અદાણી ગ્રુપે ખરીદ્યું વધુ એક બંદર, 1485 કરોડ રૂપિયામાં કર્યું પોર્ટનું અધિગ્રહણ

અદાણી ગ્રુપે વધુ એક બંદરગાહને પોતાના નામે કર્યું છે. અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ જાહેરાત કરતા કહ્યું કે, નેશનલ લૉ ટ્રિબ્યુનલના અપ્રૂવલ (NCLT) મળ્યા બાદ કરાઈકલ પોર્ટ લિમિટેડનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ડીલ પૂરી કરી લેવામાં આવી છે. કરાઈકલ પોર્ટના અધિગ્રહણ અગાઉ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના KPPLની કોર્પોરેટ દીવાલા સમાધાન પ્રક્રિયા તરીકે માનવામાં આવતી હતી. ભારતના પૂડુચેરીમાં સ્થિત કરાઈકલ પોર્ટ એક મોટા આકાર અને બધા હવામાન, ઊંડા પાણીવાળું બંદરહાર છે.

તેમાં 5 ફંક્શનલ બર્થ, 3 રેલવે સિન્ડિગ્સ, 600 હેક્ટરની જમીન અને 21.5 મિલિયન મેટ્રિક ટનની કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા છે. અદાણી પોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કરાઈકલ પોર્ટના અધિગ્રહણની ડીલ 1,485 કરોડ રૂપિયાની કરવામાં આવી છે. નિવેદન મુજબ, બંદરગાહ તામિલનાડુના કન્ટેનરવાળી કાર્ગો બેઝ્ડ ઔદ્યોગિક કેન્દ્રો અને આગામી 9 MMTPA CPCL રિફાઇનરી પાસે છે. અદાણી પોર્ટના CEO કરણ અદાણીએ કહ્યું કે, કરાઈકલ બંદરગાહની ખરીદી સાથે જ હવે અદાણી ગ્રુપ આખા દેશમાં 14 બંદરગાહ ચલાવી રહ્યું છે.

ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો કરવા માટે પાયાના ઢાંચા માટે સમય સાથે 850 કરોડ ખર્ચ કરશે. કંપનીનો પ્લાન આગામી 5 વર્ષ દરમિયાન પોર્ટની ક્ષમતા બેગણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂડુંચેરીના કરાઈકલ જિલ્લામાં સ્થિત છે અને તેની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી અને તે ચેન્નાઈથી લગભગ 300 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે, જે એક મોટું બંદરગાહ છે. તો અદાણી ગ્રુપ દેશની સોથી મોટી પ્રાઇવેટ અને લોજિસ્ટિક્સ કંપની છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનન શેરની વાત કરીએ તો શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 631.80 રૂપિયા પર બંધ થયા. આ શેર એક દિવસ અગાઉની તુલનામાં 0.74 ટકા ઘટીને બંધ થયા. માર્કેટ કેપની વાત કરીએ તો 1,36,477.58 કરોડ રૂપિયા પર હતી. આ શેરના 52 અઠવાડિયા નીચલું સ્તર 394.95 રૂપિયા છે. આ સ્તર 3 ફેબ્રુઆરી 2023ના રોજ હતું. તો 20 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 987.90 રૂપિયા પર હતી, જે શેરના 52 અઠવાડિયા મહત્તમ સ્તર છે. આ અગાઉ અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડની સબ્સિડિયરી AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે Quintillion બિઝનેસ મીડિયા લિમિટેડનું અધિગ્રહણ પૂરું કર્યું હતું.

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.