કૃત્રિમ બુદ્ધિ લાખો લોકોની નોકરીઓ ખાઇ જશે, IMFના ગીતા ગોપીનાથે કરી આગાહી

અત્યારે ચારેકોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા ચાલી રહી છે ત્યારે IMFના ગીતા ગોપીનાથે ચેતવણી ઉચ્ચારી છે કે આ ટેક્નોલોજી અનેક લોકોની નોકરી ખાઇ જશે, સરકારોએ તાત્કાલિક આ ટેક્નોલોજીને રોકવા માટે પગલાં લેવા  જોઇએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુનિયાના ધનપતિ એલોન મસ્ક પણ વિરોધ કરી ચૂકયા છે, પરંતુ આ ટેક્નોલોજીને રોકવી લગભગ અશક્ય બની ગઇ છે.

જ્યારે દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જોર પકડી રહ્યો છે. કંપનીઓનું મોટું ફોકસ AI પર છે. આવી સ્થિતિમાં ભારતીય મૂળના જાણીતા અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે આશંકા વ્યક્ત કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આવનારા દિવસોમાં લેબર માર્કેટમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે પોલીસી મેકર્સને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે જલદી નિયમો બનાવવાની અપીલ કરી છે.

ગીતા ગોપીનાથે કહ્યુ, અમે ઇચ્છીએ છીએ કે સરકારો, સંસ્થાઓ અને પોલીસી મેકર્સ રેગ્યુલેશન બનાવવાની સાથે લેબર માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ઉભા થનારા અવરોધના ઉકેસ માટે જલ્દીથી જલ્દી તૈયારી શરૂ કરી દે.

ગીતા ગોપીનાથે કહ્યું કે સરકારોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પ્રભાવિત કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષા માળખાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સાથે એવી ટેક્સ પોલિસી તૈયાર કરવી જોઈએ, જેના હેઠળ એવી કંપનીઓને બિલકુલ પ્રોત્સાહિત ન કરવી જોઈએ, જે કર્મચારીઓને બદલે મશીનનો ઉપયોગ કરે છે. ગીતા ગોપીનાથે પોલીસી મેકર્સને આ કંપનીઓથી સાવચેત રહેવા કહ્યું છે, જેમને નવી ટેક્નોલોજીના સંદર્ભમાં પડકાર ફેંકવો અશક્ય છે.

 આ પહેલાં માર્ચ 2023માં Goldman Sachsએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 30 કરોડ ફુલટાઇમ જોબ્સ સામે જોખમ ઉભું થઇ શકે છે. ગયા વર્ષે, PWC એ તેના વાર્ષિક વૈશ્વિક વર્કફોર્સ સર્વેમાં જણાવ્યું હતું કે એક તૃતીયાંશ લોકોને ડર છે કે આગામી ત્રણ વર્ષમાં નવી ટેક્નોલોજી તેમની જગ્યા લઈ શકે છે.

ટેક્નોલોજી સાથે જોડાયેલી ઘણી કંપનીઓ રૂટિન નોકરીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બદલવા પર વિચાર કરી રહી છે. IBMના CEOએ તાજેતરમાં કહ્યું હતું કે કંપની 7800 પદોની ભરતી પર રોક લગાવી શકે છે કારણ કે તેઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બદલી શકાય છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેંક ઓફિસ ઓપરેશન જેવા માનવ સંસાધનોને બદલી શકે છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.