શું ચાંદીનો ભાવ 2 લાખને પાર કરી જશે? શું કહે એક્સપર્ટ્સ

હાલમાં સોના સાથે ચાંદીના પણ ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું ભલે મોંઘુ છે, પરંતુ ચાંદી પણ કાઈ પાછળ નથી. ચાલું વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ લગભગ 30% રિટર્ન આપ્યું છે. એક્સપર્ટ્સના મતે, ચાંદીના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે, તે જોતાં શક્ય છે કે ટૂંક સમયમાં તેનું મૂલ્ય 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય.

ચાંદીનો ઉપયોગ ભારતમાં ફક્ત ઘરેણાં પૂરતો સીમિત નથી. મંદિરોમાં ચડાવા સિવાય ઉદ્યોગો અને અનેક ક્ષેત્રોમાં પણ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. આ વધતી માંગના કારણે તેના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.

silver price
bankrate.com

ચાંદીના ભાવમાં તેજી

CA નિતિન કૌશિકના જણાવ્યા મુજબ, ચાંદી ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતમાં તેનો ભાવ લગભગ 1.11 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. 2025 દરમિયાન જ ચાંદીના ભાવમાં લગભગ 30% જેટલો વધારો નોંધાયો છે.

ચાંદીની કેમ વધી રહી છે માંગ?

ચાંદીની માંગ વધવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ઉપયોગ વિવિધ અદ્યતન ઉદ્યોગોમાં થાય છે — જેમ કે સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EVs), 5G ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને મેડિકલ ડિવાઇસ.

Wife Unique Demand

ઉપરાંત, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો ચાંદીને સુરક્ષિત વિકલ્પ માની તેમાં રોકાણ કરે છે. બીજી તરફ, તેની સપ્લાય મર્યાદિત હોવાથી માંગ અને ભાવમાં વધુ વધારો જોવા મળે છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી 12–24 મહિનામાં ચાંદીના ભાવમાં 15% થી 20% સુધીનો વધારો થઈ શકે છે. નિતિન કૌશિક કહે છે કે, જો હાલના ટ્રેન્ડ ચાલુ રહેશે, તો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવું અશક્ય નથી. લાંબા ગાળાના રોકાણકારો માટે ચાંદી એક યોગ્ય વિકલ્પ બની શકે છે, ખાસ કરીને તેઓ માટે જે થોડું જોખમ લેવાની તૈયારી ધરાવે છે.

તાજેતરનો ઘટાડો

તેમ છતાં, આ અઠવાડિયે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ચાંદીનો ભાવ 1,027 રૂપિયા ઘટીને 1,13,906 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જે અગાઉ 1,14,933 રૂપિયા હતો. જો કે, તે હજુ પણ તેના ઉચ્ચતમ સ્તરની નજીક છે. ખાસ કરીને, 7 ઓગસ્ટે ચાંદીએ 1,15,250 રૂપિયા પ્રતિ કિલોનો ઓલ-ટાઈમ હાઈ બનાવ્યો હતો.

 

 

 

 

About The Author

Related Posts

Top News

BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યની 'આધી આબાદી' એટલે કે મહિલા મતદારોને રીઝવવા...
Politics 
BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.