કાગડા વગર કેમ અધૂરા માનવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃઓનું તેની સાથે શું કનેક્શન છે?

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરતી વખતે 5 જગ્યાએ ભોજનનો ભાગ કાઢવામાં આવે છે, જેને પંચબલિ કહેવામાં આવે છે. પહેલી બલિ ગાય માટે, બીજી કૂતરા માટે, ત્રીજી કાગડા માટે, ચોથી દેવતાઓ માટે અને પાંચમી કીડીઓ માટે કાઢવામાં આવે છે. બલિની આ પ્રક્રિયામાં, કાગડાઓની ખાસ શોધ કરવામાં આવે છે. યમરાજનું પ્રતિક ગણાતા કાગડાઓને લઈને માન્યતા છે કે શ્રાદ્ધના દિવસે બહાર કાઢવામાં આવેલા ભોગને ખાઈને કાગડો સંતુષ્ટ થાય છે, તો પૂર્વજો પણ ખુશ થાય છે. ચાલો પૂર્વજો અને કાગડાના કનેક્શન બાબતે વિગતવાર જાણીએ.

કાગડા વિના શ્રાદ્ધ કેમ અધૂરા છે?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પુરોહિત વિભાગના પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે, હિન્દુ ધર્મમાં કાગડાને શ્રાદ્ધભક્ષી કહેવામાં આવ્યો છે. શ્રાદ્ધની દૃષ્ટિએ તેને એક ખાસ પક્ષી માનવામાં આવે છે. સનાતન પરંપરામાં શ્રાદ્ધના ભોજનનો અધિકાર જે લોકોને આપવામાં આવ્યો છે, તેમાં કાગડો મુખ્ય છે કારણ કે તેને પિતૃ માનવામાં આવે છે. કાગબલિ વિના પિતૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ અધૂરા હોય છે.

pitru-paksh2

આ જ કારણ છે કે એક સમયમાં શ્રાદ્ધનું ભોજન કરાવ્યા બાદ બાકી બચેલું ભોજન એવી જગ્યાએ ફેંકી દેતા હતા જ્યાં કાગડા, કૂતરા વગેરે 2 દિવસ સુધી ખાતા હતા. ત્યારબાદ તે જગ્યા સાફ કરવામાં આવતી હતી. પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે પૌરાણિક કથાઓમાં કાગ ભૂસુંડીનું કાગડાનું સ્વરૂપ હતું. એવું માનવામાં આવે છે કે એક વખત બ્રહ્માજીએ તેમને પોતાનું કાળું સ્વરૂપ બદલવા કહ્યું હતું, પરંતુ તેમણે બ્રહ્માજીની વિનંતીને આદરપૂર્વક નકારતા કહ્યું હતું કે તેઓ પોતાના સ્વરૂપથી સંતુષ્ટ છે.

કાગડાને લઈને શું કહે છે શકુન શાસ્ત્ર?

જો પિતૃ પક્ષ દરમિયાન કાગડો તમારા ઘરમાં આવીને વારંવાર અવાજ કરે તો તેને પિતૃઓ દ્વારા મોકલવામાં આવેલ સંકેત માનવામાં આવે છે.

જો કાગડો વહેલી સવારે ઘરના પેરપેટ, બાલકની અથવા દરવાજા પર બોલે છે, તો તેને અતિથિના આગમનનો સંકેત માનવામાં આવે છે.

pitru-paksh

ઘરની ઉત્તર દિશામાં કાગડાનું વારંવાર બોલવું એ જલદી ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. જો અચાનક તમારી આસપાસ ઘણા બધા કાગડા ભેગા થવા લાગે, તો તે ભવિષ્યમાં તમારા જીવનમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

જો રસ્તામાં કોઈ કાગડો તેની ચાંચમાં રોટલી, માંસનો ટુકડો અથવા કાપડનો ટુકડો લઈને જોવા મળે તો તે તમારી બહુપ્રતિક્ષિત ઇચ્છા પૂર્ણ થવાની નિશાની માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.