BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન

રિચાર્જ પ્લાનને લઈને Jio, Airtel, VI અને BSNL વચ્ચે જોરદાર કોમ્પિટીશન ચાલી રહી છે. બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા રિચાર્જ પ્લાન રજૂ કરી રહી છે. ખાનગી કંપનીઓને ટક્કર મારવા માટે, હવે સરકારી ટેલિકોમ કંપની BSNL અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર લઈને આવી છે. BSNL એ એક એવો પ્લાન રજૂ કર્યો છે જેમાં ફક્ત એક પ્લાનમાં 3 કનેક્શન આપવામાં આવી રહ્યા છે.

BSNL
businesstoday.in

આ યુઝર્સ માટે આવ્યો છે એક નવો પ્લાન

છેલ્લા કેટલાક સમયથી, BSNL ટેલિકોમ ઉદ્યોગમાં જોરદાર ચર્ચામાં છે. આ પાછળનું એક મોટું કારણ કંપનીના સસ્તા રિચાર્જ પ્લાન પણ છે. BSNL પાસે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે ઘણા શાનદાર પ્લાન છે. જોકે, હવે BSNL એ એક મજબૂત પ્લાન રજૂ કર્યો છે જે રિચાર્જનો વધારાનો ખર્ચ બચાવશે.

BSNL દ્વારા આ અદ્ભુત યોજના વિશે માહિતીની જાણકારી  તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. તમે આ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા BSNL સેલ્ફ કેર એપ દ્વારા મેળવી શકો છો. ચાલો તમને તેના વિશે જણાવીએ.

BSNL ના નવા પ્લાને મચાવી દીધો હંગામો

BSNL એ તેના પોસ્ટપેડ યુઝર્સ માટે 999 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ કંપનીનો ફેમિલી પ્લાન છે. આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે ફક્ત એક જ વ્યક્તિએ રિચાર્જ કરાવવું પડશે અને 3 લોકોના નંબર ઉમેરી શકાય છે. મતલબ કે, હવે એક વ્યક્તિના ખર્ચે ત્રણ લોકોના નંબર ચાલી શકે છે. પરિવારના અલગ અલગ સભ્યો માટે વ્યક્તિગત પ્લાન લેવાની જરૂર રહેશે નહીં.

BSNL
informalnewz.com

BSNL ના આ 999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો, કંપની પ્રાઈમરી યુઝર્સ તેમજ અન્ય કનેક્શન ધરાવતા ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરી રહી છે. આ સાથે, બધા યુઝર્સને 75GB ડેટા મળશે. મતલબ કે પ્લાનમાં કુલ 300GB ડેટા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કંપની બધા યુઝર્સને દરરોજ 100 મફત SMS પણ ઓફર કરે છે.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.