રાવણના દેશમાં ગુંજશે શ્રીરામનો નાદ, બનશે રામાયણ સર્કિટ

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં તો ભવ્ય રામ મંદિર બની જ રહ્યું છે. અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ પ્રભુ શ્રીરામની મહિમાના ગુણગાન હશે. ભારતીય પર્યટકો માટે ખાસ કરીને શ્રીલંકામાં રામાયણ સર્કિટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ એ સ્થળ છે, જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા. એટલું જ નહીં અહીં સીતા સર્કિટ પણ હશે. સીતાજીને રાવણે અહીં અશોક વાટિકામાં રાખ્યા હતા. રામાયણ સર્કિટની ખાસ વાત એ છે કે, તેને જોવા માટે ભારતીય શ્રદ્ધાળુઓને એક ખાસ સુવિધા પણ આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં ભારતીય કરન્સી એટલે કે ભારતીય રૂપિયા પણ ચાલશે.

શ્રીલંકાના ભારતીય મહાકાવ્યની સાથે એક સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ છે. રામાયણમાં વર્ણન છે કે, જે આજે શ્રીલંકા છે આ જ લંકાના રાજા દશાનન એટલે કે રાવણે જ્યારે સીતા મૈયાનું અપહરણ કર્યુ હતું, ત્યારે ભગવાન રામે લંકામાં યુદ્ધ લડ્યું અને રાવણનો વધ કર્યો હતો. રાવણ મહાન વિદ્વાન હતો. રામાયણમાં એ વાતનું પણ વર્ણન છે કે, ભગવાન રામે પોતે લક્ષ્મણને કહ્યું હતું કે, તેઓ રાવણ પાસેથી જ્ઞાનની વાતો ગ્રહણ કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા રામાયણ સર્કિટને ફરીથી બનાવવાની પ્રક્રિયામાં છે, તેમા એક અલગ સીતા સર્કિટ પણ સામેલ છે.

શ્રીલંકામાં એવા ઘણા ઐતિહાસિક સ્થળ છે, જેનું વર્ણન રામાયણમાં છે. શ્રીલંકામાં કેટલાક લોકપ્રિય રામાયણ ટ્રેલ્સમાં સિગિરિયા સામેલ છે, અહીં પથ્થરોમાંથી નિર્મિત એક પ્રાચીન કિલ્લો છે, જેને રાજા રાવણનો મહેલ જણાવવામાં આવે છે. માન્યતા છે કે, રાવણે સીતાજીને સિગિરિયા પહાડીની નજીક એક ગુફામાં બંદી બનાવીને રાખ્યા હતા. તે શ્રીલંકામાં પર્યટકોની પહેલી પસંદ પણ છે. તેમજ, નુવારા એલિયા શહેરમાં અશોક વાટિકા એક અન્ય લોકપ્રિય સ્થળ છે. માન્યતા અનુસાર, આ એ જ સ્થળ છે જ્યાં સીતા મૈયાને રાખવામાં આવ્યા હતા. અહીં સીતાજીને હનુમાનજી મળ્યા હતા અને તેમને ભગવાન રામની અંગુઠી આપી હતી.

ત્રિંકોમાલી શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે કોઈક ને કોઈક રૂપમાં રામાયણકાળ સાથે સંકળાયેલા છે. કોનેશ્વરમ મંદિર એવુ જ એક પ્રાચીન મંદિર છે. માનવામાં આવતું રહ્યું છે કે, આ મંદિરનું નિર્માણ ભગવાન રામે ભગવાન શિવજીના સન્માનમાં કરાવ્યું હતું. રામાયણ કાળ સાથે સંબંધિત એવા જ કેટલાક સ્થળો છે, જેને શ્રીલંકામાં જોઈ શકાશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.