ટામેટાના ભાવ 250થી 10 રૂપિયા પર આવી ગયા, હવે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા છે

જૂન મહિનામાં આસમાન પર પહોંચેલા ટામેટાના ભાવ હવે ઉંધા માથે પટકાઇને ફરી ઓરિજનલ ભાવ પર આવી ગયા છે. કેટલાંક શહેરોમાં ટામેટા હવે 10 થી 15 રૂપિયે કિલો વેચાવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ટામેટાના ભાવો હવે તળિયે આવી ગયા તો ખેડુતો તેમનો પાક રસ્તા પર ફેંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને લાગત પણ છુટતી નથી. ટામેટાની આ તસ્વીર આંધ્રપ્રદેશના કુરનુલની છે, જ્યાં ખેડુતો ટામેટાના રસ્તા પર વેરી રહ્યા છે.

જૂન મહિનામાં ટામેટાના ભાવો રોકેટ ગતિએ ઉછળી ગયા હતા અને લગભગ 200થી 250 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. ટામેટા એવું શાકભાજી છે જ દરેકના ઘરોમાં ઉપયોગમાં આવે છે. ટામનેટા આસમાની ભાવોને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેન્દ્ર સરકારે સસ્તા ટામેટાં વેચ્યા હતા અને 70 રૂપિયે કિલો ટામેટા લેવા માટે પણ પડાપડી થતી હતી. પરંતુ ધીમે ધીમે ટામેટાના ઉંચોE ભાવનો ફુગ્ગો ફુટી ગયો અને ભાવ હવે તળિયે આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ટામેટાના અત્યારે દિલ્હીમાં ભાવ 20થી 30 ચાલે છે, ચંદીગઢમાં 30થી 40, રાયપુરમાં 10-15,જયપુરમાં 20-30, ભોપાલમાં 15-20, બેંગલુરુમાં 20-30 રૂપિયા કિલો દીઠ ભાવ ચાલે છે.

હવે ખેડુતોનું કહેવું છે કે જ્યારે રિટેલ માર્કેટમાં જ 15-20 રૂપિયાનો ભાવ આવી ગયો છે ત્યારે તેમને હોલસેલ માર્કેટમાં માત્ર 4થી 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં તેમની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કાઢવો ભારે પડે છે એટલે તેઓ ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે.

ખેડુતોની માંગ છે કે સરકાર ટામેટાની નિકાસ વધારે. ભારત જો બાંગ્લાદેશ, નેપાળ, યુએઇ, કતર, સાઉદી અરબ અને ઓમાન જેવા દેશોમાં ટામેટાની નિકાસ શરૂ કરે તો ખેડુતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.

હવે એ જોઇએ કે ટામેટાના ભાવો નીચા કેમ આવ્યા. તો એક કારણ એવું છે કે અત્યારે દેશમાં પૂરની સ્થિતિ નથી, મતલબ કે શાકભાજીઓને નુકશાન થતું નથી. બીજું કારણ એ છે કે ટામેટાનો નવો પાક આવ્યો છે અને તે સારો ઉતર્યો છે મતલબ કે ટામેટાની આવક વધી છે. ત્રીજું કારણ એ છે સરકારે ટામેટાના ભાવો નીચા લાવવા માટે નેપાળથી ટામેટા આયાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધા કારણોને લીધે ટામેટાના ભાવ નીચા આવી ગયા છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યારે ટામેટાના ભાવો ઉંચાઇને આંબ્યા હતા ત્યારે ઘણા ખેડુતો લખોપતિ કે કરોડપતિ બની ગયા હતા તો હવે નીચા ભાવે વેચવામાં શું વાંધો છે. રસ્તા પર ફેંકી દેવાને બદલે લોકો પાસે જાય તો શું વાંધો છે?

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.