કાગડા વગર કેમ અધૂરા માનવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃઓનું તેની સાથે શું કનેક્શન છે?

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરતી વખતે 5 જગ્યાએ ભોજનનો ભાગ કાઢવામાં આવે છે, જેને પંચબલિ કહેવામાં આવે છે. પહેલી બલિ ગાય માટે, બીજી કૂતરા માટે, ત્રીજી કાગડા માટે, ચોથી દેવતાઓ માટે અને પાંચમી કીડીઓ માટે કાઢવામાં આવે છે. બલિની આ પ્રક્રિયામાં, કાગડાઓની ખાસ શોધ કરવામાં આવે છે. યમરાજનું પ્રતિક ગણાતા કાગડાઓને લઈને માન્યતા છે કે શ્રાદ્ધના દિવસે બહાર કાઢવામાં આવેલા ભોગને ખાઈને કાગડો સંતુષ્ટ થાય છે, તો પૂર્વજો પણ ખુશ થાય છે. ચાલો પૂર્વજો અને કાગડાના કનેક્શન બાબતે વિગતવાર જાણીએ.

કાગડા વિના શ્રાદ્ધ કેમ અધૂરા છે?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પુરોહિત વિભાગના પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે, હિન્દુ ધર્મમાં કાગડાને શ્રાદ્ધભક્ષી કહેવામાં આવ્યો છે. શ્રાદ્ધની દૃષ્ટિએ તેને એક ખાસ પક્ષી માનવામાં આવે છે. સનાતન પરંપરામાં શ્રાદ્ધના ભોજનનો અધિકાર જે લોકોને આપવામાં આવ્યો છે, તેમાં કાગડો મુખ્ય છે કારણ કે તેને પિતૃ માનવામાં આવે છે. કાગબલિ વિના પિતૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ અધૂરા હોય છે.

pitru-paksh2

આ જ કારણ છે કે એક સમયમાં શ્રાદ્ધનું ભોજન કરાવ્યા બાદ બાકી બચેલું ભોજન એવી જગ્યાએ ફેંકી દેતા હતા જ્યાં કાગડા, કૂતરા વગેરે 2 દિવસ સુધી ખાતા હતા. ત્યારબાદ તે જગ્યા સાફ કરવામાં આવતી હતી. પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે પૌરાણિક કથાઓમાં કાગ ભૂસુંડીનું કાગડાનું સ્વરૂપ હતું. એવું માનવામાં આવે છે કે એક વખત બ્રહ્માજીએ તેમને પોતાનું કાળું સ્વરૂપ બદલવા કહ્યું હતું, પરંતુ તેમણે બ્રહ્માજીની વિનંતીને આદરપૂર્વક નકારતા કહ્યું હતું કે તેઓ પોતાના સ્વરૂપથી સંતુષ્ટ છે.

કાગડાને લઈને શું કહે છે શકુન શાસ્ત્ર?

જો પિતૃ પક્ષ દરમિયાન કાગડો તમારા ઘરમાં આવીને વારંવાર અવાજ કરે તો તેને પિતૃઓ દ્વારા મોકલવામાં આવેલ સંકેત માનવામાં આવે છે.

જો કાગડો વહેલી સવારે ઘરના પેરપેટ, બાલકની અથવા દરવાજા પર બોલે છે, તો તેને અતિથિના આગમનનો સંકેત માનવામાં આવે છે.

pitru-paksh

ઘરની ઉત્તર દિશામાં કાગડાનું વારંવાર બોલવું એ જલદી ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. જો અચાનક તમારી આસપાસ ઘણા બધા કાગડા ભેગા થવા લાગે, તો તે ભવિષ્યમાં તમારા જીવનમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

જો રસ્તામાં કોઈ કાગડો તેની ચાંચમાં રોટલી, માંસનો ટુકડો અથવા કાપડનો ટુકડો લઈને જોવા મળે તો તે તમારી બહુપ્રતિક્ષિત ઇચ્છા પૂર્ણ થવાની નિશાની માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.