UNની આ ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, જીત પછી ઉભા થયા સવાલો

સંયુક્ત રાષ્ટ્રના મંચો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વારંવાર ઉગ્ર ચર્ચાઓ થતી જોવા મળે છે. એક તરફ, પાકિસ્તાન વિશ્વના કેટલાક દેશોનું સમર્થન મેળવવા માટે કાશ્મીરના મુદ્દા પર ખોટું બોલે છે, તો બીજી તરફ, ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ખુલ્લા પાડવાના પ્રયાસો કરતું રહે છે. ભારત UNમાં તેની કૂટનીતિ દ્વારા પાકિસ્તાનને હરાવી રહ્યું છે. જોકે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં પાકિસ્તાને ભારત સામે મોટી જીત નોંધાવી છે. અહીં તમને જણાવી દઈએ કે, યુનેસ્કો એ યુનાઈટેડ નેશન્સનું સંગઠન છે જે શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને વિરાસતના મામલાઓ સાથે કામ કરે છે. આ સંસ્થા વિશ્વ શાંતિ માટે પણ કામ કરે છે. યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ શારદા પીઠ મંદિરને તોડી પાડનાર પાકિસ્તાનને વિશ્વ સંસ્થાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા તે વ્યંગાત્મક ગણાશે.

શુક્રવારે થયેલા વોટિંગમાં પાકિસ્તાનને 38 વોટ મળ્યા જ્યારે ભારતને માત્ર 18 વોટ મળ્યા. હવે પાકિસ્તાન બે વર્ષ માટે યુનેસ્કોના ઉપાધ્યક્ષ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં 58 સભ્યો છે. તેની બેઠક ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ હતી. પાકિસ્તાન આ જીતથી ખૂબ જ ઉત્સાહિત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને સહયોગ માટે તમામ દેશોનો આભાર માન્યો છે. જોકે, પાકિસ્તાનની જીતની ભારત પર કોઈ અસર થવાની નથી. સભ્યોના અભિપ્રાય વિના, પાકિસ્તાન સૂચિમાં કોઈપણ હેરિટેજ ઉમેરી અથવા ઘટાડી શકે નહીં.

જીત બાદ પાકિસ્તાને કહ્યું છે કે, તે પોતાની જવાબદારી પૂરી તત્પરતાથી નિભાવશે. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં અવારનવાર હિંદુ મંદિરો અને પ્રાચીન સ્થળો અને ઈમારતો પર હુમલા થાય છે. તેને પાકિસ્તાન સરકારનું સમર્થન પણ મળે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને કોર્ટના કથિત આદેશ પછી તોડી પાડવામાં આવ્યું હતું. આ રીતે, પાકિસ્તાન યુનેસ્કોમાં સમાવિષ્ટ મંદિરોને પણ તોડવાનું છોડી રહ્યું નથી. અહેવાલો એમ પણ કહે છે કે LOC નજીક શારદા પીઠ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે. યુનેસ્કોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોર્ટના આદેશ પછી મીઠી શહેરમાં આવેલું હિંગળાજ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. શારદા પીઠને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ અહેવાલો જણાવે છે કે, મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ થવાનું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના મંદિરો ઉપરાંત તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. અપહરણ, ટાર્ગેટ કિલિંગ, જમીન પર અતિક્રમણ સામાન્ય બની ગયું છે.

Related Posts

Top News

શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
Gujarat 
શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
Sports 
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.