5 વર્ષમાં માંડવીનો એકપણ ખેડૂત બોર કે સિંચાઈની સુવિધાથી વંચિત નહીં રહે: મંત્રી

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પારડી ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પ્રાયોજના વહીવટદારની કચેરી માંડવી, ટ્રાઈબલ સબ પ્લાન-માંડવીના ઉપક્રમે ખેડૂતોની સિંચાઈ માટે રૂ.1.19 કરોડના ખર્ચે 70 જેટલા બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ટ્રાઈબલ સબ પ્લાન કચેરી-માંડવીના લાભાન્વિત ખેડૂતોને કુલ રૂ.97 લાખના તાડપત્રી, દવા છાંટવાનો પંપ અને કેરેટ જેવા સાધનોનું પણ આદિજાતિ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં માંડવી તાલુકાનો એક પણ ખેડૂત બોર કે સિંચાઈ સુવિધાથી વંચિત ન રહે તેવું પાણીદાર આયોજન થઈ રહ્યું છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં આદિમ જૂથો અને હળપતિઓ માટે ખેતીવાડી વિકાસ, મકાન, કૃષિ સાધન સહિતની સુવિધાઓ અને લાભો આપવાનું આયોજન છે એમ જણાવી હળપતિઓની પાયાની છ સુવિધા સાથે મકાન ઉપલબ્ધ થાય એવા લક્ષ્ય સાથે સરકાર કામ કરી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2024માં કોઈપણ આદિવાસી ખેડૂત કે લાભાર્થી મકાનથી વંચિત ન રહે તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.