પોતાની આળસના કારણે કરોડપતિ બની આ મહિલા, બતાવી 4 સરળ ટિપ્સ

આ મહિલાનો દાવો છે કે તેણે કોઈ નવી સ્કિલ શીખ્યા વિના માત્ર પોતાની આળસના દમ પર ખૂબ પૈસા કમાઈ લીધા છે. હવે તે કરોડપતિ બની ગઈ છે. મહિલાનું નામ પાવિની લર્ટજીતબેનજોંગ છે. તે 42 વર્ષની છે. તેનું કહેવું છે કે તેણે લાંબા સમય સુધી મહેનત કરવાના ચક્કરમાં પોતાની જિંદગી બરબાદ કરી દીધી. જો કે, લગ્ન તૂટ્યા બાદ તેનું નસીબ બદલાવા લાગ્યું. એ સમયે પાવિની લર્ટજીતબેનજોંગ પર 100,000 ડૉલર (લગભગ 83 લાખ રૂપિયા)નું દેવું થઈ ગયું હતું. જેના કારણે તેને પોતાની જિંદગીમાં કેટલાક બદલાવ કરવા પડ્યા. હવે તે બીજાઓને આળસુ રહેતા અમીર બનવાની ટિપ્સ આપી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, પાવિની લર્ટજીતબેનજોંગ અમેરિકાના ન્યૂજર્સીની રહેવાસી છે. તે એક વર્ષમાં 380,000 ડૉલર (લગભગ 3.16 કરોડ રૂપિયા) કરતા વધુની કમાણી કરે છે અને તેના માટે પોતાને કોઈ પણ કષ્ટ આપવું પડતું નથી. તે ઘર બેઠી જ કામ કરે છે અને ક્યારેય ઓવરટાઈમ કરતી નથી. પાવિની લર્ટજીતબેનજોંગ કહે છે કે હું પોતાને આળસુ કરોડપતિ કહું છું કેમ કે મેં પોતાના પૈસા કોઈ પણ નવી સ્કિલ શીખ્યા વિના કમાયા છે. હું ઘરમાં બેસીને કામ કરું છું, જિમ પર પૈસા બરબાદ કરતી નથી. હું એક આળસુ લાઈફસ્ટાઇલને અપનાવું છું અને તેણે મને વધુ સારી બનાવી દીધી છે.

પાવિની લર્ટજીતબેનજોંગ કહે છે કે, તેના માતા-પિતા થાઈલેન્ડના બેંકોકથી અમેરિકા આવેલા શરણાર્થી હતા. તેને લાગે છે કે તેને બાકી લોકોથી 10 ગણી મહેનત કરવી પડશે. તેણે કહ્યું કે, પહેલા તે મહેનત ભરેલા કામ માટે પણ હા પાડી દેતી હતી. લોકોને ખુશ કરવાનો પ્રયાસમાં લાગેલી રહેતી હતી, જેથી કોઈ સારો અવસર હાથથી ન નીકળી જાય. લાગતું હતું કે સફળતા માત્ર મહેનતથી જ મળી શકે છે. પ્રમોશન માટે ખૂબ મહેનત કરવી પડતી હતી, પરંતુ વર્ષ 2019માં લગ્ન તૂટ્યા. માર્ચ 2020માં છૂટાછેડા થયા બાદ લીગલ ફિસના કારણે દેવું વધી ગયું હતું. ત્યારે કોરોના આવી ગયો અને પછી કેટલાક બદલાવ કર્યા. પાવિનીએ લોકોને અમીર બનવાની ટિપ્સ આપી છે.

જો તમને રોજ ભોજન બનાવવાનું પસંદ નથી તો વિકેન્ડનો એક દિવસ કાઢો. પછી આખા અઠવાડિયાના ભોજનની વ્યવસ્થા કરી લો.

પોતાના બધા બિલ તરત આપી દો. તેને પછી માટે ટાળી નહીં.

 જિમમાં મેમ્બરશીપ પર ખર્ચ કરવાની ચિંતા ન કરો. ભોજન લેવા માટે બસ થોડા પગલાં ચાલી લો.

નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં જતા બચો. જો તમારે લોકો સાથે ઓળખ વધારવી હોય તો જઈ શકો છો.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.