- Astro and Religion
- મહેસાણામાં બન્યું ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા
મહેસાણામાં બન્યું ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા
By Khabarchhe
On

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા તરભ ગામમાં ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને 22 ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મંદિરનું નામ વાળીનાથ મંદિર છે.
રબારી સમાજના લોકો ગુરુગાદી અને આચાર્યને ભગવાનની જેમ પુજે છે અને આ જગ્યા પર પ્રથમ મહંત વિરમગીરી મહારાજે ગુરુગાદીની સ્થાપના કરી હતી. આ જગ્યાએ મંદિરનો જીર્ણોદ્વાર થવાનો છે. એક એવી લોકવાયકા છે કે, 900 વર્ષ પહેલા આ ગામની જમીનમાંથી વાળીનાથ ભગવાન, ભગવાન ગણેશ અને માતા ચામુંડાની પ્રતિમા મળી આવી હતી. હવે આ જગ્યાએ 45,000 ચોરસ ફુટ વિસ્તારમાં મંદિર બન્યું છે. આયોજકોને કહેવું છે કે ગુજરાતમાં જ્યોર્તિલીંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન હોવાથી તેમના સન્માનમાં વાળીનાથ મંદિરની ઉંચાઇ ઓછી રાખવામાં આવી છે.
Related Posts
Top News
Published On
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો
Published On
By Nilesh Parmar
રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે
Published On
By Nilesh Parmar
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.