સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલા ડેટા દ્વારા આ વાત બહાર આવી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ રકમ ઘટીને 3.25 અબજ સ્વિસ ફ્રેંક (આશરે રૂ. 36,793 કરોડ) થઈ ગઈ છે. આનું કારણ સ્વિસ નાણાકીય સંસ્થાઓ અને સ્થાનિક શાખાઓ દ્વારા રાખવામાં આવેલા ભંડોળમાં થયેલો ઘટાડો છે.

સ્વિસ નેશનલ બેંક (SNB) અનુસાર, 2025ના અંત સુધીમાં સ્વિસ બેંકો દ્વારા રાખવામાં આવેલી કુલ રકમ 3250.5 મિલિયન સ્વિસ ફ્રેંક (આશરે રૂ. 36,793 કરોડ) છે, એટલે કે આ એ રકમ છે, જે સ્વિસ બેંકો દ્વારા જવાબદાર રકમનું પ્રતિનિધિત્વ કરે છે.

આ રકમનો સૌથી મોટો ભાગ, એટલેકે 2.6 અબજ સ્વિસ ફ્રેંક (CHF 2.6 અબજ), 'બેંકોને ચૂકવવાપાત્ર રકમ' તરીકે રાખવામાં આવ્યો હતો. આનો અર્થ એ કે, આ નાણાં અન્ય બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિટ્ઝર્લૅન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ વર્ષે આ શ્રેણીમાં લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જોકે, ગ્રાહકો દ્વારા જમા કરાયેલી રકમ કંઈક અલગ જ વાર્તા કહે છે.

2025માં વ્યક્તિગત અને સંસ્થાકીય ગ્રાહકોના ખાતામાં જમા કરાયેલા નાણાં 50 ટકાથી વધુ વધીને 524 મિલિયન સ્વિસ ફ્રેંક (લગભગ રૂ. 6,000 કરોડ) થયા. જો કે આ વધારો ખુબ મોટો હોવા છતાં, તે હજુ પણ સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલી કુલ સંપત્તિના માત્ર 16 ટકાનું જ પ્રતિનિધિત્વ કરે છે.

Indian Funds-Swiss Banks
punjabkesari.in

વિશ્વાસપાત્ર અથવા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલી રકમ 2024માં 41 મિલિયન સ્વિસ ફ્રેંકથી ઘટીને 18.6 મિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ, એટલે કે એમાં લગભગ 55 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સાધનોમાં રોકાણ કરાયેલી રકમ પણ 2024માં 135 મિલિયન સ્વિસ ફ્રેંકથી ઘટીને 105.7 મિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ.

2025માં, સ્વિસ બેંક ખાતાઓમાં ભારતીય ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલી થાપણોમાં વધારો થયો, પરંતુ ટ્રસ્ટ અને રોકાણ કરવા માટે રાખવામાં આવેલી રકમમાં ઘટાડો થયો. એકંદરે, સ્વિસ બેંકોમાં મોટાભાગના ભારતીય ભંડોળ હજુ પણ અન્ય બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રાખવામાં આવે છે.

બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા રાખવામાં આવતી સીધી થાપણોનો એક અલગ રેકોર્ડ રાખે છે, જેને ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ બંને વધુ વિશ્વસનીય માને છે. આ મુજબ, 2025માં ભારતીય વ્યક્તિઓ દ્વારા થાપણો 20 ટકા વધીને આશરે 89.73 મિલિયન ડૉલર (આશરે રૂ. 780 કરોડ) થઈ. સતત 3 વર્ષના ઘટાડા પછી, 2024માં આ રકમ 6 ટકા વધી. જોકે, 2007માં આ રકમ 2.3 બિલિયન ડૉલરથી વધુ હતી, એટલે કે હવે તેનાથી પણ ઘણી ઓછી છે.

કુલ ભારતીય ભંડોળની વાત કરીએ તો, 2025માં તે ઘટીને 3.25 બિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ, જે 2024માં 3.5 બિલિયન સ્વિસ ફ્રેંક હતી. 2021માં, તે 14 વર્ષની ઊંચી સપાટી 3.83 બિલિયન સ્વિસ ફ્રેંક પર પહોંચી ગઈ. 2007માં સ્વિસ બેંકોમાં ભારતીયોના સૌથી વધુ નાણાં 6.5 અબજ સ્વિસ ફ્રેંક હતા. તેથી, આંકડાકીય રીતે જોવા જઈએ તો, છેલ્લા બે દાયકામાં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંનો ગ્રાફ ઘટી રહ્યો છે, જોકે કેટલાક વર્ષોમાં ક્યારેક ક્યારેક તેમાં વધારો પણ થયો છે.

Indian Funds-Swiss Banks
lokmatnews.in

એક સમાચાર એજન્સી અનુસાર, 2025માં ભારતીયોના કુલ નાણાંમાં ઘટાડો 2024માં તીવ્ર વધારા પછી થયો છે. 2024માં, સ્વિસ બેંકોમાં ભારતીયોના કુલ નાણાંનું પ્રમાણ વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેંક થયું, જે 2021 પછીનું સૌથી વધુ સ્તર છે. આ પહેલા, 2021માં, આ રકમ 3.83 અબજ સ્વિસ ફ્રેંક સુધી પહોંચી ગઈ, જે 14 વર્ષમાં સૌથી વધુ છે.

જોકે, 2006માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંનું સૌથી વધુ પ્રમાણ 6.5 અબજ સ્વિસ ફ્રેંક હતું. ત્યારથી, સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંનો ગ્રાફ ઘટી રહ્યો છે. જોકે, કેટલાક વર્ષોમાં, જેમ કે 2011, 2013, 2017, 2020, 2021, 2022, 2023 અને 2024માં ક્યારેક ક્યારેક વધારો પણ થયો છે. તેથી, લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોઈએ તો, ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ તે સતત, વાર્ષિક ઘટાડો નથી.

અહીં તમને બતાવી દઈએ કે, આ આંકડા બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (SNB)ને સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવેલી માહિતી પર આધારિત છે અને તેને સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા કથિત 'કાળા નાણાં' તરીકે ન ગણી શકાય. આ ઉપરાંત, તેમાં ભારતીયો, NRIs અથવા અન્ય લોકો દ્વારા ત્રીજા દેશોમાં કંપનીઓ અથવા સંસ્થાઓ દ્વારા સ્વિસ બેંકોમાં રાખવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.

સ્વિસ સત્તાવાળાઓએ સતત કહ્યું છે કે, સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલી બધી સંપત્તિઓને 'કાળા નાણાં' ગણી શકાય નહીં. ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે કર ​​બાબતોમાં ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન (AEX) વ્યવસ્થા 2018થી અમલમાં છે. આ વ્યવસ્થા હેઠળ, ભારતીય ખાતાધારકોની વિગતવાર નાણાકીય માહિતી સૌપ્રથમ સપ્ટેમ્બર 2019માં ભારતીય કર અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી અને ત્યારથી તે દર વર્ષે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, જો ભારત નાણાકીય ગેરરીતિઓના પ્રથમ દૃષ્ટિએ પુરાવા પ્રદાન કરે છે, તો સ્વિટ્ઝર્લૅન્ડ તે બાબતને લગતી માહિતી પણ શેર કરે છે. આજ સુધી, આવા સેંકડો કેસોમાં માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું છે.

ભારતની સ્થિતિ અંગે, 2024માં સ્વિસ બેંકોમાં પૈસા રાખનારા દેશોની યાદીમાં ભારત 48મા ક્રમે હતું, જે 2025માં આગળ વધીને 46મા ક્રમે આવ્યું. 2024ના અંતમાં ભારતીય ગ્રાહકોની કુલ સંપત્તિ 1.5 અબજ સ્વિસ ફ્રેંક હતી, જે પાછલા વર્ષની તુલનામાં આશરે 6 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Indian Funds-Swiss Banks
punjabkesari.in

સ્વિસ બેંકોમાં વિદેશી ગ્રાહકોની સંપત્તિના સંદર્ભમાં UK પ્રથમ ક્રમે છે. બ્રિટિશ ગ્રાહકોના આશરે 192 અબજ સ્વિસ ફ્રેંક જમા હતા, ત્યારપછી US (75 અબજ સ્વિસ ફ્રેંક) અને ફ્રાન્સ (63 અબજ સ્વિસ ફ્રેંક) આવે છે. ટોચના 10 દેશોમાં વેસ્ટ ઈન્ડિઝ, જર્મની, હોંગકોંગ, સિંગાપોર, લક્ઝમબર્ગ, UAE અને નેધરલેન્ડ્સનો પણ સમાવેશ થાય છે. એકંદરે, 2025માં સ્વિસ બેંકોમાં વિદેશી ગ્રાહકોની થાપણો આશરે 8 ટકા ઘટીને 1.05 ટ્રિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ.

ભારતના પડોશી દેશો, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્વિસ બેંકોમાં જમા રકમમાં પણ ફેરફાર જોવા મળ્યા.

સ્વિસ બેંકોમાં પાકિસ્તાની ગ્રાહકોની થાપણો 272 મિલિયન સ્વિસ ફ્રેંકથી ઘટીને 257 મિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ. આ ઘટાડા પછી, પાકિસ્તાનનું રેન્કિંગ 108મા સ્થાને આવી ગયું.

જ્યારે બાંગ્લાદેશની બાબતમાં આ સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત હતી. ત્યાં થાપણો 43 ટકા વધીને 842 મિલિયન સ્વિસ ફ્રેંક થઈ ગઈ, જેના કારણે 2024ના અંત સુધીમાં બાંગ્લાદેશ 81મા સ્થાને પહોંચી ગયું.

સરળ શબ્દોમાં કહીએ તો, સ્વિસ બેંકોમાં પાકિસ્તાનની થાપણોમાં ઘટાડો થયો, જ્યારે બાંગ્લાદેશની થાપણોમાં ખુબ મોટો વધારો થયો. ભારત 46મા સ્થાને રહ્યું, એટલે કે ભારતીયોની રકમ અને રેન્કિંગ બંને આ બે દેશો કરતા વધારે હતા.

About The Author

Related Posts

Top News

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું

શિવસેના (UBT) ના બળવાખોર સાંસદ નાગેશ પાટીલ આષ્ટીકરે રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની પુષ્ટિ કરી દીધી છે....
Politics 
શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું

નીતિન ગડકરી કહે છે દેશમાં પાણીની કોઈ કમી નથી, બીજી બાજુ મુંબઈના તળાવોમાં 9 ટકા જ પાણી છે! અઠવાડિયામાં 2-3 દિવસ પાણી કાપ

મુંબઈવાસીઓને ચોમાસા માટે થોડી વધારે રાહ જોવી પડશે. કોંકણથી જ ચોમાસું આગળ વધતું ન હોવાને કારણે, જે 23 જૂને...
National 
નીતિન ગડકરી કહે છે દેશમાં પાણીની કોઈ કમી નથી, બીજી બાજુ મુંબઈના તળાવોમાં 9 ટકા જ પાણી છે! અઠવાડિયામાં 2-3 દિવસ પાણી કાપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.