તાઇવાનમાં પહેલું હિંદુ મંદિર બનીને તૈયાર, ભગવાન રામ અને શિવની પ્રતિમા

તાઇવાનની રાજધાની તાઇપેમાં પહેલું હિંદુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. આ મંદિરને સબકા મંદિર નામ આપવામાં આવ્યું છે, જેને કારણે હિંદુ સમાજમાં ખુશીની લહેર છે. આ મંદિરમાં ભગવાન રામ, ભગવાન શંકર અને અનેક દેવી દેવતાઓ બિરાજમાન છે. શ્રધ્ધાળુઓ માટે તાજેતરમા જ આ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

તાઇવાનનું એક હિંદુ મંદિર અત્યારે ચર્ચામાં છે, જે મંદિરને તાજેતરમાં જ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મંદિર તાઇવાનની રાજધાની તાઇપેમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરને તાઇવાન અને ભારત વચ્ચેના સંબંધોને અત્યંત મહત્ત્વપૂર્ણ તરીકે માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની ઉંડી અસર જોવા મળશે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાઈવાનના આ એકમાત્ર હિન્દુ મંદિરનું નામ 'સબકા મંદિર' રાખવામાં આવ્યું છે. જેના કારણે હિન્દુ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તાઈવાનમાં રહેતી ભારતીય નાગરિક સના હાશ્મીએ એક ચેનલ સાથેની વાતમાં કહ્યું હતું કે આ મંદિરની સ્થાપના ભારતમાં ભારતીય સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તાઈવાનની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મંદિરનું ઉદઘાટન એ ભારત અને તાઈવાન સંબંધોની સાંસ્કૃતિક વાર્તામાં એક ઐતિહાસિક ક્ષણ છે.

તાઇવાનમાં IIT INDIANSના સ્થાપક ડો. પ્રિયા લાલવાનીએ પણ સબકા મંદિર વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, આ મંદિર માત્ર તાઇવાનમાં રહેતા ભારતીયો માટે જ માત્ર મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તાઇવાનના નાગરિકો માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તાઇવાનમાં બનેલા પહેલા હિંદુ મંદિરનું શ્રેય બે દશકોથી તાઇવાનમાં વસેલા NRI અને ત્યાંની એક જાણીતી રેસ્ટોરન્ટના માલિક એડી સિંહ આર્યને આપવામાં આવી રહ્યું છે.

તાઇવાનમાં બનેલા સબકા મંદિરમાં ભગવાન શંકર, શ્રીરામની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે, ઉપરંતા દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ છે. આ મંદિર બનવાને કારણે તાઇવાનમાં રહેતા હિંદુઓ ખુશ છે.

તાઈવાનમાં રહેતા કેટલાક ભારતીયો આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તે તાઈવાનનું પહેલું મંદિર હોવાનું માનવામાં આવે છે જ્યાં ભારતીય સમુદાય એકત્ર થઈ શકે છે, આ જગ્યાએ પહેલાથી જ "ઈસ્કોન મંદિર" અને ભગવાન ગણેશનું મંદિર હતું. તાઈવાને તાજેતરમાં મુંબઈમાં તાઈપે ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થાપવાની યોજના વિશે માહિતી આપી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.