અદાણી ઈલેક્ટ્રીસીટી-અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દહાણુમાં પશુદાન કાર્યક્રમ

અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશને દહાણુના આદિવાસી પરિવારોને આજીવિકા પૂરી પાડવા માટે વધુ એક સરાહનીય કામ કર્યુ છે. આદિવાસીઓને સ્થાયી આવક મળી રહે તે માટે તેમને પશુદાન કરવામાં આવી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રીસિટી સંકલિત આદિવાસી વિકાસ કાર્યક્રમ ADTPS હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ દ્વારા 1,100 આદિવાસી ખેડૂતોને લાભ થયો છે. આદિવાસીઓની આવકમાં વધારો કરવા આદિવાસી ખેડૂતોને ગાય અને બળદનું દાન કરવામાં આવ્યું છે. ગાયનાં દૂધથી તેમના બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહેશે અને વધારાના દૂધનું વેચાણ કરતા આવક પણ મળશે. જ્યારે બળદ તેમના ખેતરો ખેડવામાં તેમજ બળદગાડા દ્વારા ખેત પેદાશોને સ્થાનિક બજારમાં લઈ જવા જેવી પરિવહનની જરૂરિયાત પણ પૂરી પાડશે.

મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓમાંના એક દહાણુમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રીસિટી દ્વારા આદિવાસીઓનું જીવનધોરણ સુધારવા કામ થઈ રહ્યું છે. બેઉ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને બાગ-બગીચાઓ વિકસાવવા તેમજ પૂરક આવક મેળવવા મદદ કરવામાં આવે છે. ITDP કાર્યક્રમ દ્વારા આદિવાસી ખેડૂતોને પૂર્ણકાલીન રોજગારી મળતા તેમનું સ્થળાંતર અટકાવવામાં સફળતા મળી છે. ADTPS કર્મચારી વસાહતોને દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડતા પશુઓ માટે શેડની જાળવણી કરે છે. શેડમાં રહેતા પશુઓને પ્લાન્ટના ફાર્મમાંથી ઉત્પાદિત ઓર્ગેનિક ફીડ આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓને શુદ્ધ ઓર્ગેનિક દૂધ મળી રહે છે. વળી ADTPS પરિસરના પશુઓની સંતતિ આદિવાસી ખેડૂતોને એક વર્ષની ઉંમર બાદ દાન કરવામાં આવે છે.
સરવલી ગામના ખેડૂત વિરેન્દ્ર પટેલે જણાવે છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી બળદની જોડીથી મને ઝડપી ખેતી કરવામાં મદદ મળી છે, વળી ગાયના દૂધ થકી વધારાની આવક પણ મળી રહી છે.

ADTPS પ્રવક્તા જણાવે છે કે, અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તે સહજીવન અને સહઅસ્તિત્વમાં દૃઢ વિશ્વાસ રાખે છે, અમારી આસપાસના લોકોને મદદ કરવાનો અમારો પ્રયાસ અદાણી ગ્રૂપના ધ્યેય વાક્ય ગ્રોથ વિથ ગુડનેસનો એક ભાગ છે. આદિવાસી ખેડૂતોને પશુદાન કરવાથી તેમને સ્થાયી આજીવિકા મળી રહેશે અને મોસમી સ્થળાંતર અટકાવી શકાશે. અદાણી ફાઉન્ડેશન દેશના 2,409 ગામડા અને શહેરોમાં સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.