ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવી દીધો, કારણ આપ્યું રશિયાનું અને...

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સોદો થયો છે, પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ભારત અને અમેરિકા વેપાર કરાર પર સહમત ન થઈ શક્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકન માલ પર ઉચ્ચ ટેરિફ લાદે છે, જેના જવાબમાં આ 'પારસ્પરિક ટેરિફ' લાગુ કરવામાં આવ્યો છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, 1 ઓગસ્ટથી ભારત પર લાગુ થશે.

હકીકતમાં, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપી છે.

trump modi tariff

ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે, ભારત અમારો મિત્ર છે, પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોમાં ભારત સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. જે અમેરિકાને વેપાર વધારવાથી રોકે છે.

ટ્રમ્પના કહેવા પ્રમાણે, ભારત સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે, જે યોગ્ય નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું બંધ કરે, પરંતુ ભારત રશિયા સાથે સતત વેપાર વધારી રહ્યું છે, જે યોગ્ય પગલું નથી. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, અને આ 1 ઓગસ્ટથી અમલમાં આવશે.

trump modi tariff

અત્રે ઉલ્લેખનીય છે કે આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતની અમેરિકામાં નિકાસ 22.8 ટકા વધીને  25.51 બિલિયન ડૉલર થઈ ગઈ છે, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી, ભારતીય અને અમેરિકન અધિકારીઓ આ વેપાર કરાર અંગે વાટાઘાટો કરી રહ્યા હતા, પરંતુ ક્યારેક તેઓ આશાવાદી અને ક્યારેક સતર્ક સ્થિતિમાં દેખાતા હતા. કરાર ક્યારે થશે અને શું થશે તે સ્પષ્ટ નહોતું. અમેરિકાએ ભારત અને કેટલાક અન્ય દેશોને 1 ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ક્યાં તો તેઓએ આ તારીખ સુધીમાં વેપાર કરાર કરવો જોઈએ અથવા તેમને વધેલા ટેરિફનો સામનો કરવો પડશે.

trump modi tariff

આ ભારતીય નિકાસકારો પર ઊંડી અસર કરી શકે છે, ખાસ કરીને ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રોમાં. ભારત સરકારે આ નિર્ણયનો અભ્યાસ શરૂ કરી દીધો છે અને વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવાનું કહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર અને રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.