાસશીલ દેશો વિશે ચિંતિત છું, કારણ કે તેની અસર તેમના પર વધુ ગંભીર હશે.'

Donald-Trump
hindi.business-standard.com

ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે 9 એપ્રિલ, 2025, બુધવારની મધ્યરાત્રિથી અમલમાં આવશે. તેના જવાબમાં, બેઇજિંગે 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)એ જણાવ્યું હતું કે, વેપારમાં સુધારાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાય રહી છે. UNCTADના સેક્રેટરી-જનરલ રેબેકા ગ્રીન્સપેને કહ્યું: 'આજના પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક વેપાર નિયમોમાં ફેરફાર કરવો આવશ્યક છે, પરંતુ આ ફેરફારોમાં એ પણ સુનિશ્ચિત karavu જોઈએ કે તેઓ સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરે અને વિકાસને પ્રોત્સાહન આપે.' તેમણે કહ્યું, 'આ સમય એક થવાનો છે, તણાવ વધારવાનો નહીં.'

Antonio-Guterres
india.com

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ એન્જેલા અલાર્ડે જણાવ્યું હતું કે, સંગઠનના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે, US અને અન્ય દેશો દ્વારા લેવામાં આવેલા તાજેતરના ટેરિફ પગલાં આ વર્ષે વૈશ્વિક વેપારમાં લગભગ એક ટકાનો ઘટાડો કરી શકે છે. આ અગાઉના 3 ટકાના વૃદ્ધિ અંદાજથી લગભગ 4 ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો હશે. એલાર્ડે જણાવ્યું હતું કે, 'WTO સિસ્ટમને નબળી પાડવાના પ્રયાસો છતાં, 74 ટકા વૈશ્વિક વેપાર હજુ પણ WTO મોસ્ટ-ફેવર્ડ-નેશન (MFN) શરતો હેઠળ થાય છે.તેમણે કહ્યું કે, આ દર્શાવે છે કે WTO સુસંગત રહે છે અને બહુપક્ષીય વ્યવસ્થા અસરકારક રીતે કાર્ય કરી રહી છે. WTO અનુસાર, ચીન અને કેનેડાએ અમેરિકા સાથે પોતાના વિવાદો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે WTO માળખા હેઠળ પરામર્શ માટે હાકલ કરી છે, જે બંને પક્ષોને વાટાઘાટો કરવાની તક આપશે અને મુકદ્દમા ટાળવા માટે 60 દિવસનો સમય આપશે. જો આ સફળ ન થાય, તો તેઓ પેનલ દ્વારા નિર્ણય લેવાની વિનંતી કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.