કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહીની માગ, ઉનામાં હિંદુ સંમેલનમાં ભડકાઉ ભાષણનો આરોપ

ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પત્થરબાજીના પ્રકરણ પછી હવે ગીર સોમનાથના ઉનામાં પણ સ્શિતિ તનાવપૂર્ણ બની છે. એવો આરોપ છે કે રામનવમીના એક કાર્યક્રમમાં એક ખાસ સમાજને ટાર્ગેટ કરીને નફરત ફેલાવવા માટે તેજાબી ભાષણ કરવામાં આવ્યું હતું. એ પછી સાંપ્રદાયિક તનાવ ફેલાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને SRPની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસની ટીમો સતત સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. એક ખાસ સમાજના લોકોની માંગ છે કે વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં હાજર રહેલા કાજલ હિંદુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે. કાજલ પર આરોપ છે કે તેણીએ એક સમાજ પર નિશાન સાધીને ભડકાઉ ભાષણ આપ્યું હતું જેને કારણે ઉનામાં સ્થિતિ બગડી છે.

પોલીસે હજુ સુધી કાજલ હિંદુસ્તાની સામે FIR નોંધી નથી, અત્યારે તો પોલીસ લોકોને સમજાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ ખાસ સમાજના લોકો એ વાત પર અડી ગયા છે કે પહેલાં કાજલ સામે કાર્યવાહી કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેડન્ટ શ્રીપાલ શેષમાએ કહ્યું કે, જો પીડિત સમાજના લોકો ફરિયાદ નોંધાવશે તો કાજલ હિંદુસ્તાની સામે FIR કરવાં આવશે.શ્રીપાલ શેષમાએ કહ્યુ કે, પોલીસ તરફથી શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બંને સમાજના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિને સામાન્ય કરવાની અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથના ઉનામાં 30 માર્ચે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના કાજલ હિંદુસ્તાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમમાં કાજલે એક ખાસ સમાજ સામે નિશાન સાધીને ભાષણ આપ્યું હતું જેને કારણે કોમી તનાવ ઉભો થયો હતો તેવો આરોપ છે.

કાજલની સામે FIRની માંગને પગલે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કાલુ રાઠોડે કહ્યુ કે બંને પક્ષના પ્રતિનિધિઓ એકબીજાને સાંભળ્યા છે, હાથ મેળવ્યા છે અને એવું આશ્વાસન આપ્યું છે કે આ વિસ્તારમાં કોઇ પણ અપ્રિય ઘટના બનશે નહીં. બંને સમાજના લોકોએ દુકાનો ખોલવા અને બિઝનેસ ચાલુ કરી દેવાની અપીલ કરી છે.

કાજલ હિંદુસ્તાની મુળ રાજસ્થાનના શિરોહીના છે અને તેમના લગ્ન જામનગરમાં થયેલાં છે. કાજલ 2016માં તેમના એક તેજાબી અભિપ્રાયને કારણે સોશિયલ મીડિયા પર જાણીતા થયા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.