PGVCL સૌરાષ્ટ્રમાં સ્માર્ટ પ્રિપ્રેડ મીટર લગાવશે, વપરાશ મોબાઇલ પર દેખાશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ(PGVCL)એ સૌરાષ્ટ્રમાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના 55 લાખ કારખાના, રેસિડન્સ તેમજ સરકારી ઓફિસોને કનેક્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને કરાણે ગ્રાહકોની વીજ સમસ્યા ઉકેલાશે એવું PGVCLનું માનવું છે. આ કામગીરી પાછળ 3600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ડિસેમ્બર મહિનાથી બે તબક્કામાં કામ શરૂ થશે.

PGVCLના ચીફ એન્જિનિયર આર. જે. વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પહેલીવાર PGVCL સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવશે. જેને કારણે ગ્રાહકોને જે વીજ સમસ્યા ઉભી થાય છે તેનું નિરાકરણ આવશે. વાળાએ કહ્યુ કે, સ્માર્ટ પ્રિપેડ મીટર લાગવાને કારણે ગ્રાહકો તેમનો રોજેરોજનો વીજ વપરાશ તેમના મોબાઇલમાં જોઇ શકશે. તેમનું વીજ બિલ પણ તપાસી શકશે. આ મીટર લગાવવા માટે PGVCL ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસુલવાનું નથી.

ચીફ એન્જિનિયર વાળાએ કહ્યું કે, સ્માર્ટ પ્રિપેડ મીટર છે તે સામાન્ય મીટર જેવા જ દેખાશે, પરંતુ તેમાં કોમ્યુનિકેશન માટે એક ડિવાઇસ લાગેલું હશે. વાળાએ કહ્યું કે, જેમ દરેક વિસ્તારોમાં લાગેલા મોબાઇલ ટાવરો સાથે મોબાઇલ કનેક્ટ થઇને ઇન્ફોર્મેશન આપે છે, બસ એવી જ રીતે સ્માર્ટ પ્રિપેડ મીટર પણ કામ કરશે.

તેમણે આગળ કહ્યુ કે, સ્માર્ટ પ્રિપેડ મીટરમાં એક સીમકાર્ડ હોય છે જે GPRS સીસ્ટમ વડે અમારી સાથે જોડાશે. જેને લીધી ગ્રાહકોના મીટરમાં વીજ વપરાશનો જે કઇ પણ ડેટા હશે તે PGVCLની ઓફિસમાં મળી રહેશે,

વાળાએ કહ્યુ કે, આનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. જેમકે ગ્રાહકોની ફરિયાદ રહેતી હોય છે, કે બિલ બરાબર બન્યું નથી, મીટર રિડીંગ બરાબર થયું નથી, બિલ ભરવા લાઇનમાં ઉભા રહેવું પડે છે, આવી નાની મોટી સમસ્યા દુર થઇ જશે.

ડિસેમ્બર મહિનાથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની કામગરી શરૂ થશે, પહેલાં તબક્કામાં સરકારી ઓફીસોમાં લગાવવામાં આવશે, એ પછી રેસિડન્સ અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયાને આવરી લેવામાં આવશે. ખેતીવાડી વિસ્તારમાં અત્યારે સ્માર્ટ પ્રિપેડ મીટરની કોઇ યોજના નથી. કર્મચારીઓને આના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

PGVCL દ્રારા મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડવામાં આવે છે.આ સ્માર્ટ પ્રિપેડ મીટરને કારણે વીજ ચોરી પણ પકડાઇ જશે.

હજુ સુધી ગ્રાહકોને આ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. PGVCLનો આ નવતર પ્રયોગ કેટલો સફળ થશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.