જામીન અરજીની માગ કરતા જયસુખના વકીલે કહ્યું- જે બન્યું તે અજાણતા બની ગયું છે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી, જેમાં આજે બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી દલીલો કરી હતી. જે સાંભળી જામીન અરજી પરનો હુકમ બાકી રાખ્યો છે.

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અગાઉ વચગાળાની જામીન અરજી નામંજૂર થયા બાદ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને બાદમાં જયસુખ પટેલે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર આજે બચાવ પક્ષના વકીલ ઋતુરાજ નાણાવટીએ દલીલો કરી હતી કે, મોરબીની જનતાના હિતમાં બ્રિજ ખુલ્લો મૂક્યો હતો અને જે કંઈ બન્યું છે તે અજાણતા બની ગયું છે. વકીલે કહ્યું કે, સર્ટિફિકેટ લેવાની વાત તેમ જ પુલ પર મુલાકાતીઓની સંખ્યા જેવા મુદ્દાનો કરારમાં ક્યાય ઉલ્લેખ જ નથી.

નગરપાલિકા તરફથી ઝૂલતો પુલ સોપવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ જે કલમ 304 લગાવવામાં આવી છે તે ગુનો બનતો જ નથી. કરાર મુજબ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. લોકો જીવ ગુમાવે તેવો કોઈ હેતું નહોતો અને મોટો કોઈ આર્થિક ફાયદો પણ ઝૂલતો પુલમાં મળે તેમ નહોતું. તમામ જવાબદારી ઓરેવા ગ્રૂપ પર નાખવામાં આવી છે, જે ગેરવ્યાજબી હોવાની વકીલે દલીલ કરી હતી.

જ્યારે બીજી તરફ સરકારી વકીલ સંજયભાઈ વોરાએ દલીલો કરી હતી કે, તાર કટાયેલા હતા તે બદલ્યા નથી. વર્ષ 2008થી ઓરેવા ગ્રૂપ ઝૂલતા પુલની જવાબદારી સાંભળી રહ્યા છે અને 6 મહિના બંધ રાખી રિનોવેશન કર્યું હતું. પરંતુ, તેમાં કટાયેલા તાર કેમ નજરે પડ્યા નહિં અને તેનું રિનોવેશન કેમ કર્યું નથી?. મોરબી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને હુકમ આપવાનો બાકી રાખ્યો છે, જે હુકમ એક કે બે દિવસમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ કેસની સુનાવણીમાં 31 માર્ચની મુદત આપવામાં આવી છે, ત્યારે 31 માર્ચે મુદતના દિવસે જયસુખ પટેલની જામીન અરજી પર હુકમ આવે છે કે નહિ તે જોવું રહેશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.