કાગડા વગર કેમ અધૂરા માનવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃઓનું તેની સાથે શું કનેક્શન છે?

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરતી વખતે 5 જગ્યાએ ભોજનનો ભાગ કાઢવામાં આવે છે, જેને પંચબલિ કહેવામાં આવે છે. પહેલી બલિ ગાય માટે, બીજી કૂતરા માટે, ત્રીજી કાગડા માટે, ચોથી દેવતાઓ માટે અને પાંચમી કીડીઓ માટે કાઢવામાં આવે છે. બલિની આ પ્રક્રિયામાં, કાગડાઓની ખાસ શોધ કરવામાં આવે છે. યમરાજનું પ્રતિક ગણાતા કાગડાઓને લઈને માન્યતા છે કે શ્રાદ્ધના દિવસે બહાર કાઢવામાં આવેલા ભોગને ખાઈને કાગડો સંતુષ્ટ થાય છે, તો પૂર્વજો પણ ખુશ થાય છે. ચાલો પૂર્વજો અને કાગડાના કનેક્શન બાબતે વિગતવાર જાણીએ.

કાગડા વિના શ્રાદ્ધ કેમ અધૂરા છે?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પુરોહિત વિભાગના પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે, હિન્દુ ધર્મમાં કાગડાને શ્રાદ્ધભક્ષી કહેવામાં આવ્યો છે. શ્રાદ્ધની દૃષ્ટિએ તેને એક ખાસ પક્ષી માનવામાં આવે છે. સનાતન પરંપરામાં શ્રાદ્ધના ભોજનનો અધિકાર જે લોકોને આપવામાં આવ્યો છે, તેમાં કાગડો મુખ્ય છે કારણ કે તેને પિતૃ માનવામાં આવે છે. કાગબલિ વિના પિતૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ અધૂરા હોય છે.

pitru-paksh2

આ જ કારણ છે કે એક સમયમાં શ્રાદ્ધનું ભોજન કરાવ્યા બાદ બાકી બચેલું ભોજન એવી જગ્યાએ ફેંકી દેતા હતા જ્યાં કાગડા, કૂતરા વગેરે 2 દિવસ સુધી ખાતા હતા. ત્યારબાદ તે જગ્યા સાફ કરવામાં આવતી હતી. પ્રોફેસર રામરાજ ઉપાધ્યાયના મતે પૌરાણિક કથાઓમાં કાગ ભૂસુંડીનું કાગડાનું સ્વરૂપ હતું. એવું માનવામાં આવે છે કે એક વખત બ્રહ્માજીએ તેમને પોતાનું કાળું સ્વરૂપ બદલવા કહ્યું હતું, પરંતુ તેમણે બ્રહ્માજીની વિનંતીને આદરપૂર્વક નકારતા કહ્યું હતું કે તેઓ પોતાના સ્વરૂપથી સંતુષ્ટ છે.

કાગડાને લઈને શું કહે છે શકુન શાસ્ત્ર?

જો પિતૃ પક્ષ દરમિયાન કાગડો તમારા ઘરમાં આવીને વારંવાર અવાજ કરે તો તેને પિતૃઓ દ્વારા મોકલવામાં આવેલ સંકેત માનવામાં આવે છે.

જો કાગડો વહેલી સવારે ઘરના પેરપેટ, બાલકની અથવા દરવાજા પર બોલે છે, તો તેને અતિથિના આગમનનો સંકેત માનવામાં આવે છે.

pitru-paksh

ઘરની ઉત્તર દિશામાં કાગડાનું વારંવાર બોલવું એ જલદી ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. જો અચાનક તમારી આસપાસ ઘણા બધા કાગડા ભેગા થવા લાગે, તો તે ભવિષ્યમાં તમારા જીવનમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

જો રસ્તામાં કોઈ કાગડો તેની ચાંચમાં રોટલી, માંસનો ટુકડો અથવા કાપડનો ટુકડો લઈને જોવા મળે તો તે તમારી બહુપ્રતિક્ષિત ઇચ્છા પૂર્ણ થવાની નિશાની માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.