મોદી સરકારમાં સત્તાના દલાલોની ટોળકીનો સફાયો કરી દેવાયો છે: નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે એક ન્યૂઝ ચેનલ ઈન્ટરવ્યુમાં ડ્રાફ્ટ બજેટ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે પહેલા દલાલો સત્તાના ગલિયારામાં ફરતા હતા. આ દલાલોને સંપૂર્ણ રીતે હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પહેલા ડ્રાફ્ટ બજેટ પર દલાલોનું દબાણ રહેતું હતું, પરંતુ હવે બજેટ દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. હવે બજેટ તૈયાર કરતી વખતે દલાલોના વ્યકિતગત સ્વાર્થ પર ફોકસ રાખવામાં આવતું નથી. દેશનું અંદાજ પત્ર દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કોઇ પણ વર્ગ નિરાશ ન થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે. નાણાં મંત્રીએ કહ્યું કે, PM મોદીએ નીતિ નિર્માણ માટે એક પારદર્શક સિસ્ટમ તૈયાર કરી છે, એ સિસ્ટમને કારણે સત્તાના દલાલો ગાયબ થઇ ગયા છે.

જ્યારે સીતારમણને પૂછવામાં આવ્યું કે બંગાળના CM મમતા બેનર્જિએ બજેટને નકામું અને દિશાહીન ગણાવ્યું છે, તો તમે આના પર શું કહેશો? આ સવાલના જવાબમાં સીતારમણે કહ્યું કે, બજેટ કોઈ ખાસ માટે ઉત્સાહ પેદા કરવા માટે નથી પરંતુ લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તૈયાર કરવામાં આવે છે. આ એક ગંભીર દસ્તાવેજ છે.  તેમણે કહ્યું કે,વિપક્ષી નેતાઓએ સામાન્ય માણસ પાસેથી શીખવું જોઈએ અને યોગ્ય હોમવર્ક કર્યા પછી વિચારો વ્યક્ત કરવા જોઈએ.

નિર્મલા સીતારમણને સવાલ પુછવામાં આવ્યો કે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે બજેટ પર ટીપ્પણી કરી હતી કે બજેટમાં ગરીબોની કોઇ ચર્ચા કરવામાં આવી નથી. તો નાણાં મંત્રીએ કહ્યુ કે, જો કોંગ્રેસ નેતાએ 100 વખત તેનો ઉલ્લેખ કર્યો હોત તો શું થાત? શું તેઓ ગરીબી દૂર કરી શક્યા હોત? કોંગ્રેસની આ આદત છે કે તે અધિકારની વાત કરે છે પણ કશું આપતી નથી. બીજી તરફ PM મોદીનું નેતૃત્વ અંતિમ  માઈલ સુધી લોકોને સુવિધા આપવામાં વિશ્વાસ રાખે છે.

જ્યારે નાણા મંત્રીને પુછવામાં આવ્યું કે વિદેશી રોકાણકારોએ અદાણીને કારણે ભારતના બજારમાંથી 2 બિલિયન ડોલર ખેંચી લીધા છે, તો શું આને કારણે દેશને નુકશાન નથી?  આના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, આ આંકડાઓ વિશેનો અભ્યાસ કર્યા પછી જ હું કહી શકીશ. તેમણે કહ્યું કે LIC અને SBIએ અદાણી વિવાદમાં પોતાનો પક્ષ રજૂ કરી જ દીધો છે. સીતારમણને પુછવામાં આવ્યું કે વિપક્ષ  અદાણી વિવાદમાં JPC તપાસની માંગ કરી રહ્યું છે. તો નાણાં મંત્રીએ કહ્યું કે, આ વિશે હું કોઇ ટીપ્પણી કરવા માંગતી નથી. અદાણીનો કેસ જોવા માટે રેગ્યુલેટર્સ છે.

નિર્મલા સીતારમણે  લઘુમતી મંત્રાલય અને મનરેગાના બજેટ ઘટાડા વિશે બોલતા કહ્યું હતું કે પહેલા બજેટમાં ફંડ વિખરાયેલું રહેતું હતું, પરંતુ હવે તેને એક જગ્યાએ એકઠું કરવામાં આવ્યું છે. જેને કારણે વધારે લોકોને ફાયદો થશે. સાથે દરેકને ઘર અને ઘર જળ યોજનામાં પણ મનરેગા હેઠળ કામ કરવાની તક મળશે, જેનાથી તેમની આવક વધશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.