સમ્મેદ શિખરજી વિવાદ વચ્ચે જાણો ટૂરિસ્ટ પ્લેસ અને તીર્થસ્થળ વચ્ચેનો ફરક

કોઇ જગ્યા ટૂરિસ્ટ પ્લેસ કેવી રીતે બને છે, કે પછી કઇ રીતે તીર્થસ્થળનો દરજ્જો મળે છે, આ જાણવા પહેલા એક ફરી વાર હાલના વિવાદને સમજો. મુદ્દો ઝારખંડ પાસેના પારસનાથ પર સ્થિત સમ્મેદ શિખરજી સંબંધિત છે, જે આ સમુદાયના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. થોડા સમય પહેલા ઝારખંડ સરકારે આ જગ્યાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની વાત કરી હતી. તેના પર સમુદાયના લોકો નારાજ થઇ ગયા કે ટૂરિસ્ટ સ્પોટ પર થનારી બધી એક્ટિવિટીઝ હવે તેમના ધાર્મિક સ્થળ પર પણ થવા લાગશે. જેમ કે, માંસ અને દારૂનું સેવન.

આ વાતને લઇને દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યાં સુધી કે, અનશન દરમિયાન એક જૈન મુનિનું નિધન પણ થઇ ગયું. તેથી આ મુદ્દો વધારે આગળ વધ્યો. હવે જૈન સમુદાય દરેક હાલતમાં પારસનાથને તિર્થ જ રાખી મુકવા પર અડી ગયું છે.

તીર્થસ્થળ અને પર્યટન સ્થળમાં બેસિક ફરક છે ભાવના અને વ્યવહારનો. ટૂરિસ્ટની જેમ જતા આપણે બેગ પેક કરીએ છી, તો ત્યારથી જ ફેરફાર દેખાવા લાગે છે. પોતાના પસંદગીના કપડાથી લઇને પસંદગીના ખોરાક સુધી આપણી પ્રાથમિકતા હોય છે. ટૂરિસ્ટ સ્પોટ પર ખાણીપીણી અને વ્યવહારમાં ખુલ્લાપણુ રહે છે. પ્રવાસી વધારેમાં વધારે એન્જોય કરવા માટે જાય છે. મનોરંજન માટે પણ ઘણી સુવિધાઓ હોય છે.

તીર્થસ્થળ પર દરેક વસ્તુ બલદાઇ જાય છે. ત્યાં ધર્મ પણ હોય છે અને કટ્ટરતા પણ હોય છે. ખાસ પ્રકારના કે પછી વધારેમાં વધારે સાદગી ભરેલા કપડા અને ખાણીપીણી પર ભાર મૂકવામાં આવે છે. તીર્થસ્થળની આસપાસથી લઇને ઘણા દૂર સુધી આ વાતની રોકટોક હોય છે. જેથી ધર્મ વિશેષને હેરાનગતિ ન થાય. આ નિયમ હિંદુ કે દૈન ધર્મમાં જ નહીં, પણ આખી દુનિયામાં જ્યાં, જેટલા પણ તીર્થસ્થળ છે, ત્યાં લાગુ પડે છે. ત્યાં સુધી કે વેટિકન સિટીના વાત કરીએ તો ત્યાં પણ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

તીર્થ કહેવડાવવા માટે કોઇ જગ્યામાં અમુક ખાસ વાતો હોવી જોઇએ, જેમ કે, કોઇ ધર્મ સાથે તેનો સંબંધ, કોઇ આધ્યાત્મિક યાત્રા કે પછી આસ્થા. આમ તો પશ્ચિમી દેશોમાં તેને ધર્મની જગ્યા પર વધારે આધ્યાત્મ સાથે જોડવામાં આવે છે. આજકાલ એક વધુ ચલણ આવ્યું છે, જેમાં કોઇ ખાસ પ્રોફેશનનો પાયો નાખી ચૂકેલા લોકોના જન્મ કે કર્મસ્થળને તીર્થની જેમ વિકસિત કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત સહિત વધારે પડતા દેશોમાં હજુ પણ ધાર્મિક સ્થળ જ તીર્થસ્થળની જેમ ઓળખાય છે.

તીર્થ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે કે, નદી કે પછી ઘાટ પર આવેલું પવિત્ર સ્થળ. આપણે ત્યાં વધારે તીર્થ નદીઓના કિનારે જ છે. શ્રદ્ધાળુ સ્નાન કર્યા બાદ શરીર અને મનની શુદ્ધી સાથે ઇશ્વરના દર્શન કરે છે.

ટૂરિસ્ટ સ્પોટ અને તીર્થસ્થળ માટે કોઇ ખાસ ટેગ તો નથી, પણ સરકાર તેનો નિર્ણય એ ખાસ જગ્યા સાથે જોડાયેલી આસ્થાના આધાર પર લે છે. જો કોઇ ધર્મની આસ્થા કોઇ ખાસ જગ્યા માટે હોય, કે પછી એ જગ્યાનું અમુક ધાર્મિક મહત્વ હોય તો તેને સામાન્ય રીતે તીર્થસ્થળની જેમ જ ડેવલપ કરવામાં આવે છે. તેની આસપાસ ટ્રાન્સપોર્ટ, ભોજન, ઇલાજની વ્યવસ્થા પણ હોય છે, પણ મનોરંજન માટે ઓછી વસ્તુઓ મળે છે.

ટૂરિસ્ટ સ્પોટ પર એશોઆરામની તમામ ચીજો હોય છે. તેને એ રીતે બનાવવામાં આવે છે કે દેશ જ નહીં, પણ વિશ્વના લોકો આવીને તેનો આનંદ લઇ શકે છે. તેનાથી રાજસ્વ પણ વધે છે. એ જ કારણથી વધારે દેશોમાં ટૂરિસ્ટ સ્પોટ જ વધારે છે. ભારતમાં સેક્શન 3 હેઠળ પર્યટન વિભાગ કોઇ ખાસ જગ્યાને ટૂરિસ્ટ સ્પોટ ડિક્લેર કરે છે. તેના કરતા પહેલા આ જગ્યાની મુલાકાત લઇને નક્કી કરવામાં આવે છે કે, તેમાં પ્રવાસીઓને આકર્ષવાની તમામ વસ્તુઓ છે. તીર્થસ્થળોને તીર્થ ઘોખિત કરવાનું કામ સરકારની જગ્યા પર સામાન્ય રીતે ધર્મ વિશેષ કરે છે. સરકારની આ મુદ્દે દખલ ઓછી જ હોય છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.