યુવકે છોડી દુબઈની નોકરી, હવે આ ખેતી કરી કમાઈ રહ્યો છે 6 લાખ રૂપિયા

એમબીએનો અભ્યાસ કર્યા પછી મોટાભાગના યુવાનો મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાનું પસંદ કરે છે. વિદેશમાં સારી નોકરી મળતા ત્યાં સેટ થઈ જાય છે. સીતાપુરનો રહેનારો નવન મોહન રાજવંશીએ પણ કંઈક આવું જ કર્યું. એએમઆઈટી કોલેજ ચેન્નાઈથી એમબીએ કર્યા પછી બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પદ પર તેને નોકરી મળી અને તેના માટે તે દુબઈ જતો રહ્યો હતો. પોતાની નોકરી દરમિયાન જ્યારે નવીન દુબઈમાં કોઈ ફાર્મ પર વિઝીટ માટે જતો હતો તો તે જોતો હતો કે અહીં રણમાં પણ સારી ખેતી થઈ રહી છે. અહીંથી નવીનના મનમાં ખેતી કરવાનો રસ જાગ્યો હતો. તેણે ભારત પાછા ફરવાનું મન બનાવી લીધું હતું. વર્ષ 2020માં કોવિડના સમયે તે પાછો આવી ગયો હતો. તેણે સીતાપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી આધુનિક ટેકનીકથી સ્ટ્રોબેરીની ખેતી કરવાની ટ્રેનિંગ લીધી.

નવીન મોહન રાજવંશી કહે છે કે ખેતરને પહેલા સારી રીતે ખોદી નાખવામાં આવે છે. ટ્રાઈકોડર્મા, સોડોમોનાસ, દેશી ગોળને ગોબરમાં મિક્સ કરીને ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરને સારી રીતે આખા ખેતરમાં છાંટીને રોટાવેટરથી ખેડવામાં આવે છે. બેડ મેકરથી બેડ બનાવીન તેને એક થી બે દિવસ માટે છોડી દેવામાં આવે છે અને તેમાં ડ્રિપ લગાવી દે છે જેથી દરેક છોડને સંતુલિત પ્રમાણમાં પાણી મળતું રહે. એક એકરમાં આશરે 20000 છોડવાને એક એક ફૂટના અંતરે લગાવવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે છોડવામાં ફંગસની સમસ્યા નથી આવતી. તેની દેખભાળ પણ ઘણી સારી રીતે થઈ જાય છે. આ સિવાય ઉત્પાદન એક એકરમાં 150 થી 160 ક્વિન્ટલનું હોય છે. જ્યારે ખર્ચની વાત કરીએ તો એક એકરમાં પહેલા વર્ષે ડ્રિપને મળીને ત્રણ લાખ રૂપિયા થાય છે. થોડા મહિનામાં આવક બેગણી થઈ જાય છે. મતલબ 3 લાખના ખર્ચની સામે આવક 6 લાખ રૂપિયા થાય છે.

સ્ટ્રોબેરીનો છોડની સાથે નવીન વચ્ચે ગલગોટાના ફૂલના છોડવા પણ લગાવે છે. જેનાથી પણ તેઓ આશરે 50 હજાર સુધીની કમાણી સરળતાથી કરી લે છે. ગલગોટાની સીઝન પૂરી થઈ જવા પર તે શક્કરટેટીની વાવણી કરે છે અને તે તૈયાર થાય ત્યાં સુધી સ્ટ્રોબેરીની સીઝન પૂરી થઈ જાય છે. એક એકરમાં શક્કરટેટીના ઉત્પાદન 160 થી 170 ક્વિન્ટલ જેટલું થઈ જાય છે. સીતાપુર જિલ્લા ઉદ્યાન અધિકારી સૌરભ શ્રીવાસ્તવે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સ્ટ્રોબેરીની ખેતીને સરકાર પણ ટેકો આપી રહી છે. પ્રતિ હેક્ટર 50000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવી રહ્યું છે.

જિલ્લાના જે પણ ખેડૂત સ્ટ્રોબેરીની ખેતી કરવા ઈચ્છે છે, તે કોઈ પણ દિવસે ઓફિસ આવીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નવીન મોહન રાજવંશી કહે છે કે પહેલા તેના ગામના લોકો રોજગારી શોધમાં શહેર જતા રહેતા હતા. પરંતુ જ્યારથી અમે ગામમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે ત્યાંરથી ગામના બે ડઝનથી વધારે લોકોને અમે રોજગારી આપી ચૂક્યા છીએ.  

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.