સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરી અમિત શાહે કહ્યું- બાબરના સમયથી...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના સાળંગપુર ધામ ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું અને રૂ. 55 કરોડના ખર્ચે નિર્મિત શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સાળંગપુર ધામનો ઈતિહાસ 150 વર્ષથી વધુ છે અને આ ધામમાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી દેશભરમાં અનેક રાજ્ય સરકારો અને 400થી વધુ સંસદ સભ્યો સાથે મળીને દેશની સેવા કરી રહી છે. તેમણે કહ્યું કે આઝાદી પછી ભલે અટલજીનું શાસન હોય કે હવે નરેન્દ્ર મોદીનું શાસન હોય, તેમની પાર્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવાનું કામ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીને 2019માં ફરીથી પૂર્ણ બહુમતી મળી ત્યારે લોકોએ કલમ 370 વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે અમે 1950થી કહીએ છીએ કે દેશમાં બે પ્રતીક, બે મંત્રી, બે કાયદા, બે બંધારણ કામ કરશે નહીં અને બે ધ્વજ પણ નહીં હોય. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 હંમેશ માટે નાબૂદ કરી દીધી. તેમણે કહ્યું કે આ પછી દેશવાસીઓના મનમાં એક સંતોષ હતો કે આઝાદી પછી નરેન્દ્ર મોદીએ તેમની ઈચ્છા પૂરી કરી અને કાશ્મીર હવે આપણું છે. અમિત શાહે કહ્યું કે રામજન્મભૂમિ વિવાદ બાબરના સમયથી ચાલી રહ્યો હતો અને વિરોધ પક્ષ આ મુદ્દાને લટકતો રાખતો હતો, પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે જેઓ કહેતા હતા કે રામજન્મભૂમિ પર ક્યારેય મંદિર નહીં બને, કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થશે તો રક્તપાત થશે, પરંતુ દેશમાં ક્યાંય એક પણ પથ્થર ફેંકવાની કોઈની હિંમત નથી. તેમણે કહ્યું કે આજે કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કેદારધામ હોય, બદ્રીધામ હોય, સોમનાથ મંદિરને ફરીથી સોનાનું બનાવવાનું હોય કે પછી પાવાગઢમાં શક્તિપીઠની પુનઃ સ્થાપના કરવી હોય, પ્રધાનમંત્રી મોદીએ દેશમાં શાંતિ જાળવવા મક્કમતા સાથે કઠિન નિર્ણયો લીધા હતા, જેના સારા પરિણામો મળ્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મોદીજીએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરી, સરદાર પટેલનું સ્મારક બનાવ્યું અને અરબી સમુદ્રની મધ્યમાં શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી. તેમણે કહ્યું કે ગંગા નદીને શુદ્ધ કરીને તેને વર્ષભર સ્વચ્છ રાખવાનું કામ પણ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ગુલામીના લાંબા ગાળા દરમિયાન ભારતમાંથી ઘણી મૂર્તિઓ અનેક દેશોમાં ગઈ હતી, નરેન્દ્ર મોદીના શાસનના 9 વર્ષના સમયગાળા દરમિયાન આવી 360 મૂર્તિઓને ભારતમાં પરત લાવવા અને તેમના મૂળ સ્થાને સ્થાપિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતીય ભાષાઓને ગૌરવ અપાવવાનું અને તેમને મજબૂત કરવાનું કામ પણ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

25 તીર્થસ્થળોની માટીની ટાઈલ્સથી બનેલું આ હાઇટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય એક કલાકમાં 20,000થી વધુ લોકો માટે ભોજન બનાવી શકશે, જે શ્રી કષ્ટભંજન મંદિરનો લોકસેવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.