ટામેટાના ભાવ 250થી 10 રૂપિયા પર આવી ગયા, હવે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા છે

જૂન મહિનામાં આસમાન પર પહોંચેલા ટામેટાના ભાવ હવે ઉંધા માથે પટકાઇને ફરી ઓરિજનલ ભાવ પર આવી ગયા છે. કેટલાંક શહેરોમાં ટામેટા હવે 10 થી 15 રૂપિયે કિલો વેચાવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ટામેટાના ભાવો હવે તળિયે આવી ગયા તો ખેડુતો તેમનો પાક રસ્તા પર ફેંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને લાગત પણ છુટતી નથી. ટામેટાની આ તસ્વીર આંધ્રપ્રદેશના કુરનુલની છે, જ્યાં ખેડુતો ટામેટાના રસ્તા પર વેરી રહ્યા છે.

જૂન મહિનામાં ટામેટાના ભાવો રોકેટ ગતિએ ઉછળી ગયા હતા અને લગભગ 200થી 250 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. ટામેટા એવું શાકભાજી છે જ દરેકના ઘરોમાં ઉપયોગમાં આવે છે. ટામનેટા આસમાની ભાવોને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેન્દ્ર સરકારે સસ્તા ટામેટાં વેચ્યા હતા અને 70 રૂપિયે કિલો ટામેટા લેવા માટે પણ પડાપડી થતી હતી. પરંતુ ધીમે ધીમે ટામેટાના ઉંચોE ભાવનો ફુગ્ગો ફુટી ગયો અને ભાવ હવે તળિયે આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ટામેટાના અત્યારે દિલ્હીમાં ભાવ 20થી 30 ચાલે છે, ચંદીગઢમાં 30થી 40, રાયપુરમાં 10-15,જયપુરમાં 20-30, ભોપાલમાં 15-20, બેંગલુરુમાં 20-30 રૂપિયા કિલો દીઠ ભાવ ચાલે છે.

હવે ખેડુતોનું કહેવું છે કે જ્યારે રિટેલ માર્કેટમાં જ 15-20 રૂપિયાનો ભાવ આવી ગયો છે ત્યારે તેમને હોલસેલ માર્કેટમાં માત્ર 4થી 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં તેમની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કાઢવો ભારે પડે છે એટલે તેઓ ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે.

ખેડુતોની માંગ છે કે સરકાર ટામેટાની નિકાસ વધારે. ભારત જો બાંગ્લાદેશ, નેપાળ, યુએઇ, કતર, સાઉદી અરબ અને ઓમાન જેવા દેશોમાં ટામેટાની નિકાસ શરૂ કરે તો ખેડુતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.

હવે એ જોઇએ કે ટામેટાના ભાવો નીચા કેમ આવ્યા. તો એક કારણ એવું છે કે અત્યારે દેશમાં પૂરની સ્થિતિ નથી, મતલબ કે શાકભાજીઓને નુકશાન થતું નથી. બીજું કારણ એ છે કે ટામેટાનો નવો પાક આવ્યો છે અને તે સારો ઉતર્યો છે મતલબ કે ટામેટાની આવક વધી છે. ત્રીજું કારણ એ છે સરકારે ટામેટાના ભાવો નીચા લાવવા માટે નેપાળથી ટામેટા આયાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધા કારણોને લીધે ટામેટાના ભાવ નીચા આવી ગયા છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યારે ટામેટાના ભાવો ઉંચાઇને આંબ્યા હતા ત્યારે ઘણા ખેડુતો લખોપતિ કે કરોડપતિ બની ગયા હતા તો હવે નીચા ભાવે વેચવામાં શું વાંધો છે. રસ્તા પર ફેંકી દેવાને બદલે લોકો પાસે જાય તો શું વાંધો છે?

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.