સમેદ શિખર પર નવો વિવાદ, આદિવાસી સમુદાયનો દાવો- આખો પહાડ અમારો, આંદોલનની જાહેરાત

હજુ તો સમેત શિખરને લઇને જૈન સમાજે કરેલા આંદોલનની શાહી સુકાઇ નથી ત્યાં આદિવાસી સમાજે મોર્ચો માંડ્યો છે અને પર્વત પર તેમનો કબ્જો હોવાનો દાવો કરીને મોટા આંદોલનની ચિમકી આપી છે. ઝારખંડના ગિરિડીહમાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કારણ કે હવે આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં પૂર્વ સાંસદ અને આદિવાસી સંથાલ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ સાલખન મુર્મુએ કહ્યું કે હેમંત સોરેન સરકાર આદિવાસી વિરોધી સરકાર છે.

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. હકીકતમાં, ઝારખંડના આદિવાસી સમુદાયે હવે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં આદિવાસી સમાજે કહ્યું છે કે આ અમારું ધર્મસ્થાન છે. જેને લઈને લોકોને આજે પારસનાથ પર્વત પર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે.

સાલખન મુર્મુ કહ્યું કે પારસનાથ પર્વત આજે નેશનલ લેવલનો બની ગયો છે, પરંતુ અમે આદિવાસીઓ દાવો કરીએ છીએ કે, પારસનાથ પર્વત અમારા આદિવાસીઓનો છે. તે અમારા ઇશ્વર છે. અમે તેમને મરાંગ બુરુ અથવા બુઢા પર્વત  તરીકે ઓળખીએ છીએ.તેમણે કહ્યું કે જ્યારે મામલો જૈન વિરુદ્ધ સંથાલ આદિવાસીઓનો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે પારસનાથ પર્વત સંથાલોનો છે.

સાલખન મુર્મે કહ્યું કે હવે જૈન ધર્મના અનુયાયીઓ પારસનાથ પર્વત પર પોતાના માલિકી હક્ક માટે દેશભરમાં આંદોલન શરૂ કરી ચુક્યા છે. આ પછી, આદિવાસીઓ સાથે વાત કર્યા વિના, તેમની બાજુ સાંભળ્યા વિના કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય આપ્યો. તેમણે કહ્યું કે આનાથી અમારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સમગ્ર દોષ ઝારખંડ સરકારનો છે.

ઝારખંડના ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ આ આંદોલનની નેતાગીરી સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો સરકાર અમારી માંગ 25 જાન્યુઆરી 2023 સુધીમાં નહીં સ્વીકારશે તો 30 જાન્યુઆરી 2023થી મોટું આંદોલન શરૂ કરવામાં આવશે અને આદિવાસીઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે. પાંચ રાજ્યોના આદિવાસી પારસનાથ પર્વત પર આંદોલન માટે ભેગા થશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.