યુક્રેનના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું પરંતુ... શું ઝેલેન્સ્કીની નવી શરત માનશે ટ્રમ્પ?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે, પરંતુ એક શરત છે. આ શરત છે- યુક્રેનને NATOમાં સામેલ કરવામાં આવે. રવિવારે કીવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું હતું કે, જો મારા રાજીનામાથી યુક્રેનમાં શાંતિ આવે છે, તો હું તૈયાર છું. પરંતુ બદલામાં યુક્રેનને NATOમાં જગ્યા મળવી જોઇએ.

ટ્રમ્પે ઝેલેન્સકીને સરમુખત્યાર અને સામાન્ય કોમેડિયન કહીને તેમની નિંદા કરી હતી. આમ છતા, ઝેલેન્સકીએ ટ્રમ્પ પાસે આશા વ્યક્ત કરી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ વાર્તામાં સક્રિય ભૂમિકા ભજવશે. ઝેલેન્સકીએ ટ્રમ્પને ઘેરતા કહ્યું હતું કે, મને આશા છે કે ટ્રમ્પ માત્ર મધ્યસ્થ નહીં, પરંતુ યુક્રેનના સાચા સાથી બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર વાતચીતથી આ યુદ્ધ સમાપ્ત નહીં થઈ શકે.

1647932874ZELENSKY-_PUTIN

નિષ્ણાતોનું માનવું છે કે ઝેલેન્સકીનું આ નિવેદન એક પ્રકારનો રાજકીય દાવ પણ હોઈ શકે છે. તેઓ NATO અને અમેરિકા પર દબાવ બવવા માગે છે જેથી તેને વધુ લશ્કરી અને આર્થિક મદદ મળી શકે.

યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પહેલા રશિયાનો યુક્રેન પર મોટો હુમલો

રશિયાએ યુક્રેનમાં મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ થયો હતો. ઝેલેન્સકીએ રવિવારે કહ્યું હતું કે મોસ્કોએ રાતભરમાં 200 કરતા વધુ ડ્રોન હુમલા કર્યા. રિપોર્ટ મુજબ, યુક્રેનની વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 138 ડ્રોનને તોડી પાડ્યા હતા, 119 અન્ય રડાર પરથી ગાયબ થઈ ગયા, સાથે જ રશિયાએ 3 બેલિસ્ટિક મિસાઇલો પણ છોડી હતી.

volodymyr zelenskyy
weforum.org

 

યુક્રેનના 5 પ્રદેશોમાં નુકસાનના સમાચાર મળ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેન પર કુલ 1,150 ડ્રોન, 1,400 કરતા વધુ હવાઈ બોમ્બ અને વિભિન્ન પ્રકારની 35 મિસાઇલો છોડી હતી.

About The Author

Related Posts

Top News

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ...
Opinion 
મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

ધોરણ 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર છપાયેલા QR કોડે સોશિયલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો...
Education 
ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.