‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

ગાઝામાં હમાસ સામે યુદ્ધ, લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ અને લગભગ છેલ્લા મહિનાથી ઇરાન સાથે ચાલી રહેલું યુદ્ધ. ઇઝરાયલ હાલમાં એકસાથે અનેક મોરચે હિંસક સંઘર્ષોમાં ફસાયેલું છે. જેને કારણે, ઇઝરાયલી સુરક્ષા દળો ભારે દબાણ હેઠળ છે. ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF)ના ચીફ ઓફ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે, સૈન્યમાં મેનપાવરની કમી અંગે આપી છે. તેમનું માનવું છે કે જો નવી ભરતી ન થઈ, તો IDF કોલેપ્સ કરી જશે.

ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયલની સુરક્ષા કેબિનેટ 25 માર્ચે એક બેઠક માટે બોલાવી હતી. આ બેઠક દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે ચેતવણી આપી હતી કે જો મેનપાવરની અછત પૂરી ન થઈ તો IDF ટૂંક સમયમાં તૂટી શકે છે. તેમણે બેઠક દરમિયાન સૈન્ય સંબંધિત 10 રેડ ફ્લેગ (જોખમના સંકેત) બતાવ્યા.

IDF Chief
thehindu.com

IDF ચીફે જણાવ્યા 10 રેડ ફ્લેગ:

1. જવાનોની ભારે અછત: યુદ્ધ લાંબુ ખેચાવા અને ઘણા મોરચાઓ પરના સંઘર્ષને કારણે સક્રિય સૈનિકો અને અનામત દળોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

2. મિશન વધતો બોજ: વર્તમાન સૈનિકો પર તેમની ક્ષમતા કરતા વધુ ફરજનું દબાણ પડી રહ્યું છે.

3. રિઝર્વ ફોર્સનો થાક: વારંવાર મોરચા પર બોલાવવાન કારણે, રિઝર્વ સૈનિકોમાં પણ શારીરિક અને માનસિક થાકની ફરિયાદો આવી છે.

4. અર્થતંત્ર પર અસર- રિઝર્વ સૈનિકોની લાંબા સમય સુધી તૈનાતીથી રાષ્ટ્રીય અર્થતંત્ર અને તેમના વ્યક્તિગત રોજગાર બંને પર ગંભીર હાનિકારક અસર પડી રહી છે.

5. હથિયારોનો પુરવઠો- ઇઝરાયલ છેલ્લા 900 દિવસોથી ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં રોકાયેલું છે. તેને કારણે દારૂગોળો અને લશ્કરી સાધનોના ભંડારમાં ઘટાડો થવાનું જોખમ વધી રહ્યું છે.

6. કમાન્ડરોની અછત- ફ્રન્ટ લાઇન પર ઉપલબ્ધ અનુભવી ફિલ્ડ કમાન્ડરો અને અધિકારીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

IDF Chief
aninews.in

7. ભરતીમાં અસમાનતા- સમાજના અમુક વર્ગો (જેમ કે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓ)ને ફરજિયાત સેવામાંથી મુક્તિ આપવાથી બાકીના સૈનિકોમાં રોષ ભડકી રહ્યો છે.

8. તાલીમનો અભાવ- યુદ્ધમાં સતત વ્યસ્ત રહેવાને કારણે, નવી ભરતીઓ અને હાલના એકમો માટે નિયમિત તાલીમની અવગણના કરવામાં આવી રહી છે.

9. માનસિક સ્વાસ્થ્ય કટોકટી- લાંબા સમય સુધી યુદ્ધના મોરચા પર તૈનાત રહેવાથી સૈનિકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)ના કેસો વધી રહ્યા છે.

10. ઇન્ટરનલ સ્ટ્રક્ચરલ કોલેપ્સ- જો તાત્કાલિક નવા સૈનિકોની ભરતી અને સંસાધનોનું સંચાલન ન કરવામાં આવ્યું તો લશ્કર આંતરિક રીતે તૂટી શકે છે.

ઇઝરાયલ ઓક્ટોબર 2023થી યુદ્ધમાં છે

7 ઓક્ટોબર, 2023. હમાસે ઇઝરાયલ પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટના બાદથી, ઇઝરાયલ સતત યુદ્ધ અને સંઘર્ષમાં ફસાયેલું છે. ઇઝરાયલી સરકારના આંકડાઓ અનુસાર, 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિવિધ સંઘર્ષોમાં કુલ 1,152 ઇઝરાયલી સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. આ જાનહાનિમાં ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF), ઇઝરાયલ પોલીસ, શિન બેટ (સુરક્ષા એજન્સી) અને નાગરિક કટોકટી પ્રતિક્રિયા ટીમોના સભ્યોનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

ગાઝામાં હમાસ સામે યુદ્ધ, લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ અને લગભગ છેલ્લા મહિનાથી ઇરાન સાથે ચાલી રહેલું યુદ્ધ. ઇઝરાયલ હાલમાં...
World 
‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

જન્મ તારીખનો દાખલો નથી એટલે ગુજરાતની મહિલા 3 વર્ષથી પતિને મળવા કેનેડા નથી જઇ શકતી

પાસપોર્ટ મેળવવા માટે જન્મનું પ્રમણપત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે તેના એક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની ડોલી વડાલિયા કેનેડામાં રહેતા...
Gujarat 
જન્મ તારીખનો દાખલો નથી એટલે ગુજરાતની મહિલા 3 વર્ષથી પતિને મળવા કેનેડા નથી જઇ શકતી

ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા

વર્ષ 2024-25 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ 6648.56 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દાનમાં ગુજરાતનો 309.18 કરોડ રૂપિયાનો...
Politics 
ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા

20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે અને...
Gujarat 
20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.