મહેસાણામાં બન્યું ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા

On

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા તરભ ગામમાં ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને 22 ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મંદિરનું નામ વાળીનાથ મંદિર છે.

રબારી સમાજના લોકો ગુરુગાદી અને આચાર્યને ભગવાનની જેમ પુજે છે અને આ જગ્યા પર પ્રથમ મહંત વિરમગીરી મહારાજે ગુરુગાદીની સ્થાપના કરી હતી. આ જગ્યાએ મંદિરનો જીર્ણોદ્વાર થવાનો છે. એક એવી લોકવાયકા છે કે, 900 વર્ષ પહેલા આ ગામની જમીનમાંથી વાળીનાથ ભગવાન, ભગવાન ગણેશ અને માતા ચામુંડાની પ્રતિમા મળી આવી હતી. હવે આ જગ્યાએ 45,000 ચોરસ ફુટ વિસ્તારમાં મંદિર બન્યું છે. આયોજકોને કહેવું છે કે ગુજરાતમાં જ્યોર્તિલીંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન હોવાથી તેમના સન્માનમાં વાળીનાથ મંદિરની ઉંચાઇ ઓછી રાખવામાં આવી છે.

Related Posts

Top News

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.