ભોલેબાબાને કાશીમાં કેમ વિશ્વનાથ કહેવામાં આવે છે? જાણો અહીં આવેલા મંદિરનું મહત્ત્વ અને ઇતિહાસ

શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં, ભગવાન શિવ અને બ્રહ્માંડની દેવી, મા પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. સાથે જ, શ્રાવણના સોમવારે વ્રત રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી ભક્તને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે સાધક પર મહાદેવની કૃપા વરસે છે. પરિણીત મહિલાઓ સુખ અને સૌભાગ્ય વધારવા માટે સોમવારે વ્રત રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે દેવોના દેવ મહાદેવને વિશ્વનાથ કેમ કહેવામાં આવે છે? આવો, તેની બાબતે જાણીએ.

વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ આવેલું છે. તેને બાબાની નગરી પણ કહેવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિર ગંગા નદીના કિનારે આવેલું છે. ભોળાની નગરીના રક્ષક કાલ ભૈરવ દેવ છે. મોટી સંખ્યામાં શ્રદ્વાળું બાબાના દર્શન કરવા માટે ભોળાની નગરીમાં આવે છે. શ્રદ્વાળું ગંગા નદીમાં ડૂબકી લગાવીને બાબાના દર્શન કરે છે. આ શુભ અવસર પર, ભક્તો બાબાને ગંગાજળથી અભિષેક પણ કરે છે. જળાભિષેકથી દેવોના દેવ મહાદેવ જલદી પ્રસન્ન થાય છે.

kashi-vishwanath-temple1
taxiserviceinvaranasi.com

 

ઇતિહાસકારોના મતે, હાલના કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ સન 1780માં ઇન્દોરના સ્વર્ગસ્થ મહારાણી અહિલ્યાબાઈ હોલકરે બનાવ્યું હતું. તો, કાશી વિશ્વનાથ મંદિરના 2 ગુંબજોને પંજાબ કેસરી મહારાજા રણજીત સિંહ દ્વારા સોનાથી કવર કરાવાયા હતા. જોકે, ત્રીજો ગુંબજ અત્યારે પણ ખુલ્લો છે. બાબાની નગરીમાં સ્થિત વિશ્વનાથ શિવલિંગનો ઇતિહાસ સદીઓ જૂનો છે.

કેમ વિશ્વનાથ કહેવાય છે ભોલે બાબા?

કાશી વિશ્વનાથ મંદિર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ મંદિર પ્રયાગરાજમાં છે. ભગવાન શિવને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર પણ કહેવામાં આવે છે. તેનો આશય એ છે કે દેવોના દેવ મહાદેવને બ્રહ્માંડના શાસક પણ કહેવામાં આવે છે. આ મંદિર કાશીમાં સ્થિત છે. એટલે પ્રયાગરાજ સ્થિત મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે.

kashi-vishwanath-temple4
citybit.in

 

સનાતન શાસ્ત્રોમાં કાશીનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એવી ધાર્મિક માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરવાથી સાધક દ્વારા પાછલા જન્મમાં કરાયેલા પાપનો નાશ થઇ જાય છે. સાથે જ, મહાદેવની કૃપાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. મહાદેવની પૂજા કરવાથી સાધકને બધા સંકટોમાંથી મુક્તિ મળે છે. કાશી વિશ્વનાથ મંદિરમાં 5 વખત આરતી કરવામાં આવે છે.

Related Posts

Top News

શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
Gujarat 
શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
Sports 
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.