અહંકારી માછલીની આંખ વીંધવા માટે આવ્યો છું: પરેશ ધાનાણી

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ઉતાર્યા છે અને રૂપાલાની રાજકોટમાં જીપ લપસી ગઇ હતી અને તેનાથી ક્ષત્રિય સમાજ આજે 25 દિવસ થવા છતા નારાજ છે. રાજકોટ બેઠક પર અચાનક સમીકરણો બદલાવવાને કારણે કોંગ્રસેને જીતનો મોટો લાડવો દેખાયો અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને રૂપાલા સામે મેદાનમાં ઉતારી દીધા. પરેશ ધાનાણીએ શુક્રવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને સાથે રૂપાલા સામે નિશાન પણ સાધી દીધું હતું.

ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે અને 19 એપ્રિલે ઉમેદવારાનો ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શુક્રવારે 12-39 વાગ્યે વિજય મૂર્હુતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું. જેને કારણે ગુજરાતનો ક્ષત્રિય સમાજ લાલઘુમ છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કર્યા, રૂપાલાએ 3 વખત માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી અને રૂપાલાને હટાવવાની એક માંગ સાથે અડીને બેઠો છે.

જો કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, રૂપાલાની સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ અપક્ષ ફોર્મ ભરશે, પરંતુ એવું કશું થયું નથી. કોઇ પણ ક્ષત્રિયાણીએ રૂપાલા સામે ફોમ ભર્યું નથી.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મેં દીકરીઓની આંખમાં આંસૂઓ જોયા છે અને એટલે અંહકારી માંછલીની આંખ વીંધવા માટે આવ્યો છું.ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે. ધાનાણીએ આગળ કહ્યું કે, મેં આજે સ્વાભિમાનની લડાઇનો શંખનાદ કરી દીધો છે. આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઇ છે. હું રાજકોટ વાસીઓના દીલ જીતવા માટે આવ્યો છું.

ધાનાણીએ કહ્યું કે, અંગ્રેજો સામેની લડાઇની નેતાગીરી ગુજરાતે લીધી હતી, ફરી એકવાર ગુજરાતના આઝાદ કરવા માટે રાજકોટ આવ્યો છું, વિકાસની પરિભાષા બદલવા આવ્યો છું. તમારા બાપ-દાદાએ ચુકવેલા ઋણ ને ચૂકવવા આવ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને આવી રહ્યા છે. વર્ષ 2002માં રાજકોટ વિધાનસભાની બેઠક પર પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી સામ સામે હતા અને એ ચૂંટણીમાં પરેશ ધાનાણીની જીત થઇ હતી. એટલે કોંગ્રેસ સપના જોઇ રહ્યું છે કે, 22 વર્ષ પહેલાનું પુર્નરાવતન ફરી થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.