જેના કારણે હજારો ભારતીયો પર કેનેડા દેશમાંથી બહાર નીકળવાની તલવાર લટકી છે, તે 'Bill C-12' શું છે?

કેનેડામાં ઇમિગ્રેશન સુધારાનો મુખ્ય કાયદો, Bill C-12, હવે અમલમાં મુકવામાં આવ્યો છે. સરકાર દાવો કરે છે કે, દેશની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ નિયંત્રિત અને પારદર્શક બનાવવા માટે આ પગલું જરૂરી હતું, પરંતુ માનવ અધિકાર સંગઠનોએ તેને શરણાર્થી અધિકારો પર ગંભીર અસર કરતો કાયદો બતાવ્યો છે. આ કાયદો ખાસ કરીને આશ્રય પ્રણાલી, વિઝા પ્રક્રિયા અને ઇમિગ્રેશન સંબંધિત વહીવટી સત્તાઓમાં મોટા ફેરફારો કરે છે.

Canada-New-Immigration-Bill1
bhaskar.com

Bill C-12ની મુખ્ય જોગવાઈઓ:- આશ્રય અરજીઓ પર એક વર્ષની સમય મર્યાદા- નવા નિયમ હેઠળ, હવે કોઈ પણ વ્યક્તિ કેનેડામાં પ્રવેશ્યાના એક વર્ષની અંદર જ શરણાર્થી દાવો દાખલ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ સમયમર્યાદા પછી અરજી કરે છે, તો તેનો કેસ સ્વીકારવામાં આવશે નહીં. નિષ્ણાતો કહે છે કે, આ નિયમ એવા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, જેઓ તેમના વતનની અંદર ભય અથવા પરિસ્થિતિઓને સાબિત કરવામાં મોડું કરે છે.

અહીં તમને બતાવી દઈએ કે, ભારતીયો ઘણા વર્ષોની સખત મહેનત પછી પણ PR ન મળવાને કારણે છેલ્લા ઉપાય તરીકે શરણાર્થી દરજ્જા માટે અરજી કરતા હતા, પરંતુ નવા નિયમ સાથે, આ હવે શક્ય બનશે નહીં.

Canada-New-Immigration-Bill3
aljazeera.com

આ કાયદાનું સૌથી વિવાદાસ્પદ પાસું તેની પૂર્વવર્તી જોગવાઈ છે. આનો અર્થ એ છે કે, નવો નિયમ કેટલાક જૂના અથવા પેન્ડિંગ આશ્રય કેસોને પણ લાગુ થઈ શકે છે, જેના કારણે આવી હજારો અરજીઓને અસર પડી શકે છે. સરકારી અંદાજો અને સંસદીય ચર્ચાઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 19,000 સુધીની અરજીઓને અસર થઈ શકે છે.

કેનેડા સરકાર પાસે હવે ચોક્કસ પરિસ્થિતિઓમાં સામૂહિક રીતે વિઝા અથવા ઇમિગ્રેશન દસ્તાવેજો રદ કરવાનો અધિકાર છે. આ માટે દરેક કેસ માટે વ્યક્તિગત સુનાવણીની જરૂર રહેશે નહીં, જોકે સરકાર જણાવે છે કે, આ પગલું ફક્ત 'રાષ્ટ્રીય હિત'ની પરિસ્થિતિમાં લેવામાં આવશે.

નવો કાયદો આશ્રય કેસની તપાસ પ્રક્રિયાને ઝડપી અને મર્યાદિત કરશે, વહીવટને વધુ સત્તાઓ આપવામાં આવશે અને ડેટા શેરિંગ (દેશ અને વિદેશની વચ્ચે માહિતીની આપ-લે કરવી)ને સરળ બનાવશે.

Canada-New-Immigration-Bill2
msn.com

કેનેડામાં માનવાધિકાર સંગઠનો, ઇમિગ્રેશન વકીલો અને યુનિયનોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે. આના કારણે શરણાર્થીઓને નિષ્પક્ષ સુનાવણીની પુરી તક ન મળવી, વ્યક્તિગત ચકાસણી વિના નિર્ણયો લેવા, દેશનિકાલનું જોખમ વધવું અને આંતરરાષ્ટ્રીય શરણાર્થી સંધિઓના ઉલ્લંઘન થવાની આશંકા વર્તાઈ રહી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કેનેડા અને અન્ય સંગઠનોએ આને 'શરણાર્થી અધિકારોના મુખ્ય રોલબેક' તરીકે વર્ણવ્યું છે.

કેનેડા સરકાર જણાવે છે કે, ઇમિગ્રેશન સિસ્ટમ પર વધતા દબાણને નિયંત્રિત કરવું જરૂરી હતું. કેટલાક કિસ્સાઓમાં છેતરપિંડી અને ખોટા દાવાઓને રોકવાનો આનો ધ્યેય છે, અને બધા નિર્ણયો કેનેડિયન બંધારણ અને આંતરરાષ્ટ્રીય નિયમોની અંદર લેવામાં આવશે.

Canada-New-Immigration-Bill
jagran.com

સરકારે એમ પણ જણાવ્યું છે કે, જેમના દાવાઓ નકારવામાં આવે છે તેમની પાસે હજુ પણ પ્રી-રિમૂવલ રિસ્ક એસેસમેન્ટ (PRRA) જેવા વિકલ્પો ઉપલબ્ધ રહેશે, જેમાં એવું મૂલ્યાંકન કરવામાં આવે છે કે, સબંધિત વ્યક્તિને તેમના વતન પરત મોકલવું કેટલું સુરક્ષિત રહેશે.

હાલમાં, આ કાયદો કોઈ એક ચોક્કસ દેશને લક્ષ્ય બનાવતો નથી, પરંતુ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ, વર્ક પરમિટ ધારકો અને આશ્રય અરજદારોની મોટી સંખ્યાને કારણે, આ કાનૂનની અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નિષ્ણાતો માને છે કે, આ કાયદાના ફેરફારોની અસર જૂના અથવા પેન્ડિંગ કેસો પર પડી શકે છે અને કેટલાક નકારાયેલા આશ્રય કેસો માટે દેશનિકાલ પ્રક્રિયા ઝડપી બની શકે છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.