UNની આ ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, જીત પછી ઉભા થયા સવાલો

સંયુક્ત રાષ્ટ્રના મંચો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વારંવાર ઉગ્ર ચર્ચાઓ થતી જોવા મળે છે. એક તરફ, પાકિસ્તાન વિશ્વના કેટલાક દેશોનું સમર્થન મેળવવા માટે કાશ્મીરના મુદ્દા પર ખોટું બોલે છે, તો બીજી તરફ, ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ખુલ્લા પાડવાના પ્રયાસો કરતું રહે છે. ભારત UNમાં તેની કૂટનીતિ દ્વારા પાકિસ્તાનને હરાવી રહ્યું છે. જોકે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં પાકિસ્તાને ભારત સામે મોટી જીત નોંધાવી છે. અહીં તમને જણાવી દઈએ કે, યુનેસ્કો એ યુનાઈટેડ નેશન્સનું સંગઠન છે જે શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને વિરાસતના મામલાઓ સાથે કામ કરે છે. આ સંસ્થા વિશ્વ શાંતિ માટે પણ કામ કરે છે. યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ શારદા પીઠ મંદિરને તોડી પાડનાર પાકિસ્તાનને વિશ્વ સંસ્થાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા તે વ્યંગાત્મક ગણાશે.

શુક્રવારે થયેલા વોટિંગમાં પાકિસ્તાનને 38 વોટ મળ્યા જ્યારે ભારતને માત્ર 18 વોટ મળ્યા. હવે પાકિસ્તાન બે વર્ષ માટે યુનેસ્કોના ઉપાધ્યક્ષ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં 58 સભ્યો છે. તેની બેઠક ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ હતી. પાકિસ્તાન આ જીતથી ખૂબ જ ઉત્સાહિત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને સહયોગ માટે તમામ દેશોનો આભાર માન્યો છે. જોકે, પાકિસ્તાનની જીતની ભારત પર કોઈ અસર થવાની નથી. સભ્યોના અભિપ્રાય વિના, પાકિસ્તાન સૂચિમાં કોઈપણ હેરિટેજ ઉમેરી અથવા ઘટાડી શકે નહીં.

જીત બાદ પાકિસ્તાને કહ્યું છે કે, તે પોતાની જવાબદારી પૂરી તત્પરતાથી નિભાવશે. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં અવારનવાર હિંદુ મંદિરો અને પ્રાચીન સ્થળો અને ઈમારતો પર હુમલા થાય છે. તેને પાકિસ્તાન સરકારનું સમર્થન પણ મળે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને કોર્ટના કથિત આદેશ પછી તોડી પાડવામાં આવ્યું હતું. આ રીતે, પાકિસ્તાન યુનેસ્કોમાં સમાવિષ્ટ મંદિરોને પણ તોડવાનું છોડી રહ્યું નથી. અહેવાલો એમ પણ કહે છે કે LOC નજીક શારદા પીઠ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે. યુનેસ્કોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોર્ટના આદેશ પછી મીઠી શહેરમાં આવેલું હિંગળાજ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. શારદા પીઠને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ અહેવાલો જણાવે છે કે, મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ થવાનું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના મંદિરો ઉપરાંત તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. અપહરણ, ટાર્ગેટ કિલિંગ, જમીન પર અતિક્રમણ સામાન્ય બની ગયું છે.

About The Author

Related Posts

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.