બજેટ 2023: 7 લાખ સુધીની કમાણી પર ટેક્સ નહીં લાગે

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં દેશભરના લગભગ 6 કરોડ નાના વેપારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે દેશભરના MSMEને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ આ લોન 1 ટકા ઓછા વ્યાજે મળશે. સરકાર બેંકોને સરળતાથી લોન આપવા માટે બાંયધરી આપનાર તરીકે કામ કરશે.

3 કરોડ સુધીના ટર્નઓવર સુધી ટેક્સમાં છૂટ

MSMEs માટે મોટી રાહતમાં, નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જે MSMEsનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ સુધી છે તેમને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. આ સાથે 75 લાખ કમાતા પ્રોફેશનલ્સને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જૂની ટેક્સ સ્કીમમાં 3 થી 6 લાખ પર 5 ટકા ટેક્સ લાગશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જૂની ટેક્સ સ્કીમમાં 3 થી 6 લાખ પર 5 ટકા ટેક્સ લાગશે. અને 6 થી 9 લાખ પર 10 ટકા ટેક્સ લાગશે. 9 થી 12 લાખ પર 15% ટેક્સ, 12 થી 15 લાખ પર 20% ટેક્સ લાગશે અને 15 લાખથી ઉપર 30% ટેક્સ લાગશે.

નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે 2022-2023 માટે સંશોધિત રાજકોષીય ખાધ જીડીપીના 6.4% છે. 2023-2024 માટે રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના 5.9% હોવાનો અંદાજ છે. 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય છે.

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સિગારેટ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરોની સંખ્યા 21% થી ઘટાડીને 13% કરવાની દરખાસ્ત છે. પરિણામે રમકડાં, સાઈકલ, ઓટોમોબાઈલ સહિતની કેટલીક વસ્તુઓ સસ્તી થશે.

સરકારે નવી કર વ્યવસ્થામાં સર્વોચ્ચ સરચાર્જ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારે નવી ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટ ટેક્સ વિકલ્પ બનાવવાની દરખાસ્ત કરી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.